20-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે છો આધ્યાત્મિક , રુહાની ગુપ્ત સેલવેશન આર્મી ( સૈનિક ), તમારે આખી દુનિયાને સેલવેજ કરવાની છે , ડૂબેલા બેડા ને પાર લગાવવાનો છે ”

પ્રશ્ન :-
સંગમ પર બાપ કઈ યુનિવર્સિટી ખોલે છે જે આખાં કલ્પ માં નથી હોતી?

ઉત્તર :-
રાજાઈ પ્રાપ્ત કરવા માટે ભણવાની ગોડ ફાધરલી યુનિવર્સિટી અથવા કોલેજ સંગમ પર બાપ જ ખોલે છે. આવી યુનિવર્સિટી આખાં કલ્પ માં નથી હોતી. આ યુનિવર્સિટી માં ભણવાનું ભણીને તમે ડબલ સિરતાજ રાજાઓનાં રાજા બનો છો.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો થી પહેલાં-પહેલાં બાબા પૂછે છે અહીંયા આવીને જ્યારે બેસો છો તો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો છો? કારણ કે અહીંયા તમને કોઈ ધંધાદોરી, મિત્ર-સંબંધી વગેરે પણ નથી. તમે આ વિચાર કરીને આવો છો કે અમે બેહદનાં બાપ ને મળવાં જઈએ છીએ. કોણ કહે છે? આત્મા શરીર દ્વારા બોલે છે. પારલૌકિક બાપે આ શરીર ઉધાર પર લીધું છે, એનાથી સમજાવે છે. આ એક જ વાર થાય છે જે બેહદ નાં બાપ આવીને શીખવાડે છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી તમારો બેડો પાર થશે. દરેક નો બેડો ડૂબેલો છે, જે જેટલો પુરુષાર્થ કરશે એટલો બેડો પાર થશે. ગવાય છે ને- હેં માઝી (કેવટ) બેડી (નૈયા) મારી પાર લગાવો. હકીકત માં દરેકે પોતાનાં પુરુષાર્થ થી પાર જવાનું છે. જેમ તરતાં શીખવાડે છે પછી શીખી જાય છે તો જાતે જ તરે છે. તે બધી છે શારીરિક વાતો. આ છે રુહાની વાતો. તમે જાણો છો આત્મા હમણાં કીચડ નાં દુબન (નર્ક) માં ફસાઈ ગઈ છે. આનાં પર હરણ નું પણ ઉદાહરણ આપે છે. પાણી સમજી જાય છે, પરંતુ તે હોય છે કીચડ, તો એમાં ફસાઇ જાય છે. ક્યારેક-ક્યારેક સ્ટીમર, મોટરો વગેરે પણ કીચડ માં ફસાઇ જાય છે. પછી તેને સેલવેજ કરે છે. તે બધાં છે સેલવેશન આર્મી. તમે છો રુહાની. તમે જાણો છો બધાં માયા નાં દુબન માં બહુ જ ફસાયેલાં છે, આને માયાનું દુબન કહેવાય છે. બાપ આવી ને સમજાવે છે - આનાથી તમે કેવી રીતે નીકળી શકો છો. તેઓ સેલવેજ કરે છે, તેમાં મદદ જોઈએ મનુષ્યની મનુષ્ય ને. અહીંયા તો પછી આત્મા જઈને દુબન માં ફસાઈ છે. બાપ રસ્તો બતાવે છે આનાથી તમે કેવી રીતે નીકળી શકો છો. પછી બીજાઓને પણ રસ્તો બતાવી શકો છો. પોતાને અને બીજાને રસ્તો બતાડવાનો છે કે તમારી નાવ આ વિષય સાગર થી ક્ષીર સાગર માં કેવી રીતે જાય. સતયુગ ને કહે છે ક્ષીર સાગર અર્થાત્ સુખનો સાગર. આ છે દુઃખનો સાગર. રાવણ દુઃખનાં સાગર માં ડુબાડે છે. બાપ આવીને સુખનાં સાગર માં લઈ જાય છે. તમને રુહાની સેલવેશન આર્મી કહેવાય છે. તમે શ્રીમત પર બધાને રસ્તો બતાવો છો. દરેક ને સમજાવો છો - બે બાપ છે, એક હદનાં, બીજા બેહદનાં. લૌકિક બાપ હોવા છતાં પણ બધાં પારલૌકિક બાપ ને યાદ કરે છે પરંતુ એમને જાણતાં બિલકુલ નથી. બાબા કોઈ ગ્લાનિ નથી કરતાં પરંતુ ડ્રામાનું રહસ્ય સમજાવે છે. આ પણ સમજાવવા માટે જ કહે છે કે આ સમયે બધાં મનુષ્ય માત્ર પાંચ વિકારરુપી દલદલ માં ફસાયેલા આસુરી સંપ્રદાય છે. દૈવી સંપ્રદાય ને આસુરી સંપ્રદાય જઈને નમન કરે છે કારણ કે તે સંપૂર્ણ નિર્વિકારી છે. સંન્યાસીઓને નમન કરે છે તે પણ ઘરબાર છોડીને જાય છે. પવિત્ર રહે છે. આ સંન્યાસીઓ અને દેવતાઓમાં રાત-દિવસ નો ફરક છે. દેવતાઓનો તો જન્મ પણ યોગબળ થી થાય છે. આ વાતોને કોઈ જાણતું નથી. બધાં કહે છે ઈશ્વરની ગતિ મત ન્યારી, ઈશ્વર નો અંત નથી પામી શકાતું. ફક્ત ઈશ્વર કે ભગવાન કહેવાથી એટલો પ્રેમ નથી આવતો. સૌથી સારો અક્ષર છે બાપ. મનુષ્ય બેહદનાં બાપ ને નથી જાણતાં તો જેમ ઓરફન (અનાથ) છે.

મેગેઝીનમાં પણ કાઢ્યું છે, મનુષ્ય શું કહે અને ભગવાન શું કહે છે. બાપ કોઈ ગાળ નથી આપતાં, બાળકો ને સમજાવે છે કારણ કે બાપ તો બધાને જાણે છે ને. સમજાવવા માટે કહે છે - આમનામાં આસુરી ગુણ છે, પરસ્પર લડતાં રહે છે. અહીંયા તો લડવાની દરકાર નથી. તે છે કૌરવ અર્થાત્ આસુરી સંપ્રદાય. આ છે દૈવી સંપ્રદાય. બાપ સમજાવે છે - મનુષ્ય, મનુષ્ય ને મુક્તિ કે જીવનમુક્તિ માટે રાજ્યોગ શીખવાડે આ થઇ નથી શકતું. આ સમયે બાપ જ આપ આત્માઓને શીખવાડી રહ્યાં છે. દેહ-અભિમાન, દેહી-અભિમાન માં ફરક જુઓ કેટલો છે. દેહ-અભિમાન થી તમે પડતા આવ્યાં છો. બાપ એક જ વાર આવીને તમને દેહી-અભિમાની બનાવે છે. એવું નથી કે તમે સતયુગમાં દેહનાં સંબંધ નહીં રાખશો. ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે હું આત્મા પરમપિતા પરમાત્મા ની સંતાન છું. આ જ્ઞાન હમણાં જ તમને મળે છે જે પ્રાય: લોપ થઈ જાય છે. તમે જ શ્રીમત પર ચાલી પ્રાલબ્ધ પામો છો. બાપ આવે જ છે રાજયોગ શીખવાડવાં. આવું ભણતર બીજું કોઈ હોતું નથી. ડબલ સિરતાજ રાજાઓ સતયુગ માં હોય છે. પછી સિંગલ તાજવાળા રાજાઓની રાજાઈ પણ છે, હમણાં તે રાજાઈ નથી રહી, પ્રજાનું પ્રજા પર રાજ્ય છે. આપ બાળકો હમણાં રાજાઈ માટે ભણો છો, આને ગોડફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિદ્યાલય) કહેવાય છે. તમારું નામ પણ લખેલું છે. તે લોકો ભલે નામ રાખે છે ગીતા પાઠશાળા. ભણાવે કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાનુવાચ કહી દેશે. હવે કૃષ્ણ તો ભણાવી ન શકે. કૃષ્ણ તો પોતે પાઠશાળા માં ભણવા જાય છે. પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) કેવાં સ્કૂલમાં જાય છે, ત્યાંની ભાષા જ બીજી છે. એવું પણ નથી કે સંસ્કૃતમાં ગીતા ગવાઈ છે. અહીંયા તો અનેક ભાષાઓ છે. તો જેવાં રાજા હોય છે તે પોતાની ભાષા ચલાવે છે. સંસ્કૃત ભાષા કોઈ રાજાઓની નથી. બાબા કોઈ સંસ્કૃત નથી શીખવાડતાં. બાપ તો રાજયોગ શીખવાડે છે, સતયુગનાં માટે.

બાપ કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર જીત પહેરો. પ્રતિજ્ઞા કરાવે છે, અહીંયા જે પણ આવે છે એમનાથી પ્રતિજ્ઞા કરાવાય છે. કામ પર જીત પામવાથી તમે જગતજીત બનશો. આ છે મુખ્ય વિકાર. આ હિંસા દ્વાપર થી ચાલી આવે છે, જેનાથી વામમાર્ગ શરું થયો. દેવતાઓ કેવી રીતે વામમાર્ગ માં જાય છે, તેનું પણ મંદિર છે. ત્યાં બહુજ છી-છી ચિત્ર બનાવ્યાં છે. બાકી વામમાર્ગ માં ક્યારે ગયાં, તેની તીથિ-તારીખ તો છે નહીં. સિદ્ધ થાય છે કામ ચિતા પર બેસવાથી કાળા બને છે પરંતુ નામ-રુપ તો બદલાઈ જાય છે ને. કામ ચિતા પર ચઢવાથી આયરન એજડ બની જાય છે. હમણાં તો પાંચ તત્વ પણ તમોપ્રધાન છે ને, એટલે શરીર પણ એવાં તમોપ્રધાન બને છે. જન્મ થી જ કોઈક કેવાં, કોઈ કેવાં થઈ જાય છે. ત્યાં તો એકદમ સુંદર શરીર હોય છે. હમણાં તમોપ્રધાન હોવાનાં કારણે શરીર પણ એવાં છે. મનુષ્ય ઈશ્વર પ્રભુ વગેરે ભિન્ન-ભિન્ન નામો થી યાદ કરે છે પરંતુ એ બિચારાઓ ને ખબર જ નથી. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે - હેં બાબા, આવીને શાંતિ આપો. અહીંયા તો કર્મેન્દ્રિયોથી પાર્ટ ભજવી રહ્યાં છે તો શાંતિ કેવી રીતે મળશે. વિશ્વમાં શાંતિ હતી જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. પરંતુ લાખો વર્ષ કલ્પની આયુ કહી દીધી છે તો મનુષ્ય બિચારા કેવી રીતે સમજશે. જ્યારે આમનું (દેવતાઓનું) રાજ્ય હતું તો એક રાજ્ય એક ધર્મ હતો બીજા કોઈ ખંડ માં એવું નથી કહેતાં કે એક ધર્મ એક રાજ્ય હોય. અહીંયા આત્મા માંગે છે એક રાજ્ય હોય. તમારી આત્મા જાણે છે હમણાં આપણે એક રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ત્યાં આખાં વિશ્વ નાં માલિક આપણે રહીશું. બાપ આપણને બધુંજ આપી દે છે. કોઈ પણ આપણા થી રાજાઈ છીનવી નથી શકતું. આપણે આખાં વિશ્વનાં માલિક બની જઈએ છીએ. વિશ્વમાં કોઈ સૂક્ષ્મવતન, મૂળવતન નથી હોતું. આ સૃષ્ટિનું ચક્ર અહીંયા જ ફરતું રહે છે. આને બાપ, જે રચયિતા છે તે જ જાણે છે. એવું નહીં કે રચના રચે છે. બાપ આવે જ છે સંગમ પર, જૂની દુનિયા થી નવી દુનિયા બનાવવાં. દૂરદેશ થી બાબા આવેલાં છે, તમે જાણો છો નવી દુનિયા આપણા માટે બની રહી છે. બાબા આપણી આત્માઓનો શ્રુંગાર કરી રહ્યાં છે. તેનાં સાથે પછી શરીરો નો પણ શ્રુંગાર થઈ જશે. આત્મા પવિત્ર હોવાથી પછી શરીર પણ સતોપ્રધાન મળશે. સતોપ્રધાન તત્વો થી શરીર બનશે. આમનું સતોપ્રધાન શરીર છે ને એટલે નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) રહે છે. ગવાય પણ છે ધર્મ એ શક્તિ છે. હવે શક્તિ મળી ક્યાંથી? એક જ દેવી-દેવતાઓનો ધર્મ છે જેનાથી શક્તિ મળે છે. આ દેવતાઓ જ આખાં વિશ્વનાં માલિક બને છે બીજું કોઈ વિશ્વનું માલિક નથી બનતું. તમને કેટલી શક્તિ મળે છે. લખેલું પણ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના શિવબાબા બ્રહ્મા દ્વારા કરે છે. આ વાતો દુનિયામાં કોઈ જાણે થોડી છે. બાપ કહે છે હું બ્રાહ્મણ કુળ સ્થાપન કરું છું પછી એમને સૂર્યવંશી ડિનાયસ્ટી (રાજાઈ) માં લઇ આવું છું. જે સારી રીતે ભણે છે તે પાસ થઈ સૂર્યવંશી માં આવે છે. છે બધી જ્ઞાનની વાત. તેમણે પછી સ્થૂળ બાણ હથિયાર વગેરે દેખાડ્યાં છે. બાણ ચલાવવાનું પણ શીખે છે. નાનાં બાળકો ને પણ બંદૂક ચલાવવાનું શીખવાડે છે. તમારું પછી છે યોગબાણ. બાપ કહે છે મામેકમ્ યાદ કરશો તો તમારાં વિકર્મ વિનાશ થશે. હિંસાની કોઈ વાત નથી. તમારું ભણતર પણ છે ગુપ્ત. તમે છો આધ્યાત્મિક, રુહાની સેલવેશન આર્મી. આ કોઈને ખબર નથી કે રુહાની આર્મી કેવી હોય છે. તમે છો ગુપ્ત, આધ્યાત્મિક રુહાની સેલવેશન આર્મી. આખી દુનિયાને તમે સેલવેજ કરો છો. બધાનો બેડો ડૂબેલો છે. બાકી સોનાની લંકા કોઈ છે નહીં. એવું નથી કે સોનાની દ્વારકા નીચે ચાલી ગઈ છે, તે નીકળી આવશે. ના, દ્વારકામાં પણ આમનું રાજ્ય હતું પરંતુ સતયુગ માં હતું. સતયુગી રાજાઓનો ડ્રેસ જ અલગ હોય છે, ત્રેતા નો અલગ. ભિન્ન-ભિન્ન ડ્રેસ, ભિન્ન-ભિન્ન રીત-રિવાજ હોય છે. દરેક રાજાની રીત-રિવાજ પોત-પોતાની, સતયુગ નું તો નામ લેતાં જ દિલ ખુશ થઈ જાય છે. કહે જ છે સ્વર્ગ, પેરેડાઇઝ પરંતુ મનુષ્ય કંઈ પણ જાણતાં નથી. મુખ્ય તો છે આ દેલવાડા મંદિર. હૂબહૂ તમારું યાદગાર છે. મોડેલ (નકશો) તો હંમેશા નાનું બનાવે છે ને. આ બિલકુલ એક્યુરેટ મોડેલ છે. શિવબાબા પણ છે, આદિદેવ પણ છે, ઉપર વૈકુંઠ દેખાડ્યું છે. શિવબાબા હશે તો જરુર રથ પણ હશે. આદિદેવ બેઠાં છે, આ પણ કોઈને ખબર નથી. આ શિવબાબા નો રથ છે. મહાવીર જ રાજાઈ પ્રાપ્ત કરે છે. આત્મા માં તાકાત કેવી રીતે આવે છે એ પણ તમે હવે સમજો છો. ઘડી-ઘડી પોતાને આત્મા સમજો. આપણે આત્મા સતોપ્રધાન હતી તો પવિત્ર હતી. શાંતિધામ, સુખધામ માં જરુર પવિત્ર જ રહેશે. હવે બુદ્ધિ માં આવે છે, કેટલી સહજ વાત છે. ભારત સતયુગ માં પવિત્ર હતું. ત્યાં અપવિત્ર આત્મા રહી ન શકે. આટલી બધી પતિત આત્માઓ ઉપર કેવી રીતે જશે. જરુર પવિત્ર બનીને જ જશે. આગ લાગે છે તો પણ બધી આત્માઓ ચાલી જશે. બાકી શરીર રહી જાય છે. આ બધી નિશાનીઓ પણ છે. હોળીકા નો અર્થ કોઇ સમજે થોડી છે. આખી દુનિયા આમાં સ્વાહા થવાની છે. આ જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન અક્ષર નીકાળી બાકી રુદ્ર યજ્ઞ કહી દે છે. હકીકતમાં આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. આ બ્રાહ્મણો દ્વારા જ રચાય છે. સાચાં-સાચાં બ્રાહ્મણ તમે છો. પ્રજાપિતા બ્રહ્માની તો બધી સંતાન છે ને. બ્રહ્મા દ્વારા જ મનુષ્ય સૃષ્ટિ રચાય છે. બ્રહ્માને જ ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે, આમનો સિજરો (વંશ) હોય છે ને. જેમ અલગ-અલગ સંપ્રદાય નાં સિજરા રાખે છે. તમારી બુદ્ધિમાં છે કે મૂળવતન માં છે આત્માઓનો સિજરો, કાયદા મુજબ. શિવબાબા પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી લક્ષ્મી-નારાયણ વગેરે એ બધાં છે મનુષ્ય નાં સિજરા. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની સેલવેશન આર્મી બની સ્વયં ને અને સર્વ ને સાચો રસ્તો બતાવવાનો છે. આખી દુનિયા ને વિષય સાગર થી સેલવેજ કરવાનાં માટે બાપનાં પૂરે-પૂરા મદદગાર બનવાનું છે.

2. જ્ઞાન-યોગ થી પવિત્ર બની આત્માનો શ્રુંગાર કરવાનો છે, શરીર નો નહીં. આત્મા પવિત્ર બનવાથી શરીરનો શ્રુંગાર સ્વતઃ થઈ જશે.

વરદાન :-
મન - બુદ્ધિ ને મનમત થી ફ્રી કરી સૂક્ષ્મવતન નો અનુભવ કરવા વાળા ડબલ લાઈટ ભવ

ફક્ત સંકલ્પ શક્તિ અર્થાત્ મન અને બુદ્ધિ ને સદા મનમત થી ખાલી રાખો તો અહીંયા રહેતાં પણ વતન નાં બધાં દૃશ્યો એવાં સ્પષ્ટ અનુભવ કરશો જેમ દુનિયાનાં કોઈ પણ દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. આ અનુભૂતિ માટે કોઈ પણ બોજ પોતાનાં ઉપર નહીં રાખો, બધાં બોજ બાપને આપીને ડબલ લાઈટ બનો. મન-બુદ્ધિ થી સદા શુદ્ધ સંકલ્પ નું ભોજન કરો. ક્યારેય પણ વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ નું અશુદ્ધ ભોજન ન કરો તો બોજ થી હલકા થઇ ને ઉંચી સ્થિતિ નો અનુભવ કરી શકશો.

સ્લોગન :-
વ્યર્થ ને ફુલ સ્ટોપ (પૂર્ણવિરામ) આપો અને શુભ ભાવના નો સ્ટોક ફુલ કરો.