17-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
એક - એક ને પરિસ્તાની બનાવવાનાં છે . તમે છો સર્વનું કલ્યાણ કરવા વાળા , તમારું
કર્તવ્ય છે ગરીબો ને સાહૂકાર બનાવવાં ”
પ્રશ્ન :-
બાપ નું કયું
નામ ભલે સાધારણ છે પરંતુ કર્તવ્ય ખુબ મહાન છે?
ઉત્તર :-
બાબા ને કહે છે બાગવાન-ખેવૈયા. આ નામ કેટલું સાધારણ છે પરંતુ ડૂબવા વાળા ને પાર લઇ
જવું, આ કેટલું મહાન કર્તવ્ય છે. જેમ તરવા વાળા તરવૈયા એકબીજાને હાથમાં હાથ આપી પાર
લઈ જાય છે, એમ બાપનો હાથ મળવાથી તમે સ્વર્ગવાસી બની જાઓ છો. હમણાં તમે પણ માસ્ટર
ખેવૈયા છો. તમે દરેક ની નાવ ને પાર લગાડવા નો રસ્તો બતાવો છો.
ઓમ શાંતિ!
યાદમાં તો
બાળકો બેઠાં જ હશે. પોતાને આત્મા સમજવાનું છે, દેહ પણ છે. એવું નથી કે વગર દેહ બેઠાં
છો. પરંતુ બાપ કહે છે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનીને બેસો. દેહી-અભિમાન છે
શુદ્ધ, દેહ-અભિમાન છે અશુદ્ધ. તમે જાણો છો દેહી-અભિમાની બનવાથી આપણે શુદ્ધ પવિત્ર
બની રહ્યાં છીએ. દેહ-અભિમાની બનવાથી અશુદ્ધ, અપવિત્ર બની ગયાં હતાં. પોકારે પણ છે
હેં પતિત-પાવન આવો. પાવન દુનિયા હતી. હમણાં પતિત છે ફરીથી પાવન દુનિયા જરુર થશે.
સૃષ્ટિનું ચક્ર ફરશે. જે આ સૃષ્ટિ ચક્ર ને જાણે છે એમને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી.
તમે દરેક સ્વદર્શન ચક્રધારી છો. સ્વ આત્માને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન મળ્યું છે.
જ્ઞાન કોણે આપ્યું? જરુર એ પણ સ્વદર્શન ચક્રધારી હશે. સિવાય બાપનાં બીજું કોઈ
મનુષ્ય શીખવાડી ન શકે. બાપ સુપ્રીમ રુહ જ બાળકોને શીખવાડે છે. કહે છે બાળકો તમે
દેહી-અભિમાની બનો. સતયુગમાં આ જ્ઞાન અથવા શિક્ષા આપવાની દરકાર નહીં રહે. ન ત્યાં
ભક્તિ છે. જ્ઞાન થી વારસો મળે છે. બાપ શ્રીમત આપે છે આવાં તમે શ્રેષ્ઠ બનશો. તમે
જાણો છો આપણે કબ્રિસ્તાની હતાં, હવે બાપ શ્રેષ્ઠ પરિસ્તાની બનાવે છે. આ જુની દુનિયા
કબ્રદાખલ થવાની છે. મૃત્યુલોક ને કબ્રિસ્તાન જ કહેશું. પરિસ્તાન નવી દુનિયાને
કહેવાય છે. ડ્રામા નું રહસ્ય બાપ સમજાવે છે. આ આખી સૃષ્ટિને ભંભોર કહેવાય છે.
બાબાએ સમજાવ્યું છે - આખી સૃષ્ટિ પર આ સમયે રાવણનું રાજ્ય છે. દશેરા પણ મનાવે છે,
કેટલાં ખુશ થાય છે. બાપ કહે છે બધાં બાળકોને દુઃખ થી છોડાવવા મારે પણ જૂની દુનિયામાં
આવવું પડે છે. એક કથા સંભળાવે છે. કોઈએ પૂછ્યું પહેલાં તમને સુખ જોઈએ કે દુઃખ? તો
બોલ્યાં સુખ જોઈએ. સુખમાં જશો તો ત્યાં કોઈ યમદૂત વગેરે આવી નહીં શકશે. આ પણ એક
વાર્તા છે. બાપ કહે છે, સુખધામ માં ક્યારેય કાળ આવતો નથી, અમરપુરી બની જાય છે. તમે
મૃત્યુ પર જીત પામો છો. તમે કેટલાં સર્વશક્તિમાન્ બનો છો. ત્યાં ક્યારેય એવું નહીં
કહેશું કે ફલાણા મરી ગયાં, મરવાનું નામ જ નથી. એક વસ્ત્ર બદલી ને બીજું લીધું. સાપ
પણ ખાલ બદલે છે ને. તમે પણ જૂની ખાલ છોડી નવી ખાલ અર્થાત્ શરીર માં આવશો. ત્યાં ૫
તત્વ પણ સતોપ્રધાન બની જાય છે. બધી ચીજો સતોપ્રધાન થઇ જાય છે. દરેક ચીજ ફળ વગેરે
ખુબ સરસ હોય છે. સતયુગ ને કહેવાય જ છે સ્વર્ગ. ત્યાં ખુબ ધનવાન હતાં. એમનાં જેવાં
સુખી વિશ્વનાં માલિક કોઈ હોઈ ન શકે. હવે તમે જાણો છો આપણે જ આ હતાં, તો કેટલી ખુશી
થવી જોઈએ. એક-એક ને પરિસ્તાની બનાવવાનાં છે, અનેકોનું કલ્યાણ કરવાનું છે. તમે ખુબ
સાહૂકાર બનો છો. તે બધાં છે ગરીબ. જ્યાં સુધી તમારા હાથમાં હાથ ન મળે ત્યાં સુધી
સ્વર્ગવાસી બની ન શકો. બાપનો હાથ તો બધાને નથી મળતો. બાપ નો હાથ મળે છે તમને. તમારો
હાથ પછી મળે છે બીજાઓને. બીજાઓનો પછી મળશે બીજાઓને. જેમ કોઇ તરવા વાળા હોય છે તો
એક-એક ને તે પાર લઈ જાય છે. તમે પણ માસ્ટર ખેવૈયા છો. અનેક ખેવૈયા બની રહ્યાં છે.
તમારો ધંધો જ આ છે. આપણે દરેક ની નાવ પર લગાડવાનો રસ્તો બતાવીએ. ખેવૈયા નાં બાળકો
ખેવૈયા બન્યાં. નામ કેટલું હલકું છે - બાગવાન, ખેવૈયા. હવે પ્રેક્ટિકલ તમે જુઓ છો.
તમે પરિસ્તાન ની સ્થાપના કરી રહ્યાં છો. તમારું યાદગાર સામે ઉભું છે. નીચે રાજયોગની
તપસ્યા, ઉપર રાજાઈ ઉભી છે. નામ પણ દેલવાડા ખુબ સરસ છે. બાપ બધાનું દિલ લે છે. સર્વની
સદ્દગતિ કરે છે. દિલ લેવાવાળા કોણ છે. આ થોડી કોઈને ખબર છે. બ્રહ્મા નાં પણ બાપ
શિવબાબા. બધાનું દિલ લેવાવાળા બેહદ નાં બાપ જ હશે. તત્વો વગેરે બધાનું કલ્યાણ કરે
છે, આ પણ બાળકોને સમજાવ્યું છે બીજા ધર્મ વાળાનાં શાસ્ત્ર વગેરે કાયમ છે. તમને
જ્ઞાન મળે જ છે સંગમ પર, પછી વિનાશ થઈ જાય છે તો કોઈ શાસ્ત્ર નથી રહેતાં. શાસ્ત્ર
છે ભક્તિમાર્ગની નિશાની. આ છે જ્ઞાન. ફરક જોયો ને. ભક્તિ અથાહ છે, દેવીઓ વગેરેની
પૂજા માં કેટલો ખર્ચો કરે છે. બાપ કહે છે આનાથી અલ્પકાળ નું સુખ છે. જેવી-જેવી ભાવના
રાખે છે તે પૂરી થાય છે. દેવીઓને સજાવતા-સજાવતા કોઈ ને સાક્ષાત્કાર થયો બસ ખુબ ખુશ
થઈ જાય. ફાયદો કંઈ પણ નથી. મીરાનું પણ નામ ગવાયેલું છે. ભક્તમાળા છે ને. સ્ત્રી માં
મીરા, પુરુષ માં નારદ શિરોમણી ભગત માનવામાં આવે છે. આપ બાળકોમાં પણ નંબરવાર છે.
માળાનાં દાણા તો અનેક છે. ઉપરમાં બાબા છે ફૂલ, પછી યુગલ મેરુ. ફૂલને બધાં નમસ્તે કરે
છે. એક-એક દાણાને નમસ્તે કરે. રુદ્ર યજ્ઞ રચે છે તો તેમાં પણ વધારે પૂજા શિવની કરે
છે. સાલિગ્રામો ની એટલી નથી કરતાં. બધો ખ્યાલ શિવની તરફ રહે છે કારણ કે શિવબાબા
દ્વારા જ સાલિગ્રામ આવાં પાવન બને છે, જેમ હમણાં તમે પાવન બની રહ્યાં છો. પતિત-પાવન
બાપનાં બાળકો તમે પણ માસ્ટર પતિત-પાવન છો. જો કોઈને રસ્તો નથી બતાવતાં તો પાઈ-પૈસાનું
પદ મળી જશે. છતાં પણ બાપ થી તો મળ્યાં ને. એ પણ ઓછું થોડી છે. સર્વનાં ફાધર (પિતા)
એક છે. કૃષ્ણનાં માટે થોડી કહેશે. કૃષ્ણ કોનાં ફાધર બનશે? કૃષ્ણ ને ફાધર નહીં કહેશે.
બાળક ને ફાધર થોડી કહી શકાય. ફાધર ત્યારે કહેવાય જયારે યુગલ બને, બાળકો જન્મે. પછી
તે બાળક ફાધર કહેશે. બીજું કોઈ કહી ન શકે. બાકી તો કોઈ પણ વૃદ્ધ ને બાપુજી કહી દે
છે. આ (શિવબાબા) તો સર્વનાં બાપ છે. ગાએ પણ છે બ્રધરહુડ (બંધુત્વ). ઈશ્વર ને
સર્વવ્યાપી કહેવાથી ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય છે.
આપ બાળકોને મોટી-મોટી સભાઓમાં સમજાવવું પડશે. હંમેશા ક્યાંય પણ ભાષણ પર જાઓ તો જે
ટોપિક (વિષય) પર ભાષણ કરવાનું છે તેનાં પર વિચાર સાગર મંથન કરી લખવું જોઈએ. બાપને
તો વિચાર સાગર મંથન નથી કરવાનું. કલ્પ પહેલાં જે સંભળાવ્યું હતું એ સંભળાવીને જશે.
તમારે તો ટોપિક પર સમજાવવાનું છે. પહેલાં લખીને પછી વાંચવું જોઈએ. ભાષણ કરવાનાં બાદ
પછી સ્મૃતિ માં આવે છે - આ-આ પોઈન્ટ્સ (વાત) નથી બતાવ્યાં. આ સમજાવ્યું હોત તો સારું
હતું. એવું થાય છે, કોઈને કોઈ પોઈન્ટ્સ ભૂલી જવાય છે. પહેલાં-પહેલાં તો બોલવું જોઈએ
- ભાઈ-બહેનો આત્મ-અભિમાની થઈને બેસો. આ તો ક્યારેય ભૂલવું ન જોઈએ. આવાં કોઈ સમાચાર
લખતું નથી. પહેલાં-પહેલાં બધાને કહેવાનું છે - આત્મ-અભિમાની થઈને બેસો. તમે આત્મા
અવિનાશી છો. હમણાં બાપ આવીને જ્ઞાન આપી રહ્યાં છે. બાપ કહે છે મને યાદ કરવાથી
વિકર્મ વિનાશ થશે. કોઈ પણ દેહધારી ને નહીં યાદ કરો. સ્વયં ને આત્મા સમજો, આપણે
ત્યાંના રહેવાવાળા છીએ. આપણા બાબા કલ્યાણકારી શિવ છે, આપણે આત્માઓ એમનાં બાળકો છીએ.
બાપ કહે છે આત્મ-અભિમાની બનો. હું આત્મા છું. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. ગંગા
સ્નાન વગેરે થી વિકર્મ વિનાશ નહીં થશે. બાપ નું ડાયરેક્શન (સલાહ) છે તમે મને યાદ કરો.
તે લોકો ગીતા વાંચે છે યદા યદાહિ ધર્મસ્ય….. કહે છે પરંતુ અર્થ કંઈ નથી જાણતાં. તો
બાબા સર્વિસ(સેવા) ની સલાહ આપે છે - શિવબાબા કહે છે સ્વયં ને આત્મા સમજી શિવબાબા ને
યાદ કરો. તેઓ સમજે છે કૃષ્ણએ કહ્યું, તમે કહેશો શિવબાબા આપણને બાળકોને કહે છે મને
યાદ કરો. જેટલું મને યાદ કરશો એટલાં સતોપ્રધાન બની ઉંચુ પદ પામશો. લક્ષ્ય-હેતુ પણ
સામે છે. પુરુષાર્થ થી ઉંચ પદ પામવાનું છે. તે તરફ વાળા પોતાનાં ધર્મમાં ઉંચ પદ
પામશે, આપણે બીજાનાં ધર્મ માં જતાં નથી. તે તો આવે જ છે અંત માં. તેઓ પણ જાણે છે
અમારી પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. ભારત સૌથી પ્રાચીન છે. પરંતુ ક્યારે હતું, તે
કોઇ નથી જાણતું. તેમને તો ભગવાન-ભગવતી પણ કહે છે, પરંતુ બાપ કહે ભગવાન-ભગવતી ન કહી
શકાય. ભગવાન તો એક જ હું છું. આપણે બ્રાહ્મણ છીએ. બાપને તો બ્રાહ્મણ નહીં કહેશું. એ
છે ઊંચે થી ઊંચા ભગવાન, એમનાં શરીર નું નામ નથી. તમારા બધાં શરીર નાં નામ પડે છે.
આત્મા તો આત્મા જ છે. એ પણ પરમ આત્મા છે. એ આત્મા નું નામ શિવ છે, એ છે નિરાકાર. ન
સૂક્ષ્મ, ન સ્થૂળ શરીર છે. એવું નથી કે એમનો આકાર નથી. જેમનું નામ છે, આકાર પણ જરુર
છે. નામ-રુપ વગર કોઈ ચીજ છે નહીં. પરમાત્મા બાપ ને નામ-રુપ થી ન્યારા કહેવું કેટલું
મોટું અજ્ઞાન છે. બાપ પણ નામ-રુપ થી ન્યારાં, બાળકો પણ નામ-રુપ થી ન્યારાં પછી તો
કોઈ સૃષ્ટિ જ ન હોય. તમે હવે સારી રીતે સમજાવી શકો છો. ગુરુ લોકો અંત માં સમજશે.
હમણાં તેઓની બાદશાહી છે.
તમે હમણાં ડબલ અહિંસક બનો છો. અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ ડબલ અહિંસક ગવાયેલ છે.
કોઈને હાથ લગાડવો, દુઃખ આપવું તે પણ હિંસા થઈ ગઈ. બાપ રોજ-રોજ સમજાવે છે -
મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું. મન્સા માં આવશે જરુર. સતયુગ માં મન્સામાં
પણ નથી આવતું. અહીંયા તો મન્સા-વાચા-કર્મણા આવે છે. આ અક્ષર તમે ત્યાં સાંભળશો પણ
નહીં. ન ત્યાં કોઈ સતસંગો વગેરે હોય છે. સતસંગ થાય જ છે સત દ્વારા, સત બનવાનાં માટે.
સત્ય એક જ બાપ છે. બાપ બેસી નર થી નારાયણ બનવાની કથા સંભળાવે છે, જેનાથી તમે નારાયણ
બની જાઓ છો. પછી ભક્તિમાર્ગ માં સત્યનારાયણ ની કથા ખુબ પ્રેમ થી સાંભળે છે. તમારું
યાદગાર દેલવાડા મંદિર જુવો કેવું સરસ છે. જરુર સંગમયુગ પર દિલ લીધું હશે. આદિદેવ અને
દેવી, બાળકો બેઠાં છે. આ છે સાચું યાદગાર. તેમની હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ નથી જાણતું
સિવાય તમારા. તમારું જ યાદગાર છે. આ પણ વન્ડર (અદ્દભુત) છે. લક્ષ્મી-નારાયણ નાં
મંદિર માં જશો તો તમે કહેશો આ અમે બની રહ્યાં છીએ. ક્રાઈસ્ટ પણ અહીંયા છે. ઘણાં કહે
છે ક્રાઈસ્ટ બેગર (ગરીબ) રુપ માં છે. તમોપ્રધાન અર્થાત્ બેગર થયાં ને. પુનર્જન્મ તો
જરુર લેશે ને. શ્રીકૃષ્ણ પ્રિન્સ તે હમણાં બેગર (ગરીબ) છે. ગોરા અને શ્યામ. તમે પણ
જાણો છો - ભારત શું હતું, હવે શું છે. બાપ તો છે જ ગરીબ નિવાઝ. મનુષ્ય દાન-પુણ્ય પણ
ગરીબો ને કરે છે ઈશ્વર અર્થ. અનેકોને અનાજ નથી મળતું. આગળ ચાલીને તમે જોશો મોટા-મોટા
સાહૂકારો ને પણ અનાજ નહીં મળશે. ગામડા-ગામડા માં પણ સાહૂકાર રહે છે ને, જેમને પછી
ડાકુ લોકો લૂંટી જાય છે. પદ માં ફરક તો રહે છે ને. બાપ કહે છે પુરુષાર્થ એવો કરો જે
નંબરવન માં જાઓ. શિક્ષક નું કામ છે સાવધાન કરવાનું. પાસ વિથ ઓનર થવાનું છે. આ બેહદ
ની પાઠશાળા છે. આ છે જ રાજાઈ સ્થાપન કરવાનાં માટે રાજ્યોગ. છતાં પણ જૂની દુનિયાનો
વિનાશ થવાનો છે. નહીં તો રાજાઈ ક્યાં કરશો. આ તો છે જ પતિત ધરણી.
મનુષ્ય કહે છે ગંગા પતિત-પાવની છે. બાપ કહે છે આ સમયે ૫ તત્વ બધાં તમોપ્રધાન પતિત
છે. બધું ગંદકી કચરો વગેરે ત્યાં જઈને પડે છે. માછલીઓ વગેરે પણ તેમાં રહે છે. પાણી
ની પણ એક જાણે દુનિયા છે. પાણીમાં જીવ કેટલાં રહે છે. મોટા-મોટા સાગર થી પણ કેટલું
ભોજન મળે છે. તે ગામ થઈ ગયું ને. ગામ ને પછી પતિત-પાવન કેવી રીતે કહેશું. બાપ સમજાવે
છે - મીઠા-મીઠા બાળકો, પતિત-પાવન એક બાપ છે. તમારી આત્મા અને શરીર પતિત થઈ ગયાં છે,
હવે મને યાદ કરો તો પાવન બની જશો. તમે વિશ્વનાં માલિક, સુંદર બની જાઓ છો. ત્યાં બીજો
કોઈ ખંડ હોતો નથી. ભારત નો જ ઓલરાઉન્ડ પાર્ટ (સર્વાંગી ભૂમિકા) છે. તમે બધાં
ઓલરાઉન્ડર છો. નાટક માં એક્ટર તો નંબરવાર આવે-જાય છે. આ પણ એવું છે. બાબા કહે છે તમે
સમજો આપણ ને ભગવાન ભણાવે છે. આપણે પતિત-પાવન ગોડ ફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય
વિદ્યાર્થી) છીએ, આમાં બધું આવી ગયું. પતિત-પાવન પણ થઈ ગયાં, ગુરુ શિક્ષક પણ થઈ ગયાં.
ફાધર (પિતા) પણ થઈ ગયાં. એ પણ નિરાકાર છે. આ છે ઇનકારપોરિયલ ગોડ ફાધરલી વર્લ્ડ
યુનિવર્સિટી (નિરાકાર ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). કેટલું સરસ નામ છે. ઈશ્વર ની કેટલી
મહિમા કરે છે. જ્યારે બિંદુ સાંભળે છે તો વન્ડર (અદ્દભુત) લાગે છે. ઈશ્વર ની મહિમા
એટલી કરે, અને ચીજ શું છે! બિંદી. એમનામાં પાર્ટ કેટલો ભરેલો છે. હવે બાપ કહે છે
દેહ હોવા છતાં, ગૃહસ્થ વ્યવહાર માં રહેવાં છતાં મામેકમ્ યાદ કરો. ભક્તિમાર્ગ માં જે
નૌધા ભક્તિ કરે છે, તેમને કહેવાય છે - સતોપ્રધાન નૌધા ભક્તિ. કેટલી પાક્કી ભક્તિ
હોય છે. હવે પછી તેજ રફતાર (ગતિ) જોઈએ - યાદની. તેજ યાદ કરવા વાળાનું જ ઉંચ નામ થશે.
વિજય માળા નાં દાણા બનશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. નર થી
નારાયણ બનવાનાં માટે રોજ સત્ય બાપ થી સાંભળવાનું છે. સત-સંગ કરવાનો છે. ક્યારેય
મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું.
2. વિજય માળા નાં દાણા બનવાં કે પાસ વિથ ઓનર થવાનાં માટે યાદ ની રફતાર તેજ કરવાની
છે. માસ્ટર પતિત-પાવન બની સર્વને પાવન બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
મરજીવા જન્મની
સ્મૃતિ થી સર્વ કર્મબંધનો ને સમાપ્ત કરવા વાળા કર્મયોગી ભવ
આ મરજીવા દિવ્ય જન્મ
કર્મબંધની જન્મ નથી, આ કર્મયોગી જન્મ છે. આ અલૌકિક દિવ્ય જન્મ માં બ્રાહ્મણ આત્મા
સ્વતંત્ર છે ન કે પરતંત્ર. આ દેહ લોન (ઉધાર) માં મળેલું છે, આખાં વિશ્વની સેવાનાં
માટે જૂનાં શરીર માં બાપ શક્તિ ભરીને ચલાવી રહ્યાં છે, જવાબદારી બાપની છે, ન કે
તમારી. બાપે ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યું છે કે કર્મ કરો, તમે સ્વતંત્ર છો, ચલાવવા
વાળા ચલાવી રહ્યાં છે. આ જ વિશેષ ધારણા થી કર્મબંધનો ને સમાપ્ત કરી કર્મયોગી બનો.
સ્લોગન :-
સમય ની સમીપતા
નું ફાઉન્ડેશન (પાયો) છે - બેહદની વૈરાગ્ય વૃત્તિ.