28-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
પાઠશાળામાં આવ્યા છો સ્વર્ગ માટે પાસપોર્ટ લેવાં , આત્મ - અભિમાની બનો અને પોતાનું
નામ રજીસ્ટર માં નોંધ કરાવી દો તો સ્વર્ગમાં આવી જશો ”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ ન
રહેવાનાં કારણે બાળકો બાપનો રિગાર્ડ (આદર) નથી રાખતાં?
ઉત્તર :-
ઘણાં બાળકોને આ જ સ્મૃતિ નથી રહેતી કે જેમને આખી દુનિયા પોકારી રહી છે, યાદ કરી રહી
છે, એ જ ઊંચે થી ઊંચા બાપ આપણી બાળકોની સેવામાં ઉપસ્થિત થયાં છે. આ નિશ્ચય નંબરવાર
છે, જેટલો જેમને નિશ્ચય છે એટલો આદર રાખે છે.
ગીત :-
જો પિયા કે સાથ હૈ …
ઓમ શાંતિ!
બધાં બાળકો
જ્ઞાનસાગર ની સાથે તો છે જ. આટલાં બધાં બાળકો એક જગ્યાએ તો રહી ન શકે. ભલે જે સાથે
છે તે નજીક માં પ્રત્યક્ષ જ્ઞાન સાંભળે છે અને જે દૂર છે એમને મોડે થી મળે છે. પરંતુ
એવું નથી કે સાથે વાળા વધારે ઉન્નતિ ને પામે છે અને દૂર વાળા ઓછી ઉન્નતિ ને પામે
છે. ના, પ્રેક્ટિકલ જોવાય છે જે દૂર છે તે વધારે ભણે છે અને ઉન્નતિ ને પામે છે. એટલું
જરુર છે બેહદનાં બાપ અહીંયા છે. બ્રાહ્મણ બાળકોમાં પણ નંબરવાર છે. બાળકોને દેવીગુણ
પણ ધારણ કરવાનાં છે. કોઈ-કોઈ બાળકો થી મોટી-મોટી ગફલત થાય છે. સમજે પણ છે બેહદનાં
બાપ જેમને આખી સૃષ્ટિ યાદ કરે છે, તે આપણી સેવામાં ઉપસ્થિત છે અને આપણને ઊંચે થી
ઊંચા બનાવવાનો માર્ગ બતાવે છે. ખુબજ પ્રેમ થી સમજાવે છે તો પણ એટલો આદર આપતાં નથી.
બાંધેલીઓ કેટલો માર ખાય છે, તડપે છે તો પણ યાદ માં રહી જ્ઞાન સારું ઉઠાવી લે છે. પદ
પણ ઊંચું બની જાય છે. બાબા બધાં માટે નથી કહેતાં. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છે
જ. બાપ બાળકોને સાવધાન કરે છે, બધાં તો એક જેવાં જ હોઈ ન શકે. બાંધેલીઓ વગેરે બહાર
રહીને પણ વધારે કમાણી કરે છે. આ ગીત તો ભક્તિમાર્ગ વાળોઓનું બનાવેલ છે. પરંતુ તમારા
માટે અર્થ કરવા જેવું પણ છે, તે શું જાણે, પિયા કોણ છે, કોના પિયા છે? આત્મા પોતાને
જ નથી જાણતી તો બાપ ને કેવી રીતે જાણે. છે તો આત્માને. હું શું છું, ક્યાંથી આવી
છું - આ પણ ખબર નથી. બધાં છે દેહ-અભિમાની. આત્મા-અભિમાની કોઈ છે નહીં. જો
આત્મ-અભિમાની બને તો આત્માને પોતાના બાપની પણ ખબર હોય. દેહ-અભિમાની હોવાનાં કારણે ન
આત્મા ને, ન પરમપિતા પરમાત્મા ને જાણે છે. અહીં તો આપ બાળકોને બાપ બેસી સમ્મુખ
સમજાવે છે. આ બેહદની સ્કૂલ છે. એક જ લક્ષ્ય-હેતુ છે - સ્વર્ગની બાદશાહી પ્રાપ્ત કરવી.
સ્વર્ગમાં પણ ઘણા પદ છે. કોઈ રાજા-રાણી કોઈ પ્રજા. બાપ કહે છે-હું આવ્યો છું તમને
ફરીથી ડબલ સિરતાજ બનાવવાં. બધાં તો ડબલ સિરતાજ બની ન શકે. જે સારી રીતે ભણે છે તે
સ્વયં અંદર માં સમજે છે અમે આ બની શકીએ છીએ. સરેન્ડર (સમર્પણ) પણ છે, નિશ્ચય પણ છે.
બધાં સમજે છે આમનાથી કોઈ એવું છી-છી કામ નથી થતું. કોઈ-કોઈ માં બહુજ અવગુણ હોય છે.
તે થોડી સમજશે કે અમે કોઈ આટલું ઊંચ પદ પામશું એટલે પુરુષાર્થ જ નથી કરતાં. બાપ ને
પૂછે કે હું આ બની શકું છું, તો બાબા ઝટ બતાવશે. પોતાને જોશો તો ઝટ સમજશે બરાબર હું
ઊંચ પદ નથી પામી શકતો. લક્ષણ પણ જોઈએ ને. સતયુગ-ત્રેતામાં તો આવી વાતો હોતી નથી.
ત્યાં છે પ્રાલબ્ધ. પછી જે રાજાઓ હોય છે, તે પણ પ્રજાને બહુ જ પ્રેમ કરે છે. આ તો
માત-પિતા છે. આ પણ આપ બાળકો જ જાણો છો. આ તો બેહદનાં બાપ છે, આ આખી દુનિયા નું
રજીસ્ટર કરવા વાળા છે. તમે પણ રજીસ્ટર કરો છો ને. પાસપોર્ટ આપી રહ્યાં છો. સ્વર્ગ
નાં માલિક બનવા માટે અહીંયાથી તમને પાસપોર્ટ મળે છે. બાબાએ કહ્યું હતું બધાનો ફોટો
હોવો જોઈએ, જે વૈકુંઠ નાં લાયક છે કારણ કે તમે મનુષ્ય થી દેવતા બનો છો. બાજુ માં
તાજ કે તખ્ત વાળો ફોટો હોય. આપણે આ બની રહ્યાં છીએ. પ્રદર્શની વગેરેમાં પણ આ સેમ્પલ
રાખવું જોઈએ - આ છે જ રાજયોગ. સમજો બૅરીસ્ટર બને છે તો તે એક તરફ સાધારણ ડ્રેસમાં
હોય, એક તરફ બૅરીસ્ટરી ડ્રેસ. તેમ એક તરફ તમે સાધારણ, એક તરફ ડબલ સિરતાજ. તમારું એક
ચિત્ર છે ને - જેમાં પૂછો છો શું બનવા ઈચ્છો છો? આ બૅરીસ્ટર વગેરે બનવું છે કે
રાજાઓનાં રાજા બનવું છે. એવાં ચિત્ર હોવાં જોઈએ. બૅરીસ્ટર (વકીલ), જજ (નિર્ણાયક) તો
અહીંયા છે. તમારે રાજાઓનાં રાજા નવી દુનિયામાં બનવાનું છે. લક્ષ્ય-હેતુ સામે છે.
આપણે આ બની રહ્યાં છે. સમજણ કેટલી સરસ છે. ચિત્ર પણ મોટા સરસ હોય ફુલ સાઈઝ નાં. તે
બૅરીસ્ટરી ભણે છે તો યોગ બૅરીસ્ટર થી છે. બૅરીસ્ટર જ બને છે. આમનો યોગ પરમપિતા
પરમાત્મા થી છે તો ડબલ સિરતાજ બને છે. હવે બાપ સમજાવે છે બાળકોએ એક્ટ (કર્મ) માં
આવવું જોઈએ. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવવું બહુજ સહજ થશે. આપણે આ બની રહ્યાં
છીએ તો તમારા માટે જરુર નવી દુનિયા જોઈએ. નર્ક નાં પછી સ્વર્ગ.
હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ. આ ભણતર કેટલું ઉંચુ બનાવવા વાળું છે, આમાં પૈસા
વગેરે ની દરકાર નથી. ભણતર નો શોખ હોવો જોઈએ. એક વ્યક્તિ બહુજ ગરીબ હતો, ભણવા માટે
પૈસા નહોતાં. પછી ભણતાં-ભણતાં મહેનત કરીને એટલો સાહૂકાર થઈ ગયો જે ક્વીન વિક્ટોરિયા
(રાણી વિક્ટોરિયા) નો મિનિસ્ટર બની ગયો. તમે પણ હમણાં કેટલાં ગરીબ છો. બાપ કેટલું
ઊંચું ભણાવે છે. એમાં ફક્ત બુદ્ધિ થી બાપ ને યાદ કરવાનાં છે. બત્તી (દીવો) વગેરે
પ્રગટાવવાની પણ દરકાર નથી. ક્યાંય પણ બેઠાં યાદ કરો. પરંતુ માયા એવી છે જે બાપની
યાદ ભૂલાવી દે છે. યાદમાં જ વિઘ્ન પડે છે. આ જ તો યુદ્ધ છે ને. આત્મા પવિત્ર બને જ
છે બાપ ને યાદ કરવાથી. ભણતર માં માયા કંઈ નથી કરતી. ભણતર થી યાદનો નશો ઊંચ છે, એટલે
પ્રાચીન યોગ ગવાયેલ છે. યોગ અને જ્ઞાન કહેવાય છે. યોગનાં માટે જ્ઞાન મળે છે - આમ-આમ
યાદ કરો. અને પછી સૃષ્ટિ ચક્ર નું પણ જ્ઞાન છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત
ને બીજું કોઈ નથી જાણતું. ભારતનો પ્રાચીન યોગ શીખવાડે છે. પ્રાચીન તો કહેવાય છે નવી
દુનિયા ને. તેને પછી લાખો વર્ષ આપી દીધાં છે. કલ્પ ની આયુ પણ અનેક પ્રકારની બતાવે
છે. કોઈ શું કહે, કોઈ શું કહે. અહીંયા તમને એક જ બાપ ભણાવી રહ્યાં છે. તમે બહાર પણ
જશો, તમને ચિત્ર મળશે. આ તો વ્યાપારી છે ને. બાબા કહે કપડા પર છાપી શકાય છે. જો
કોઈની પાસે મોટી સ્ક્રીન પ્રેસ ન હોય તો અડધું-અડધું કરી દે. પછી સાંધો એવો કરી લે
છે જે ખબર જ નથી પડતી. બેહદનાં બાપ, મોટી સરકાર કહે છે, કોઈ છપાવીને દેખાડે તો હું
તેમનું નામ પ્રસિદ્ધ કરીશ.આ ચિત્ર કપડાં પર છપાવી કોઈ વિદેશ લઈ જાય તો તમને એક-એક
ચિત્ર નાં કોઈ ૫-૧૦ હજાર પણ આપી દે. પૈસા તો ત્યાં અઢળક છે. બની શકે છે, એટલી
મોટી-મોટી પ્રેસ છે, શહેરો નાં દૃશ્યો એવાં-એવાં છપાય છે-વાત ન પૂછો. આ પણ છાપી
શકાય છે. આ તો એવી ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે-કહેશે સાચું જ્ઞાન તો આમનામાં જ છે, બીજા
કોઈની પાસે તો છે જ નહીં. કોઈને ખબર જ નથી - પછી સમજાવવા વાળા પણ અંગ્રેજી માં
હોશિયાર જોઈએ. અંગ્રેજી તો બધાં જાણે છે. તેમને પણ સંદેશ તો આપવાનો છે ને. તે જ
વિનાશ અર્થે નિમિત્ત બનેલાં છે ડ્રામા અનુસાર. બાબાએ બતાવ્યું છે તેમની પાસે બોમ્બસ
વગેરે એવાં-એવાં છે જો બંને પરસ્પર મળી જાય તો આખાં વિશ્વનાં માલિક બની શકે છે.
પરંતુ આ ડ્રામા જ એવો બનેલો છે જે તમે યોગબળ થી વિશ્વની બાદશાહી લો છો. હથિયાર વગેરે
થી વિશ્વનાં માલિક બની ન શકાય. તે છે સાયન્સ (વિજ્ઞાન), તમારી છે સાઈલેન્સ (શાંતિ).
ફક્ત બાપને અને ચક્રને યાદ કરો, આપ સમાન બનાવો.
આપ બાળકો યોગબળ થી વિશ્વની બાદશાહી લઇ રહ્યાં છો. તે પરસ્પર લડશે પણ જરુર. માખણ વચમાં
તમને મળવાનું છે. કૃષ્ણનાં મુખ માં માખણનો ગોળો દેખાડે છે. કહેવત પણ છે બે આપસમાં
લડ્યાં, વચમાં માખણ ત્રીજો ખાઈ ગયો. છે પણ એવું. આખાં વિશ્વની રાજાઈનું માખણ તમને
મળે છે. તો તમને કેટલી ખુશી થવી જોઈએ. વાહ બાબા તમારી તો કમાલ છે. જ્ઞાન તો તમારું
જ છે. ખુબ સરસ સમજણ છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળાઓએ વિશ્વની બાદશાહી કેવી રીતે
પ્રાપ્ત કરી. આ કોઈ ને પણ ખ્યાલ માં નહીં હશે. એ સમયે બીજો કોઈ ખંડ હોતો નથી. બાપ
કહે છે હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને બનાવું છું. તમે ભણતર થી વિશ્વનાં માલિક
બનો છો. હું પરમાત્મા તો છું જ અશરીરી. તમને બધાને શરીર છે. દેહધારી છો. બ્રહ્મા
વિષ્ણુ શંકર ને પણ સૂક્ષ્મ શરીર છે. જેમ તમે આત્મા છો તેમ હું પણ પરમ આત્મા છું.
મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે, બીજું કોઈ પણ આવી રીતે જન્મ નથી લેતું. આ મુકરર (નિમિત્ત))
છે. આ બધું ડ્રામામાં નોંધ છે. કોઈ હમણાં મરી જાય છે-આ પણ ડ્રામા માં નોંધ છે.
ડ્રામાની સમજણ કેટલી મળે છે. સમજશે નંબરવાર. કોઈ તો ડલ બુદ્ધિ હોય છે. ૩ ગ્રેડસ (શ્રેણી)
હોય છે. પાછળનાં ગ્રેડ વાળા ને ડલ કહેવાય છે. પોતે પણ સમજે છે કે આ પહેલાં ગ્રેડમાં
છે, આ બીજામાં છે. પ્રજામાં પણ એવું જ છે. ભણતર તો એક જ છે. બાળકો જાણે છે આ ભણીને
અમે ડબલ સિરતાજ બનશું. આપણે ડબલ સિરતાજ હતાં પછી સિંગલ તાજ પછી તાજ વગર નાં બન્યાં.
જેવું કર્મ તેવું ફળ કહેવાય છે. સતયુગમાં એવું નહીં કહેશે. અહીંયા સારાં કર્મ કરશે
તો એક જન્મ માટે સારું ફળ મળશે. કોઈ એવાં કર્મ કરે છે જે જન્મ થી જ રોગી હોય છે. આ
પણ કર્મભોગ છે ને. બાળકો ને કર્મ, અકર્મ, વિકર્મ નું પણ સમજાવ્યું છે. અહીંયા જેવું
કરે છે તો એનું સારું અથવા ખરાબ ફળ પામે છે. કોઈ સાહૂકાર બને છે તો જરુર સારાં કર્મ
કર્યા હશે. હમણાં તમે જન્મ-જન્માંતર ની પ્રાલબ્ધ બનાવો છો. ગરીબ સાહૂકાર નો ફરક તો
ત્યાં રહે છે ને, હમણાં નાં પુરુષાર્થ અનુસાર. તે પ્રાલબ્ધ છે અવિનાશી ૨૧ જન્મોનાં
માટે. અહીંયા મળે છે અલ્પકાળ નું. કર્મ તો ચાલે છે ને. આ કર્મક્ષેત્ર છે. સતયુગ છે
સ્વર્ગ નું કર્મક્ષેત્ર. ત્યાં વિકર્મ થતાં જ નથી. આ બધી વાતો બુદ્ધિમાં ધારણ કરવાની
છે. કોઈ વિરલા છે જે સદૈવ પોઇન્ટ લખતાં રહે છે. ચાર્ટ પણ લખતાં-લખતાં પછી થાકી જાય
છે. આપ બાળકોએ પોઇન્ટસ લખવાં જોઈએ. ખુબ સુક્ષ્મ-સુક્ષ્મ પોઇન્ટસ છે. જે બધું તમે
ક્યારેય યાદ નહીં કરી શકો, ભૂલી જવાશે. પછી પછતાશો કે આ પોઇન્ટ તો અમે ભૂલી ગયાં.
બધાનો આ હાલ થાય છે. ભૂલી બહુજ જાય છે પછી બીજા દિવસે યાદ આવશે. બાળકોએ પોતાની
ઉન્નતિ માટે ખ્યાલ કરવાનો છે. બાબા જાણે છે કોઈ વિરલા યથાર્થ રીતે લખતાં હશે. બાબા
વ્યાપારી પણ છે ને. તે છે વિનાશી રત્નોનાં વ્યાપારી. આ છે જ્ઞાન રત્નોનાં. યોગમાં જ
ઘણાં બાળકો ફેલ (નપાસ) થાય છે. એક્યુરેટ યાદમાં કોઈ કલાક દોઢ કલાક પણ મુશ્કેલ રહી
શકે છે. ૮ કલાક તો પુરુષાર્થ કરવાનો છે. આપ બાળકોએ શરીર નિર્વાહ પણ કરવાનું છે.
બાબાએ આશિક માશૂક નું પણ ઉદાહરણ આપ્યું છે. બેઠા-બેઠા યાદ કર્યા અને ઝટ સામે આવી
જાય. આ પણ એક સાક્ષાત્કાર છે. તે એમને યાદ કરે, તે આમને યાદ કરે. અહીં તો પછી એક છે
માશૂક, તમે બધાં છો આશિક. એ સલોના (પ્રિય) માશૂક તો સદૈવ ગોરા છે. એવર પ્યોર (સદા
પવિત્ર). બાપ કહે છે હું મુસાફિર સદૈવ સુંદર છું. તમને પણ સુંદર બનાવું છું. આ
દેવતાઓની નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) છે. અહીંયા તો કેવી-કેવી ફેશન કરે છે.
ભિન્ન-ભિન્ન ડ્રેસ પહેરે છે. ત્યાં તો એકરસ નેચરલ બ્યુટી રહે છે. એવી દુનિયામાં હવે
થી તમે જાઓ છો. બાપ કહે છે હું જૂનાં પતિત દેશ, પતિત શરીર માં આવું છું. અહીંયા
પાવન શરીર છે નહીં. બાપ કહે છે હું આમનાં અનેક જન્મોનાં અંત માં પ્રવેશ કરી
પ્રવૃત્તિ માર્ગ ની સ્થાપના કરું છું. આગળ ચાલી તમે સર્વિસએબુલ (સેવાધારી) બનતાં જશો.
પુરુષાર્થ કરશો પછી સમજશો. પહેલાં પણ આવો પુરુષાર્થ કર્યો હતો, હવે કરી રહ્યાં છો.
પુરુષાર્થ વગર તો કંઈ પણ મળી ન શકે. તમે જાણો છો આપણે નર થી નારાયણ બનવાનો
પુરુષાર્થ કરી રહ્યાં છીએ. નવી દુનિયાની રાજધાની હતી, હમણાં નથી, ફરી હશે. આઈરન એજ
(કળયુગ) નાં પછી ફરી ગોલ્ડન એજ (સતયુગ) જરુર હશે. રાજધાની સ્થાપન થવાની જ છે. કલ્પ
પહેલાં માફક. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સમર્પણ નાં
સાથે-સાથે નિશ્ચયબુદ્ધિ બનવાનું છે. કોઈ પણ છી-છી કામ ન થાય. અંદર કોઈ પણ અવગુણ ન
રહે ત્યારે સારું પદ મળી શકે છે.
2. જ્ઞાન રત્નો નો વ્યાપાર કરવા માટે બાબા જે સારા-સારા પોઈન્ટસ સંભળાવે છે, એની
નોંધ કરવાની છે. પછી એને યાદ કરીને બીજાને સંભળાવવાનું છે. સદા પોતાની ઉન્નતિ નો
ખ્યાલ કરવાનો છે.
વરદાન :-
વાયરલેસ સેટ દ્વારા વિનાશકાળ માં અંતિમ ડાયરેક્શન ને કેચ કરવાવાળા વાઈસલેસ ભવ
વિનાશ નાં સમયે અંતિમ
ડાયરેક્શન ને કેચ કરવા માટે વાઈસલેસ (નિર્વિકારી) બુદ્ધિ જોઈએ. જેમ તે લોકો વાયરલેસ
સેટ દ્વારા એકબીજા સુધી અવાજ પહોંચાડે છે. અહીંયા છે વાઇસલેસ ની વાયરલેસ. આ વાયરલેસ
દ્વારા તમને અવાજ આવશે કે આ સેફ (સુરક્ષિત) સ્થાન પર પહોંચી જાઓ. બાળકો બાપ ની યાદમાં
રહેવા વાળા વાઇસલેસ છે, જેમને અશરીરી બનવાનો અભ્યાસ છે તે વિનાશ માં વિનાશ નહીં થશે
પરંતુ સ્વેચ્છાઈ થી શરીર છોડશે.
સ્લોગન :-
યોગ ને કિનારે
કરી કર્મ માં બીઝી (વ્યસ્ત) થઈ જવું - આ જ અલબેલાપણું છે.