24-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
છો સાચાં - સાચાં પરવાના જે હમણાં શમા પર ફિદા થાઓ છો , એ ફિદા થવાની જ યાદગાર આ
દિવાળી છે ”
પ્રશ્ન :-
બાબાએ પોતાનાં
બાળકોને કયા સમાચાર સંભળાવ્યાં છે?
ઉત્તર :-
બાબાએ સંભળાવ્યું - તમે આત્માઓ નિર્વાણધામ થી કેવી રીતે આવો છો અને હું કેવી રીતે
આવું છું. હું કોણ છું, શું કરું છું, કેવી રીતે રામરાજ્ય સ્થાપન કરું છું, કેવી
રીતે આપ બાળકોને રાવણ પર વિજય બનાવું છું. હમણાં આપ બાળકો આ બધી વાતોને જાણો છો.
તમારી જયોતી જાગેલી છે.
ગીત :-
તુમ્હીં હો માતા …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આત્માઓએ આ શરીરની કર્મેન્દ્રિયોથી ગીત સાંભળ્યું.
ગીતમાં પહેલાં તો ઠીક હતું. પાછળ થી પછી ભક્તિનાં અક્ષર હતાં. તમારા ચરણો ની ધૂળ
છીએ. હવે બાળકો ચરણોની ધૂળ થોડી હોય છે. આ ખોટું છે. બાપ બાળકોને સાચાં અક્ષર સમજાવે
છે. બાપ આવે પણ ત્યાંથી છે જ્યાંથી બાળકો આવે છે, તે છે નિર્વાણધામ. બાળકોને બધાનાં
આવવાનાં સમાચાર તો સંભળાવ્યાં. પોતાનાં પણ સંભળાવ્યાં કે હું કેવી રીતે આવું છું,
આવીને શું કરું છું. રામરાજ્ય સ્થાપન કરવા અર્થ રાવણ પર વિજય પહેરાવું છું. બાળકો
જાણે છે - રામરાજ્ય અને રાવણરાજ્ય આ પૃથ્વી પર જ કહેશું. હમણાં તમે વિશ્વનાં માલિક
બનો છો. ધરતી, આકાશ, સૂર્ય વગેરે બધાં તમારા હાથ આવી જાય છે. તો કહેશે રાવણ રાજ્ય
આખાં વિશ્વ પર અને રામરાજ્ય પણ આખાં વિશ્વ પર છે. રાવણરાજ્ય માં કેટલાં કરોડ છે,
રામરાજ્ય માં થોડાક હોય છે પછી ધીરે-ધીરે વૃદ્ધિને પામે છે. રાવણરાજ્ય માં વૃદ્ધિ
બહુજ થાય છે કારણ કે મનુષ્ય વિકારી બની જાય છે. રામરાજ્ય માં છે નિર્વિકારી. મનુષ્યો
ની જ કથા છે. તો રામ પણ બેહદનાં માલિક, રાવણ પણ બેહદનો માલિક છે. હમણાં કેટલાં અનેક
ધર્મ છે. ગવાયેલું છે અનેક ધર્મો નો વિનાશ. બાબાએ ઝાડ પર પણ સમજાવ્યું છે.
હવે દશેરા મનાવે છે, રાવણને બાળે છે. આ છે હદ નું બાળવું. તમારી તો છે બેહદની વાતો.
રાવણ ને પણ ફક્ત ભારતવાસી બાળે છે, વિદેશમાં પણ જ્યાં-જ્યાં ભારતવાસી વધારે હશે ત્યાં
પણ બાળશે. તે છે હદનો દશેરા. દેખાડે છે લંકા માં રાવણ રાજ્ય કરતો હતો, સીતાને ચોરી
ને લંકામાં લઈ ગયો. આ થઈ ગઈ હદ ની વાતો. હવે બાપ કહે છે આખાં વિશ્વ પર રાવણનું
રાજ્ય છે. રામરાજ્ય હમણાં નથી. રામરાજ્ય અર્થાત્ ઈશ્વર નું સ્થાપન કરેલું. સતયુગ ને
કહેવાય છે રામરાજ્ય. માળા સિમરે છે, રઘુપતિ રાઘવ રાજારામ કહે છે પરંતુ રાજારામ ને
નથી સિમરતાં, જે આખાં વિશ્વની સેવા કરે છે, એમની માળા સિમરે છે.
ભારતવાસી દશેરાનાં પછી દિવાળી મનાવે છે. દિવાળી કેમ મનાવે છે? કારણ કે દેવતાઓની
તાજપોશી થાય છે. કોરોનેશન (રાજ્યભિષેક) પર બત્તીઓ (લાઇટો) વગેરે બહુજ પ્રગટાવે છે.
એક તો તાજપોશી બીજું પછી કહેવાય છે - ઘર-ઘર માં દીપમાળા. દરેક આત્મા ની જ્યોત જાગી
જાય છે. હમણાં બધી આત્માઓની જ્યોત બુઝાઈ ગયેલી છે. આયરન એજ (કળયુગ) છે એટલે અંધારું
છે. અંધારુ એટલે ભક્તિ માર્ગ. ભક્તિ કરતાં-કરતાં જ્યોત ઓછી થઈ જાય છે. બાકી તે
દીપમાળા તો આર્ટિફિશિયલ (બનાવટી) છે. એવું નથી કે રાજ્યભિષેક થાય છે તો આતીશબાજી
પ્રગટાવે છે. દીપમાળા પર લક્ષ્મી ને બોલાવે છે. પૂજા કરે છે. આ ઉત્સવ છે ભક્તિમાર્ગ
નો. જે પણ રાજા તખ્ત પર બેસે છે તો એમનો રાજ્યાભિષેક દિવસ ધૂમધામ થી મનાવાય છે. આ
બધું છે એ હદ નું. હવે તો બેહદ નો વિનાશ, સાચો-સાચો દશેરા થવાનો છે. બાપ આવ્યાં છે
બધાની જ્યોત જગાડવાં. મનુષ્ય સમજે છે અમારી જ્યોત મોટી જ્યોત થી મળી જશે.
બ્રહ્મસમાજ નાં મંદિરમાં સદૈવ જ્યોત જાગતી હોય છે. સમજે છે જેમ પરવાના જ્યોતિ પર
ફેરી ફરી પછી ફિદા થાય છે તેમ અમારી પણ આત્મા હવે મોટી જ્યોત માં મળી જશે. આનાં પર
દૃષ્ટાંત બનાવ્યું છે. હવે તમે છો અડધાકલ્પ નાં આશિક. તમે આવીને એક માશૂક પર ફિદા
થયાં છો, બળવાની તો વાત નથી. જેમ તે આ આશિક-માશૂક હોય છે તો તે એક-બીજા નાં આશિક બની
જાય છે. અહીંયા તે એક જ માશૂક છે, બાકી બધાં છે આશિક. આશિક એ માશૂક ને ભક્તિમાર્ગમાં
યાદ કરતાં રહે છે. માશૂક તમે આવો તો અમે તમારા પર બલી ચઢીએ. તમારા સિવાય અમે કોઈને
પણ યાદ નહીં કરશું. આ તમારો શારીરિક પ્રેમ નથી. તે આશિક-માશૂક નો શારીરિક પ્રેમ હોય
છે. બસ એક-બીજા ને જોતાં રહે છે, જોવાથી જ જાણે તૃપ્ત થઈ જાય છે. અહીંયા તો એક
માશૂક બાકી બધાં છે આશિક. બધાં બાપ ને યાદ કરે છે. ભલે કોઈ કુદરત વગેરે ને પણ માને
છે. છતાં પણ ઓ ગોડ, હેં ભગવાન મુખ થી જરુર નીકળે છે. બધાં એમને બોલાવે છે, અમારા
દુઃખ દૂર કરો. ભક્તિમાર્ગ માં તો બહુજ આશિક માશૂક હોય છે, કોઈ કોઈનાં આશિક, કોઈ
કોઈનાં આશિક. હનુમાનનાં કેટલાં આશિક હશે? બધાં પોત-પોતાનાં માશૂકનાં ચિત્ર બનાવીને
પછી પરસ્પર મળીને બેસી તેમની પૂજા કરે છે. પૂજા કરી પછી માશૂક ને ડુબાડી દે છે.
અર્થ કંઈ પણ નથી નીકળતો. અહીંયા તે વાત નથી. આ તમારા માશૂક એવર (સદા) ગોરા છે,
ક્યારેય કાળા (શ્યામ) બનતાં નથી. બાપ મુસાફર આવીને બધાને ગોરા બનાવે છે. તમે પણ
મુસાફર છો ને. દૂરદેશ થી આવીને અહીંયા પાર્ટ ભજવો છે. તમારામાં પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર સમજે છે. હવે તમે ત્રિકાળદર્શી બની ગયાં છો. રચતા અને રચના નાં
આદિ-મધ્ય-અંત ને જાણો છો તો તમે થઈ ગયાં ત્રિકાળદર્શી બ્રહ્માકુમાર-કુમારીઓ. જેમ
જગતગુરુ વગેરે ને પણ ટાઇટલ (શીર્ષક) મળે છે ને. તમને આ ટાઇટલ મળે છે. તમને સૌથી સારું
ટાઇટલ મળે છે સ્વદર્શન ચક્રધારી. તમે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી છો કે શિવાબાબા
પણ છે? (શિવબાબા પણ છે) હાં, કારણ કે સ્વદર્શન ચક્રધારી આત્મા હોય છે ને - શરીરની
સાથે. બાપ પણ આમનામાં આવી ને સમજાવે છે. શિવબાબા સ્વદર્શન ચક્રધારી ન હોય તો તમને
કેવી રીતે બનાવે. એ સૌથી સુપ્રીમ ઊંચે થી ઊંચી આત્મા છે. દેહ ને થોડી કહેવાય. એ
સુપ્રીમ બાપ જ આવીને તમને સુપ્રીમ બનાવે છે. સ્વદર્શન ચક્રધારી આત્માઓ સિવાય કોઈ બની
ન શકે. કઈ આત્માઓ? જે બ્રાહ્મણ ધર્મમાં છે. જ્યારે શુદ્ર ધર્મ માં હતાં, તો નહોતા
જાણતાં. હવે બાપ દ્વારા તમે જાણ્યું છે. કેટલી સારી-સારી વાતો છે. તમે જ સાંભળો છો
અને ખુશ થાઓ છો. બહારવાળા આ સાંભળે તો આશ્ચર્ય ખાય, ઓહો! આ તો બહુ જ ઊંચું જ્ઞાન
છે. અચ્છા, તમે પણ આવાં સ્વદર્શન ચક્રધારી બનો તો પછી ચક્રવર્તી રાજા વિશ્વનાં
માલિક બની જશો. અહીંયા થી બહાર ગયાં ખલાસ. માયા એટલી બહાદુર છે, અહીંયાની જ અહીંયા
જ રહી. જેમ ગર્ભમાં બાળક વાયદો કરી નીકળે છે પછી ત્યાનો ત્યાં જ રહી જાય છે. તમે
પ્રદર્શની વગેરેમાં સમજાવો છો, બહુ જ સારું-સારું કરે છે. જ્ઞાન બહુ જ સારું છે,
હું આવો પુરુષાર્થ કરીશ, આ કરીશ….. બસ બહાર નીકળ્યાં, ત્યાંના ત્યાં જ રહ્યું. પરંતુ
છતાં પણ કંઈ ને કંઈ અસર રહે છે. એવું નથી કે તે પછી આવશે નહીં. ઝાડની વૃદ્ધિ થતી જશે.
ઝાડ વૃદ્ધિને પામશે તો પછી બધાને ખેંચશે. હમણાં તો આ છે રૌરવ નર્ક. ગરુડ પુરાણ માં
પણ એવી-એવી રોચક વાતો લખી છે, જે મનુષ્યને સંભળાવે છે જેથી થોડોક ડર રહે. એનાથી જ
નીકળ્યું છે કે મનુષ્ય સર્પ વીંછી વગેરે બને છે. બાપ કહે છે હું તમને વિષય વૈતરણી
નદી થી કાઢીને ક્ષીરસાગરમાં મોકલી દઉં છું. અસલમાં તમે શાંતિધામનાં નિવાસી હતાં. પછી
સુખધામ માં પાર્ટ ભજવવા આવ્યાં. હવે ફરી આપણે જઈએ છે શાંતિધામ અને સુખધામ. આ ધામ તો
યાદ કરશો ને. ગવાય પણ છે તુમ માતા-પિતા……. તે સુખ ઘનેરા તો હોય જ છે સતયુગ માં. હમણાં
છે સંગમ. અહીંયા અંતમાં ત્રાહિ-ત્રાહિ કરશે કારણ કે અતિ દુ:ખ હોય છે. પછી સતયુગ માં
અતિ સુખ હશે. અતિ સુખ અને અતિ દુઃખનો આ ખેલ બનાવેલો છે. વિષ્ણુ અવતાર પણ દેખાડે છે.
લક્ષ્મી-નારાયણની જોડી જેમ ઉપર થી આવે છે. હવે ઉપર થી શરીરધારી કોઈ આવે થોડી છે.
ઉપર થી આવે તો છે દરેક આત્મા. પરંતુ ઈશ્વર નું અવતરણ બહુ જ વિચિત્ર છે, એ જ આવીને
ભારત ને સ્વર્ગ બનાવે છે. એમનો તહેવાર શિવજયંતી મનાવે છે. જો ખબર હોત કે પરમપિતા
પરમાત્મા શિવ જ મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપે છે તો પછી આખાં વિશ્વમાં ગોડફાધર નો
તહેવાર મનાવે. બેહદનાં બાપની યાદગાર મનાવે ત્યારે, જ્યારે સમજે કે શિવબાબા જ
લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. એમનો જન્મ જ ભારત માં થાય છે. શિવજયંતી
પણ ભારત માં મનાવે છે. પરંતુ પૂરો પરિચય નથી તો હોલીડે (રજા) પણ નથી કરતાં. જે બાપ
સર્વ ની સદ્દગતિ કરવા વાળા, એમની જન્મભુમિ જ્યાં અલૌકિક કર્તવ્ય આવીને કરે છે, એમનો
જન્મદિવસ અને તીર્થયાત્રા તો ખુબ મનાવવી જોઈએ. તમારું યાદગાર મંદિર પણ અહીંયા જ છે.
પરંતુ કોઈને ખબર નથી કે શિવબાબા જ આવીને લિબરેટર, ગાઈડ બને છે. કહે બધાં છે કે બધાં
દુઃખો થી છોડાવીને સુખધામ માં લઈ જાઓ પરંતુ સમજતાં નથી. ભારત ખુબ ઊંચે થી ઊંચો ખંડ
છે. ભારતની મહિમા અપરમપાર ગવાયેલી છે. ત્યાં જ શિવબાબા નો જન્મ થાય છે, એમને કોઈ
માનતું નથી. સ્ટેમ્પ (મૂર્તિ) નથી બનાવતાં. બીજાઓની તો ખુબજ બનાવતાં રહે છે. હવે
કેવી રીતે સમજાવાય જે એમનાં મહત્વ ની બધાને ખબર પડે. વિદેશ માં પણ સન્યાસી વગેરે
જઈને ભારતનો પ્રાચીન યોગ શીખવાડે છે, જ્યારે તમે આ રાજ્યોગ બતાવશો તો તમારું ખુબજ
નામ થશે. બોલો, રાજયોગ કોણે શીખવાડ્યો હતો, આ કોઈને ખબર નથી. કૃષ્ણએ પણ હઠયોગ તો
શીખવાડયો નથી. આ હઠયોગ છે સંન્યાસીઓનો. જે બહુ જ સારાં ભણેલા-ગણેલા છે જે પોતાને
ફિલોસોફર (તત્વજ્ઞાની) કહેવડાવે છે, તે આ વાતોને સમજી અને સુધરી જાય, કહે અમે પણ
શાસ્ત્ર વાંચ્યા છે, પરંતુ હવે જે બાપ સંભળાવે છે તે સાચું છે. બાકી બધું છે ખોટું.
તો તેઓ પણ સમજે કે બરાબર મોટામાં મોટું તીર્થસ્થાન આ છે, જ્યાં બાપ આવે છે. આપ બાળકો
જાણો છો આને કહેવાય છે-ધર્મભૂમિ. અહીંયા જેટલાં ધર્માત્મા રહે છે એટલાં બીજે ક્યાંય
નથી. તમે કેટલું દાન-પુણ્ય કરો છો. બાપને જાણીને, તન-મન-ધન બધું આ સેવામાં લગાવી દો
છો. બાપ જ બધાને લિબરેટ કરે છે. બધાને દુ:ખો થી છોડાવે છે. બીજા ધર્મ સ્થાપક કોઈ
દુઃખ થી નથી છોડાવતાં. તે તો આવે જ છે એમની પાછળ. નંબરવાર બધાં પાર્ટ ભજવવા આવે છે.
પાર્ટ ભજવતાં-ભજવતાં તમોપ્રધાન બની જાય છે. પછી બાપ આવીને સતોપ્રધાન બનાવે છે. આ
ભારત કેટલું મોટું તીર્થ છે. ભારત સૌથી નંબરવન ઊંચી ભૂમિ છે. બાપ કહે છે મારી આ
જન્મભૂમિ છે. હું આવીને બધાની સદ્દગતિ કરું છું. ભારતને સ્વર્ગ બનાવી દઉં છું.
આપ બાળકો જાણો છો બાપ સ્વર્ગનાં માલિક બનાવવા આવ્યાં છે. આવાં બાપને ખુબજ પ્રેમ થી
યાદ કરો. તમને જોઈ બીજા પણ એવાં કર્મ કરશે. આને જ કહેવાય છે - અલૌકિક દિવ્ય કર્મ.
એવું નહીં સમજો કોઈ નહીં જાણશે. એવાં નીકળશે જે તમારા આ ચિત્ર પણ લઈ જશે. સારાં-સારાં
ચિત્ર બને તો સ્ટીમર ભરીને લઈ જશે. સ્ટીમર જ્યાં-જ્યાં ઉભું રહે છે ત્યાં આ ચિત્ર
લગાવી દેશે. તમારી બહુજ સર્વિસ (સેવા) થવાની છે. બહુ જ ઉદારચિત્ત હૂંડી ભરવા વાળા
સાંવલશાહ પણ નીકળશે જે આવાં કામ કરવા લાગી જાય છે. જેથી બધાને ખબર પડે કે આ કોણ છે
જે આ જૂની દુનિયાને બદલી અને નવી દુનિયા સ્થાપન કરે છે. તમારી પણ પહેલાં તુચ્છ
બુદ્ધિ હતી, હવે તમે કેટલાં સ્વચ્છ બુદ્ધિ બન્યાં છો. જાણો છો આપણે આ જ્ઞાન અને
યોગબળ થી વિશ્વ ને સ્વર્ગ બનાવીએ છીએ. બાકી બધાં મુક્તિધામમાં ચાલ્યાં જશે. તમારે
પણ ઓથોરિટી (અનુભવી) બનવાનું છે. બેહદનાં બાપનાં બાળકો છો ને. શક્તિ મળે છે યાદ થી.
બાપને વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી કહેવાય છે. બધાં વેદો શાસ્ત્રોનો સાર બતાવે છે. તો
બાળકોને કેટલો ઉમંગ રહેવો જોઈએ સર્વિસ નો. મુખ થી જ્ઞાન રત્નોનાં સિવાય બીજું કંઈ ન
નીકળે. તમે દરેક રુપ-વસંત છો. તમે જુઓ છો આખી દુનિયા હરીભરી બની જાય છે. બધું જ નવું,
ત્યાં દુઃખ નું નામ નથી. પાંચ તત્વ પણ તમારી સર્વિસ (સેવા) માં હાજર રહે છે. હમણાં
તે (પ્રકૃતિ) ડિસસર્વિસ કરે છે કારણ કે મનુષ્ય લાયક નથી. બાપ હવે લાયક બનાવે છે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત
બની મુખ થી સદૈવ જ્ઞાન રત્ન જ નીકળવાનાં છે. સર્વિસ નાં ઉમંગમાં રહેવાનું છે. યાદ
માં રહેવું અને બધાં ને બાપ ની યાદ અપાવવી - આ જ દિવ્ય અલૌકિક કાર્ય કરવાનું છે.
2. સાચાં-સાચાં આશિક બની એક માશૂક પર ફીદા થવાનું છે અર્થાત્ બલી ચઢવાનું છે, ત્યારે
સાચી દિવાળી થશે.
વરદાન :-
ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંને ની સમાનતા દ્વારા સદા હલકા અને સફળ ભવ
બધાં બાળકોને શરીર
નિર્વાહ અને આત્મા નિર્વાહ ની ડબલ સેવા મળેલી છે. પરતું બંનેવ સેવાઓમાં સમય નું,
શક્તિઓનું સમાન એટેન્શન (ધ્યાન) જોઈએ. જો શ્રીમત નો કાંટો ઠીક છે તો બંને બાજુ સમાન
હશે. પરંતુ ગૃહસ્થ શબ્દ બોલતાં જ ગૃહસ્થી બની જાઓ છો તો બહાનાબાજી શરું થઈ જાય છે
એટલે ગૃહસ્થી નહીં ટ્રસ્ટી છીએ, આ સ્મૃતિ થી ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર
બંને માં સમાનતા રાખો આ તો સદા હલકા છે અને સફળ રહેશો.
સ્લોગન :-
ફર્સ્ટ ડિવિઝન
(પ્રથમ શ્રેણી) માં આવવા માટે કર્મેન્દ્રિય જીત, માયાજીત બનો.