21-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - રોજ
રાતનાં પોતાનો પોતામેલ નીકાળો , ડાયરી રાખો તો ડર રહેશે કે ક્યાંક ઘાટો ( નુકશાન )
ન પડી જાય ”
પ્રશ્ન :-
કલ્પ પહેલાં
વાળા ભાગ્યશાળી બાળકોને બાપની કઈ વાત તરત ટચ (સ્પર્શ) થશે?
ઉત્તર :-
બાબા રોજ-રોજ જે બાળકોને યાદની યુક્તિઓ બતાવે છે, તે ભાગ્યશાળી બાળકોને જ ટચ થતી
રહેશે. તે તેને તરત અમલ માં લાવશે. બાબા કહે છે બાળકો થોડોક સમય એકાંત માં બગીચામાં
જઈને બેસો. બાબા થી મીઠી-મીઠી વાતો કરો, પોતાનો ચાર્ટ રાખો તો ઉન્નતિ થતી રહેશે.
ઓમ શાંતિ!
મિલેટ્રી ને
પહેલાં-પહેલાં સાવધાન કરાય છે - અટેન્શન પ્લીઝ. બાપ પણ બાળકો ને કહે છે પોતાને આત્મા
નિશ્ચય કરી બાપ ને યાદ કરતા રહો છો? બાળકોને સમજાવ્યું છે આ જ્ઞાન બાપ આ સમયે જ આપી
શકે છે. બાપ જ ભણાવે છે. ભગવાનુવાચ છે ને - મૂળ વાત થઈ જાય છે આ કે ભગવાન કોણ છે?
કોણ ભણાવે છે? આ વાત પહેલાં સમજવાની અને નિશ્ચય કરવાની હોય છે. પછી અતીન્દ્રિય સુખમાં
પણ રહેવાનું છે. આત્માને ખુબ ખુશી થવી જોઈએ. આપણને બેહદ નાં બાપ મળ્યાં છે. બાપ એક
જ વાર આવીને મળે છે વારસો આપવાં. શેનો વારસો? વિશ્વની બાદશાહી નો વારસો આપે છે, ૫
હજાર વર્ષ પહેલાં ની જેમ. આ તો પાક્કો નિશ્ચય છે-બાપ આવેલાં છે. ફરીથી સહજ રાજયોગ
શિખવાડે છે, શિખવાડવું પડે છે. બાળકોને કાંઈ શીખવાડવામાં નથી આવતું. જાતે જ મુખ થી
મમ્મા-બાબા નીકળતું રહેશે કારણ કે અક્ષર તો સાંભળે છે ને. આ છે રુહાની બાપ. આત્માને
આંતરિક ગુપ્ત નશો રહે છે. આત્માએ જ ભણવાનું છે. પરમપિતા પરમાત્મા તો નોલેજફુલ છે જ.
એ કંઈ ભણ્યા નથી. એમનામાં નોલેજ છે જ, શેનું નોલેજ છે? આ પણ તમારી આત્મા સમજે છે.
બાબા માં આખાં સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ છે. કેવી રીતે એક ધર્મની સ્થાપના
અને અનેક ધર્મો નો વિનાશ થાય છે, આ બધું જાણે છે - એટલે એમને જાની જાનનહાર કહી દે
છે. જાની જાનનહાર નો અર્થ શું છે? આ કોઈ પણ બિલકુલ જાણતાં નથી. હવે આપ બાળકોને બાપે
સમજાવ્યું છે કે આ સ્લોગન (સુવિચાર) પણ જરુર લગાવો કે મનુષ્ય થઈને જો ક્રિયેટર (રચયિતા)
અને રચના નાં આદિ મધ્ય અંત નાં ડયુરેશન (સમયગાળા), રિપીટેશન (પુનરાવૃત્તિ) ને ન જાણે
તો શું કહેવાય...આ રિપીટેશન અક્ષર પણ ખુબ જરુરી છે. કરેક્શન (સુધાર) તો થતું રહે છે
ને. ગીતાનાં ભગવાન કોણ… આ ચિત્ર ખુબ ફર્સ્ટ ક્લાસ છે. આખાં વર્લ્ડ (દુનિયા) માં આ
છે સૌથી નંબરવન ભૂલ. પરમપિતા પરમાત્માને ન જાણવાનાં કારણે પછી કહી દે બધાં ભગવાન
નાં રુપ છે. જેવી રીતે નાનાં બાળક થી પૂછાય છે તમે કોનાં બાળક? કહેશે ફલાણા નો.
ફલાણો કોનો બાળક? ફલાણા નો. પછી કહી દેશે તે અમારું બાળક. એવી રીતે આ પણ ભગવાન ને
જાણતાં નથી તો કહી દે છે અમે ભગવાન છીએ. આટલી પૂજા પણ કરે છે પરંતુ સમજતાં નથી.
ગવાય પણ છે બ્રહ્માની રાત તો જરુર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ ની પણ રાત હશે. આ બધી ધારણ
કરવાની વાતો છે. આ ધારણા તેમને થશે જે યોગ માં રહે છે. યાદ ને જ બળ કહેવાય છે.
જ્ઞાન તો છે સોર્સ ઓફ ઇનકમ (આવક નું સાધન). યાદ થી શક્તિ મળે છે જેનાથી વિકર્મ
વિનાશ થાય છે. તમારે બુદ્ધિ નો યોગ બાપ થી લગાડવાનો છે. આ જ્ઞાન બાપ હમણાં જ આપે છે
પછી ક્યારેય મળતું જ નથી. સિવાય બાપનાં કોઈ આપી ન શકે. બાકી બધાં છે ભક્તિમાર્ગ નાં
શાસ્ત્ર, કર્મકાંડ ની ક્રિયાઓ. તેને જ્ઞાન નહીં કહેશું. આધ્યાત્મિક નોલેજ એક બાપની
પાસે જ છે અને એ બ્રાહ્મણોને જ આપે છે. બીજા કોઈની પાસે આધ્યાત્મિક નોલેજ હોતું નથી.
દુનિયામાં કેટલાં ધર્મ મઠ પંથ છે, કેટલી મતો છે. બાળકોને સમજાવવા માટે કેટલી મહેનત
થાય છે. કેટલાં તોફાન આવે છે. ગાએ પણ છે - નૈયા મારી પાર લગાવો. બધાની નાવ તો પાર
નહીં જઈ શકે. કોઈ ડૂબી પણ જશે, કોઈ ઉભી રહી જશે. ૨-૩ વર્ષ થઈ જાય છે, ઘણાની ખબર જ
નથી. કોઈ તો પુર્જા-પુર્જા (ટુકડા-ટુકડા) થઈ જાય છે. કોઈ ત્યાં જ ઉભાં રહી જાય છે,
આમાં મહેનત ખુબ છે. આર્ટિફિશિયલ (બનાવટી) યોગ પણ કેટલાં નીકળ્યાં છે. કેટલાં યોગ
આશ્રમ છે. રુહાની યોગ આશ્રમ કોઈ હોઈ ન શકે. બાપ જ આવીને આત્માઓને રુહાની યોગ શીખવાડે
છે. બાબા કહે છે આ તો ખુબ સહજ યોગ છે. આના જેવું સહજ કાંઈ પણ છે નહીં. આત્મા જ શરીર
માં આવીને પાર્ટ ભજવે છે. ૮૪ જન્મ મેક્સિમમ (વધુમાં વધુ) છે, બાકી તો ઓછા-ઓછા થતાં
જશે. આ વાતો પણ આપ બાળકોમાં કોઈની બુદ્ધિમાં છે. બુદ્ધિમાં ધારણા ખુબ મુશ્કેલ થી
થાય છે. પહેલી વાત બાપ સમજાવે છે ક્યાંય પણ જાઓ છો તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય
આપો. બાપનો પરિચય કેવી રીતે અપાય, તેનાં માટે યુક્તિ રચાય છે. તે જ્યારે નિશ્ચય થાય
ત્યારે સમજે બાપ તો સત્ય છે. જરુર બાપ સત્ય વાતો જ બતાવતાં હશે. આમાં સંશય ન આવવો
જોઈએ. યાદમાં જ મહેનત છે, આમાં માયા ઓપોઝિશન (વિરોધ) કરે છે. ઘડી-ઘડી યાદ ભૂલાવી દે
છે એટલે બાબા કહે છે - ચાર્ટ રાખો. તો બાબા પણ જુએ કોણ કેટલું યાદ કરે છે. ક્વાટર
પર્સન્ટેજ (પા ભાગ નાં) પણ ચાર્ટ નથી રાખતાં. કોઈ કહે છે હું તો આખો દિવસ યાદ માં
રહું છું. બાબા કહે છે આ તો ખુબ મુશ્કેલ છે. આખો દિવસ-રાત તો બાંધેલીઓ જે માર ખાતી
રહે છે તે યાદ માં રહેતી હશે, શિવબાબા ક્યારે આ સંબંધીઓથી અમે છૂટશું? આત્મા પોકારે
છે - બાબા અમે બંધન થી કેવી રીતે છૂટીએ. જો કોઈ ખુબ યાદ માં રહે છે તો બાબાને ચાર્ટ
મોકલો. ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે રોજ રાતનાં પોતાનો પોતામેલ નીકાળો, ડાયરી રાખો.
ડાયરી રાખવાથી ડર રહેશે, અમારો ઘાટો (નુકસાન) ન થઇ જાય. બાબા જોશે તો શું કહેશે -
આટલાં મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબાને આટલો સમય જ યાદ કરો છો! લૌકિક બાપને, સ્ત્રી
ને તમે યાદ કરો છો, મને આટલું થોડું પણ યાદ નથી કરતાં. ચાર્ટ લખો તો જાતે જ લજ્જા
આવશે. આ હાલતમાં હું પદ પામી નહીં શકીશ, એટલે બાબા ચાર્ટ પર જોર આપી રહ્યાં છે. બાપ
ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરવાનું છે તો પછી ચક્રવર્તી રાજા બની જશો. આપ સમાન
બનાવશો ત્યારે તો પ્રજા પર રાજ્ય કરશો. આ છે જ રાજયોગ - નર થી નારાયણ બનવાનો.
લક્ષ્ય-હેતુ આ છે. જેમ આત્મા ને જોઈ નથી શકાતું, સમજી શકાય છે. આમાં આત્મા છે, આ પણ
સમજાય છે. આ લક્ષ્મી-નારાયણ ની જરુર રાજધાની હશે. આમણે સૌથી વધારે મહેનત કરી છે
ત્યારે સ્કોલરશીપ પામી છે. જરુર આમની ખુબ પ્રજા હશે. ઉંચે થી ઉંચુ પદ પામ્યાં છે,
જરુર ખુબ યોગ લગાવ્યો છે ત્યારે પાસ વિથ ઓનર થયાં. આ પણ કારણ કાઢવું જોઈએ, અમારો
યોગ કેમ નથી લાગતો? ધંધા વગેરે ની ઝંઝટમાં ખુબ બુદ્ધિ ચાલી જાય છે. તેમાંથી સમય
નીકળી આ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. થોડોક સમય નીકાળી બગીચા માં એકાંતમાં બેસવું
જોઈએ. સ્ત્રી ઓ તો જઈ ન શકે. તેમને તો ઘર સંભાળવાનું છે. પુરુષો ને સહજ છે. કલ્પ
પહેલાં વાળા જે ભાગ્યશાળી હશે તેમને જ ટચ થશે. ભણતર તો ખુબ સારું છે. બાકી દરેકની
બુદ્ધિ પોતાની હોય છે. કાંઈ પણ કરીને બાપ થી વારસો લેવાનો છે. બાપ ડાયરેક્શન બધું
આપે છે. કરવાનું તો બાળકોને જ છે. બાબા ડાયરેક્શન આપશે જનરલ (જાહેરમાં). એક-એક
પર્સનલ (વ્યક્તિગત) પણ આવીને કોઈ પૂછે તો સલાહ આપી શકે છે. તીર્થો પર મોટા-મોટા
પહાડો પર જાય છે તો પણ પંડા લોકો સાવધાન કરતાં રહે છે. ખુબ મુશ્કેલી થી જાય છે. આપ
બાળકોને તો બાપ ખુબ સહજ યુક્તિ બતાવે છે. બાપ ને યાદ કરવાનાં છે. શરીર નું ભાન ખતમ
કરવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. બાપ આવીને નોલેજ આપી ચાલ્યાં જાય છે. આત્મા
જેવું તીવ્ર રોકેટ બીજું કોઈ હોઈ ન શકે. તે લોકો ચંદ્ર વગેરે તરફ જવા માટે કેટલો
સમય વ્યર્થ કરે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આ સાયન્સ નો હુનર (વિજ્ઞાન ની કળા) પણ
વિનાશ માં મદદ કરે છે. તે છે સાયન્સ, તમારી છે સાઈલેન્સ. પોતાને આત્મા સમજી બાપ ને
યાદ કરવું - આ છે ડેડ સાઈલેન્સ. હું આત્મા શરીર થી અલગ છું. આ શરીર જૂની જુત્તી છે.
સાપ, કાચબા નું ઉદાહરણ પણ તમારા માટે છે, તમે જ કીડા જેવાં મનુષ્યોને ભૂં-ભૂં કરી
મનુષ્ય થી દેવતા બનાવો છો. વિષય સાગર થી ક્ષીર સાગરમાં લઈ જવાનું તો તમારું કામ છે.
સંન્યાસીઓએ આ યજ્ઞ તપ વગેરે કંઈ પણ કરવાનું નથી. ભક્તિ અને જ્ઞાન છે જ ગૃહસ્થીઓનાં
માટે. તેમને તો સતયુગમાં આવવાનું જ નથી. તે શું જાણે આ વાતોને. આ પણ ડ્રામામાં નોંધ
છે આ નિવૃતિ માર્ગ વાળાઓની. જેમણે પૂરા ૮૪ જન્મ લીધાં છે - તે જ ડ્રામા અનુસાર આવતાં
રહેશે. આમાં પણ નંબરવાર નીકળતાં રહેશે. માયા ખુબ પ્રબળ છે. આંખો ખુબ જ ક્રિમિનલ છે.
જ્ઞાનનું ત્રીજું નેત્ર મળવાથી આંખો સિવિલ (પવિત્ર) બને છે પછી અડધોકલ્પ ક્યારેય
ક્રિમિનલ નહીં બનશે. આ છે ખુબ દગાબાજ. તમે જેટલું બાપ ને યાદ કરશો એટલી
કર્મેન્દ્રિયો શીતળ થશે. પછી ૨૧ જન્મ કર્મન્દ્રિયો ને ચંચળતા માં આવવાનું નથી. ત્યાં
કર્મેન્દ્રિયોમાં ચંચળતા હોતી નથી. બધી કર્મેન્દ્રિયો શાંત સતોગુણી રહે છે.
દેહ-અભિમાન નાં પછી જ બધી શેતાની આવી છે. બાપ તમને દેહી-અભિમાની બનાવે છે. અડધા
કલ્પ નાં માટે તમને વારસો મળી જાય છે. જેટલી જે મહેનત કરે છે, એટલું જ ઉંચ પદ પામશે.
મહેનત કરવાની છે - દેહી-અભિમાની બનવાની, પછી કર્મેન્દ્રિયો દગો નહીં આપશે. અંત સુધી
યુદ્ધ ચાલતી રહેશે. જ્યારે કર્માતીત અવસ્થા ને પામશો ત્યારે તે લડાઈ પણ શરું થશે.
દિવસ-પ્રતિદિવસ અવાજ થતો જશે, મોત થી ડરશે.
બાપ કહે છે આ જ્ઞાન બધાનાં માટે છે. ફક્ત બાપ નો પરિચય આપવાનો છે. આપણે આત્માઓ બધાં
ભાઈ-ભાઈ છીએ. બધાં એક બાપ ને યાદ કરીએ છીએ. ગોડ ફાધર (પરમપિતા) કહીએ છીએ. જોકે કોઈ
નેચર (કુદરત) ને માનવા વાળા હોય છે. પરંતુ ગોડ તો છે ને. એમને યાદ કરીએ છીએ
મુક્તિ-જીવનમુક્તિનાં માટે. મોક્ષ તો છે નહીં. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી ને રિપીટ
કરવાની છે. બુદ્ધિ પણ કહે છે જ્યારે સતયુગ હતો તો એક જ ભારત હતું. મનુષ્ય તો કંઈ પણ
નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું ને. લાખો વર્ષ ની વાત હોઈ ન શકે. લાખો
વર્ષ હોત તો કેટલી અસંખ્ય સંખ્યા થઈ જાત. બાપ કહે છે હવે કળયુગ પૂરો થઇ સતયુગ ની
સ્થાપના થઈ રહી છે. તેઓ સમજે છે કળયુગ તો હજું બાળક છે, આટલાં હજાર વર્ષની આયુ છે.
આપ બાળકો જાણો છો આ કલ્પ છે જ ૫ હજાર વર્ષનું. ભારતમાં જ આ સ્થાપના થઈ રહી છે. ભારત
જ હવે સ્વર્ગ બની રહ્યું છે. હવે આપણે શ્રીમત પર આ રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. હવે
બાપ કહે છે મામેકમ્ યાદ કરો. પહેલાં-પહેલાં શબ્દ જ આ આપો. જ્યાં સુધી બાપ માં
નિશ્ચય નહીં હશે ત્યાં સુધી પ્રશ્ન પૂછતાં રહેશે. પછી કોઈ વાતનો ઉત્તર નહીં મળશે તો
સમજશે આ જાણતાં કંઈ પણ નથી અને કહે છે ભગવાન અમને ભણાવે છે એટલે પહેલાં-પહેલાં તો
એક જ વાત પર થોભી જાઓ. પહેલાં બાપ પર નિશ્ચય કરે કે બરાબર બધી આત્માઓનાં બાપ એક જ
છે અને એ છે રચતા. તો જરુર સંગમ પર જ આવશે. બાપ કહે છે હું યુગે-યુગે નહિં, કલ્પ
નાં સંગમયુગ પર આવું છું. હું જ નવી સૃષ્ટિ નો રચતા. તો વચમાં કેવી રીતે આવીશ. હું
આવું જ છું જૂની અને નવી નાં વચમાં. આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. તમે
પુરુષોત્તમ પણ અહીંયા બનો છો. લક્ષ્મી-નારાયણ સૌથી પુરુષોત્તમ છે. લક્ષ્ય-હેતુ કેટલું
સહજ છે. બધાને કહો આ સ્થાપના થઈ રહી છે. બાબાએ કહ્યું છે પુરુષોત્તમ અક્ષર જરુર નાખો
કારણ કે અહીંયા તમે કનિષ્ટ થી પુરુષોત્તમ બનો છો. આવી-આવી મુખ્ય વાતો ભૂલવી ન જોઈએ.
અને સવંત ની તારીખ પણ જરુર લખવી જોઈએ. અહીંયા તમારી પહેલાં થી રાજાઇ શરું થઈ જાય
છે, બીજાની રાજાઈ પહેલાં થી નથી હોતી. તે તો ધર્મસ્થાપક આવે ત્યારે તેમની પાછળ તેમના
ધર્મની વૃદ્ધિ થાય. કરોડો બને ત્યારે રાજાઈ ચાલે. તમારી તો શરું થી સતયુગ માં રાજાઈ
હશે. આ કોઈને પણ બુદ્ધિમાં નથી આવતું કે સતયુગ માં આટલી રાજાઈ ક્યાંથી આવી. કળયુગ
અંતમાં આટલાં અસંખ્ય ધર્મ છે, પછી સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય કેવી રીતે થયું?
કેટલાં હીરા-ઝવેરાતો નાં મહેલ છે. ભારત એવું હતું જેને પેરેડાઇઝ (વૈકુંઠ) કહેતાં હતાં.
૫ હજાર વર્ષની વાત છે. લાખો વર્ષ નો હિસાબ ક્યાંથી આવ્યો. મનુષ્ય કેટલાં મૂંઝાયેલાં
છે. હવે તેમને કોણ સમજાવે. તે સમજે થોડી છે કે અમે આસુરી રાજ્ય માં છીએ. આમની (દેવતાઓની)
તો મહિમા સર્વગુણ સમ્પન્ન…છે, આમનામાં ૫ વિકાર નથી કારણ કે દેહી-અભિમાની છે તો બાપ
કહે છે મુખ્ય વાત છે યાદ ની. ૮૪ જન્મ લેતાં-લેતાં તમે પતિત બન્યાં છો, હવે ફરી
પવિત્ર બનવાનું છે. આ ડ્રામા નું ચક્ર છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન થી
ત્રીજા નેત્ર ને ધારણ કરી પોતાની દગાબાજ આંખો ને સિવિલ (પવિત્ર) બનાવવાની છે. યાદ
થી જ કર્મેન્દ્રિયો શીતળ, સતોગુણી બનશે એટલે આ જ મહેનત કરવાની છે.
2. ધંધા વગેરે થી સમય નીકાળી એકાંત માં જઇને યાદમાં બેસવાનું છે. કારણ જોવાનું છે
કે અમારો યોગ કેમ નથી લાગતો. પોતાનો ચાર્ટ જરુર રાખવાનો છે.
વરદાન :-
નિર્ણય શક્તિ
અને કંટ્રોલીંગ પાવર ( નિયંત્રણ શક્તિ ) દ્વારા સફળતામૂર્ત ભવ
કોઈ પણ લૌકિક કે
અલૌકિક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનાં માટે વિશેષ કંટ્રોલીંગ પાવર અને જજમેન્ટ
પાવર (પરખ શક્તિ) ની આવશ્યકતા હોય છે કારણ કે જયારે કોઈ પણ આત્મા તમારા સંપર્ક માં
આવે છે તો પહેલાં જજ કરવાનું હોય કે આને કઈ ચીજ ની જરુરત છે, નાડી દ્વારા પારખી
તેમની ઈચ્છા પ્રમાણે તેમને તૃપ્ત કરવાં અને સ્વયં ની કંટ્રોલીંગ પાવર થી બીજાઓ પર
પોતાની અચળ સ્થિતિનો પ્રભાવ પડવો - આ જ બંને શક્તિઓ સેવાનાં ક્ષેત્રમાં સફળતામૂર્ત
બનાવી દે છે.
સ્લોગન :-
સર્વશક્તિવાન
બાપને સાથે બનાવી લો તો માયા પેપર ટાઈગર (કાગળ નો વાઘ) બની જશે.