31-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારી ફરજ છે બધાને સ્થાયી સુખ અને શાંતિ નો રસ્તો બતાવવો , શાંતિ માં રહો અને શાંતિની બક્ષિશ ( ઈનામ ) આપો ”

પ્રશ્ન :-
કયા ગુહ્ય રહસ્ય ને સમજવા માટે બેહદની બુદ્ધિ જોઈએ?

ઉત્તર :-
ડ્રામાનું જે દૃશ્ય જે સમયે ચાલવાનું છે, તે સમયે જ ચાલશે. તેની એક્યુરેટ (નિશ્ચિત) આયુ છે, બાપ પણ પોતાનાં એક્યુરેટ સમય પર આવે છે, એમાં એક સેકન્ડ નો પણ ફરક નથી પડી શકતો. પૂરા ૫ હજાર વર્ષ પછી બાપ આવીને પ્રવેશ કરે છે, આ ગુહ્ય રહસ્ય સમજવા માટે બેહદની બુદ્ધિ જોઈએ.

ગીત :-
બદલ જાયે દુનિયા ન બદલેંગે હમ …

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. બાળકોને રસ્તો બતાવે છે - શાંતિધામ અને સુખધામ નો. આ સમયે બધાં મનુષ્ય વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. દરેક વ્યક્તિ પણ ઈચ્છે છે અને વિશ્વમાં પણ શાંતિ ઈચ્છે છે. દરેક કહે છે મનની શાંતિ જોઈએ. હવે તે પણ ક્યાંથી મળી શકે છે. શાંતિનાં સાગર તો બાપ જ છે, જેમનાથી વારસો મળી શકે છે. વ્યક્તિગત પણ મળે છે, હોલસેલ માં પણ મળે છે. એટલે બધાને મળે છે. જે બાળકો ભણે છે, સમજી શકે છે આપણે શાંતિ નો વારસો લેવા પોતાનો પણ પુરુષાર્થ કરીએ છીએ, બીજાઓને રસ્તો બતાવીએ છીએ. વિશ્વમાં શાંતિ તો થવાની જ છે. ભલે કોઈ વારસો લેવા આવે કે ન આવે. બાળકોની ફરજ છે, બધાં બાળકોને શાંતિ આપવાની છે. આ સમજી નહીં શકે, ૨-૪ ને વારસો મળવાથી શું થશે. કોઈ ને રસ્તો બતાવાય છે, પરંતુ નિશ્ચય ન હોવાનાં કારણે બીજાઓને આપસમાન બનાવી નથી શકતાં. જે નિશ્ચયબુદ્ધિ છે તે સમજે છે બાબા થી આપણ ને વરદાન મળી રહ્યું છે. વરદાન આપે છે - આયુષ્યવાન ભવ, ધનવાન ભવ પણ કહે છે. ફક્ત કહેવાથી તો આશીર્વાદ ન મળી શકે. આશીર્વાદ માંગે છે તો તેમને સમજાવાય છે તમને શાંતિ જોઈએ તો આવી રીતે પુરુષાર્થ કરો. મહેનત થી બધુંજ મળશે. ભક્તિમાર્ગ માં કેટલાં આશીર્વાદ લે છે. માં, બાપ, શિક્ષક, ગુરુ વગેરે બધાથી માંગે છે - અમે સુખી અને શાંત રહીએ. પરંતુ રહી નથી શકતાં કારણ કે આટલાં અસંખ્ય મનુષ્ય છે, તેમને સુખ-શાંતિ મળે કેવી રીતે શકે. ગાએ પણ છે - શાંતિ દેવા. બુદ્ધિમાં આવે છે-હેં પરમપિતા પરમાત્મા, અમને શાંતિની બક્ષિસ આપો. હકીકત માં બક્ષિશ એને કહેવાય છે જે ચીજ ઉઠાવી ને આપે. કહેશે આ તમને બક્ષિશ છે, ઇનામ છે. બાપ કહે છે બક્ષિશ કોઈ કેટલી પણ કરે છે, ધન ની, મકાનની, કપડાં વગેરે ની કરે છે, તે થયું દાન-પુણ્ય અલ્પકાળ નાં માટે. મનુષ્ય, મનુષ્ય ને આપે છે. સાહૂકાર ગરીબ ને અથવા સાહૂકાર, સાહૂકાર ને આપતા આવ્યાં છે. પરંતુ આ તો છે શાંતિ અને સુખ સ્થાયી. અહીંયા તો કોઈ એક જન્મ માટે પણ સુખ-શાંતિ નથી આપી શકતું કારણ કે તેમની પાસે છે જ નહીં. આપવા વાળા એક જ બાપ છે. એમને સુખ-શાંતિ-પવિત્રતા નાં સાગર કહેવાય છે. ઊંચે થી ઊંચા ભગવાન ની જ મહિમા ગવાય છે. સમજે છે એમનાથી જ શાંતિ મળશે. પછી તે સાધુ-સંત વગેરે પાસે જાય છે કારણ કે ભક્તિમાર્ગ છે ને તો ફેરા ફરાવતાં રહે છે. તે બધાં છે અલ્પકાળ નાં માટે પુરુષાર્થ. આપ બાળકોનું હવે તે બધું બંધ થઈ જાય છે. તમે લખો પણ છો બેહદનાં બાપ થી ૧૦૦ ટકા પવિત્રતા, સુખ, શાંતિ નો વારસો પામી શકો છો. અહીંયા ૧૦૦ ટકા અપવિત્રતા, દુઃખ, અશાંતિ છે. પરંતુ મનુષ્ય સમજતાં નથી. કહે છે ઋષિ-મુનિ વગેરે તો પવિત્ર છે. પરંતુ જન્મ તો છતાં પણ વિષ થી થાય છે ને. મૂળ વાત જ આ છે. રાવણરાજ્ય માં પવિત્રતા હોઈ ન શકે. પવિત્રતા-સુખ વગેરે બધાનાં સાગર એક જ બાપ છે.

તમે જાણો છો આપણને શિવબાબા થી ૨૧ જન્મ અર્થાત્ અડધાકલ્પ ૨૫૦૦ વર્ષનાં માટે વારસો મળે છે. આ તો ગેરંટી (ખાતરી) છે અડધોકલ્પ સુખધામ, અડધોકલ્પ છે દુઃખધામ. સૃષ્ટિ નાં બે ભાગ છે - એક નવી, એક જૂની. પરંતુ નવી ક્યારે, જૂની ક્યારે થાય છે, આ પણ જાણતાં નથી. ઝાડની આયુ એટલી એક્યુરેટ બતાવી ન શકે. હવે બાપ દ્વારા તમે આ ઝાડ ને જાણો છો. આ ૫ હજાર વર્ષ નું જૂનું ઝાડ છે, આની એકયુરેટ આયુ ની તમને ખબર છે, અને બીજા જે ઝાડ હોય છે તેની આયુ ની કોઈને ખબર નથી હોતી, અંદાજે બતાવી દે છે. તોફાન આવ્યું, ઝાડ પડ્યું, આયુ પૂરી થઈ ગઈ. મનુષ્યોનું પણ અચાનક મોત થતું રહે છે. આ બેહદ નાં ઝાડ ની આયુ પૂરી ૫ હજાર વર્ષ છે. આમાં એક દિવસ ન ઓછો, ન વધારે થઈ શકે છે. આ બન્યું-બનેલ ઝાડ છે. આમાં ફરક નથી પડી શકતો. ડ્રામામાં જે દૃશ્ય જે સમયે ચાલે છે, તે સમયે જ ચાલશે. હૂબહૂ રિપીટ (પુનરાવૃત્તિ) થવાનું છે. આયુ પણ એકયુરેટ છે. બાપ ને પણ નવી દુનિયા સ્થાપન કરવા આવવાનું છે. એક્યુરેટ સમય પર આવે છે. એક સેકન્ડનો પણ તેમાં ફરક નથી પડી શકતો. આ પણ હવે તમારી બેહદની બુદ્ધિ થઈ. તમે જ સમજી શકો છો. પૂરા ૫ હજાર વર્ષ પછી બાપ આવીને પ્રવેશ કરે છે, એટલે શિવરાત્રિ કહેવાય છે. કૃષ્ણનાં માટે જન્માષ્ટમી કહે છે. શિવની જન્માષ્ટમી નહીં કહેશે, શિવની રાત્રિ કહે છે કારણ કે જો જન્મ હોય તો પછી મૃત્યું પણ હોય. મનુષ્યનો જન્મ દિવસ કહેશું. શિવનાં માટે હંમેશા શિવરાત્રિ કહે છે. દુનિયામાં આ વાતો ની કાંઈ પણ ખબર નથી. તમે સમજો છો શિવરાત્રિ કેમ કહે છે, જન્માષ્ટમી કેમ નથી કહેતાં. એમનો જન્મ દિવ્ય અલૌકિક છે, જે બીજા કોઈ નો હોઈ ન શકે. આ કોઈ જાણતું નથી - શિવબાબા ક્યારે, કેવી રીતે આવે છે. શિવરાત્રિ નો અર્થ શું છે, તમે જ જાણો છો. આ છે બેહદની રાત. ભક્તિ ની રાત પૂરી થઈ દિવસ થાય છે. બ્રહ્માની રાત અને દિવસ પછી બ્રાહ્મણોનો પણ થયો. એક બ્રહ્મા નો ખેલ થોડી ચાલે છે. હવે તમે જાણો છો, હવે દિવસ શરું થવાનો છે. ભણતાં-ભણતાં જઈ પોતાનાં ઘરે પહોંચશું, પછી દિવસ માં આવશું. અડધોકલ્પ દિવસ અને અડધોકલ્પ રાત ગવાયેલી છે પરંતુ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું. તે લોકો કહે છે કે કહેશે કે કળયુગ ની આયુ ૪૦ હજાર વર્ષ બાકી છે, સતયુગ ની લાખો વર્ષ છે પછી અડધા-અડધા નો હિસાબ થતો નથી. કલ્પની આયુ ને કોઈ પણ જાણતું નથી. તમે આખાં વિશ્વનાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ ૫ હજાર વર્ષ નાં પછી સૃષ્ટિ ચક્ર લગાવતી રહે છે. વિશ્વ તો છે જ, તેમાં પાર્ટ ભજવતા-ભજવતા મનુષ્ય જ હેરાન થઈ જાય છે. આ શું આવાગમન છે. જો ૮૪ લાખ જન્મોનું આવાગમન હોત તો ખબર નહીં શું થાત. ન જાણવાનાં કારણે કલ્પની આયુ પણ વધારી દીધી છે. હમણાં આપ બાળકો બાપ થી સમ્મુખ ભણી રહ્યાં છો. અંદર માં ભાસના આવે છે - આપણે પ્રેક્ટિકલ માં બેઠાં છીએ. પુરુષોત્તમ સંગમયુગ પણ જરુર આવવાનો છે. ક્યારે આવે છે, કેવી રીતે આવે છે - આ કોઈ પણ નથી જાણતું. આપ બાળકો જાણો છો તો કેટલું ગદ્દગદ્દ થવું જોઈએ. તમે જ કલ્પ-કલ્પ બાપ થી વારસો લો છો અર્થાત્ માયા પર જીત પામો છો પછી હારો છો. આ છે બેહદની હાર અને જીત. તે રાજાઓની તો ખુબ જ હાર-જીત થતી રહે છે. અનેક લડાઈઓ લાગતી રહે છે. નાનકડી લડાઈ લાગે છે તો કહી દે છે હવે અમે જીત્યું. શું જીત્યું? થોડા એવાં ટુકડા ને જીત્યું. મોટી લડાઈ માં હારે છે તો પછી ઝંડા ને પાડી દે છે. પહેલાં-પહેલાં તો એક રાજા હોય છે પછી બીજા-બીજા વૃદ્ધિ થતાં જાય છે. પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું પછી બીજા રાજાઓ આવવાનાં શરું થયાં. જેવી રીતે પોપ (ખ્રિસ્તીનાં ધર્મગુરુ) ને દેખાડે છે. પહેલાં એક હતાં પછી નંબરવાર બીજા પોપ પણ બેસતાં ગયાં. કોઈની મૃત્યુ નું તો ઠેકાણું જ નથી ને.

આપ બાળકો જાણો છો આપણને બાબા અમર બનાવી રહ્યાં છે. અમરપુરી નાં માલિક બનાવી રહ્યાં છે, કેટલી ખુશી થવી જોઈએ. આ છે મૃત્યુલોક. તે છે અમરલોક. આ વાતોને નવું કોઈ સમજી ન શકે. તેમને મજા નહીં આવશે, જેટલી જૂના ને આવશે. દિવસ-પ્રતિદિવસ વૃદ્ધિને પામતાં રહે છે. નિશ્ચય પાક્કો થઈ જાય છે. આમાં સહનશીલતા પણ ખુબ હોવી જોઈએ. આ તો આસુરી દુનિયા છે, દુઃખ આપવામાં વાર નથી કરતાં. તમારી આત્મા કહે છે અમે હમણાં બાબા ની શ્રીમત પર ચાલી રહ્યાં છીએ. આપણે સંગમયુગ પર છીએ. બાકી બધાં કળયુગ માં છે. આપણે હમણાં પુરુષોત્તમ બની રહ્યાં છીએ. પુરુષો માં ઉત્તમ પુરુષ ભણતર થી જ બને છે. ભણતર થી જ ચીફ જસ્ટિસ (મુખ્ય ન્યાયાધીશ) વગેરે બને છે. તમને બાપ ભણાવે છે. આ ભણતર થી જ પોતાનાં પુરુષાર્થ અનુસાર પદ પામો છો. જેટલું જે ભણશે એટલો ગ્રેડ મળશે. આમનામાં રાજાઈ નો ગ્રેડ છે. આવો તે ભણતરમાં રાજાઈ નો ગ્રેડ નથી હોતો. તમે જાણો છો આપણે રાજાઓનાં રાજા બની રહ્યાં છીએ. તો અંદર માં કેટલી ખુશી થવી જોઈએ. આપણે ડબલ સિરતાજ ખુબ ઊંચા બનીએ છીએ. ભગવાન બાપ આપણને ભણાવે છે. ક્યારેય કોઈ સમજી ન શકે કે નિરાકાર બાપ કેવી રીતે આવી ને ભણાવે છે. મનુષ્ય પોકારે પણ છે-હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. છતાં પણ પાવન બનતાં નથી. બાપ કહે છે કામ મહાશત્રુ છે. તમે એક તરફ પોકારો છો કે પતિત-પાવન આવો, હવે હું આવ્યો છું કહું છું બાળકો પતિતપણું છોડી દો, તો તમે છોડતાં કેમ નથી. એવું થોડી, બાપ તમને પાવન બનાવે અને તમે પતિત બનતાં રહો. અસંખ્ય એવાં પતિત બને છે. કોઈ સત્ય બતાવે છે, બાબા આ ભૂલ થઈ ગઈ. બાબા કહે છે કોઈ પણ પાપ કર્મ થઈ જાય તો તરત બતાવો. કોઈ સાચું, કોઈ જુઠ્ઠું બોલે છે. કોણ પૂછે છે? હું થોડી એક-એક ની અંદર માં બેસી જાણું છું, આ તો થઈ ન શકે. હું આવું જ છું ફક્ત સલાહ આપવાં. પાવન નહીં બનશો તો તમારું જ નુકસાન છે. મહેનત કરી પાવન થી પછી પતિત બની જશો, તો કરેલી કમાણી ચટ થઈ જશે. લજ્જા આવશે અમે સ્વયં જ પતિત બની ગયાં છીએ પછી બીજાઓને કેવી રીતે કહેશું કે પાવન બનો. અંદરમાં દિલ ખાશે કે અમે કેટલું ફરમાન નું ઉલ્લંઘન કર્યું. અહીંયા તમે બાપ થી ડાયરેક્ટ પ્રતિજ્ઞા કરો છો, જાણો છો બાબા આપણને સુખધામ-શાંતિધામ નાં માલિક બનાવી રહ્યાં છે. હાજીર નાજીર છે, આપણે એમનાં સમ્મુખ બેઠાં છીએ. આમનામાં પહેલાં આ નોલેજ થોડી હતું. ન કોઈ ગુરુ પણ હતાં - જેમણે નોલેજ આપ્યું હોય. જો ગુરુ હોત તો ફક્ત એક ને જ્ઞાન આપત શું. ગુરુઓનાં ફોલોઅર્સ (અનુયાયી) તો ખુબ હોય છે ને. એક થોડી હશે. આ સમજવાની વાતો છે ને. સદ્દગુરુ છે જ એક. એ આપણને રસ્તો બતાવે છે. આપણે પછી બીજાઓને બતાવીએ છીએ. તમે બધાં ને કહો છો - બાપ ને યાદ કરો. બસ. ઊંચે થી ઊંચા બાપ ને યાદ કરવાથી જ ઉંચું પદ મળશે. તમે રાજાઓનાં રાજા બનો છો. તમારી પાસે અગણિત ધન હશે. તમે પોતાની ઝોલી ભરો છો ને. તમે જાણો છો બાબા આપણી ઝોલી ખુબ ભરી રહ્યાં છે. કહે છે કુબેરની પાસે ખુબ ધન હતું. હકીકતમાં તમે દરેક કુબેર છો. તમને વૈકુંઠ રુપી ખજાનો મળી જાય છે. ખુદા દોસ્ત ની પણ વાર્તા છે. એમને, જે પહેલા મળતું હતું તેમને એક દિવસનાં માટે બાદશાહી આપતાં હતાં. આ બધાં દૃષ્ટાંત છે. અલ્લાહ એટલે બાપ, એ અવલદીન રચતા છે. પછી સાક્ષાત્કાર થઈ જાય છે. તમે જાણો છો બરાબર આપણે યોગબળ થી વિશ્વની બાદશાહી લઈએ છીએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આસુરી દુનિયામાં ખુબ-ખુબ સહનશીલ બનીને રહેવાનું છે. કોઈ ગાળ આપે, દુઃખ આપે તો પણ સહન કરવાનું છે. બાપની શ્રીમત ક્યારેય નથી છોડવાની.

2. ડાયરેક્ટ બાપે પાવન બનાવવાનું ફરમાન કર્યું છે એટલે ક્યારેય પણ પતિત નથી બનવાનું. ક્યારેય કોઈ પાપ થાય તો છૂપાડવાનું નથી.

વરદાન :-
પરમાત્મા મિલન દ્વારા રુહરિહાન નો સાચો રિસ્પોન્સ ( પ્રતિઉત્તર ) પ્રાપ્ત કરવાવાળા બાપ સમાન બહુરુપી ભવ

જેમ બાપ બહુરુપી છે-સેકન્ડ માં નિરાકાર થી આકારી વસ્ત્ર ધારણ કરી લે છે, તેમ તમે પણ આ માટીનાં ડ્રેસ ને છોડી આકારી ફરિશ્તા ડ્રેસ, ચમકીલો ડ્રેસ પહેરી લો તો સહન જ મિલન પણ થશે અને રુહરિહાન નો સ્પષ્ટ રિસ્પોન્સ સમજ માં આવી જશે કારણ કે આ ડ્રેસ જૂની દુનિયાની વૃત્તિ અને વાયબ્રેશન થી, માયાનાં વોટર (પાણી) અથવા ફાયર (આગ) થી પ્રુફ (સુરક્ષિત) છે, આમાં માયા ઈન્ટરફિયર (ખલેલ) નથી કરી શકતી.

સ્લોગન :-
દૃઢતા અસંભવ ને પણ સંભવ કરાવી દે છે.