02-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પુરુષોત્તમ સંગમયુગ કલ્યાણકારી યુગ છે , આમાં જ પરિવર્તન થાય છે , તમે કનિષ્ટ થી
ઉત્તમ પુરુષ બનો છો ”
પ્રશ્ન :-
આ જ્ઞાનમાર્ગ
માં કઈ વાત વિચારવા કે બોલવાથી ક્યારેય પણ ઉન્નતિ નથી થઈ શકતી?
ઉત્તર :-
ડ્રામા માં હશે તો પુરુષાર્થ કરી લઈશું. ડ્રામા કરાવશે તો કરી લઈશું. આ વિચારવા કે
બોલવા વાળાની ઉન્નતિ ક્યારેય પણ નથી થઈ શકતી. આ કહેવું જ રોંગ (ખોટું) છે. તમે જાણો
છો હમણાં જે આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, આ પણ ડ્રામા માં નોંધ છે. પુરુષાર્થ
કરવાનો જ છે.
ગીત :-
યહ કહાની હૈ
દીવે ઔર તૂફાન કી …
ઓમ શાંતિ!
આ છે કળયુગી
મનુષ્યોનાં ગીત. પરંતુ આનો અર્થ તે નથી જાણતાં. આ તમે જાણો છો. તમે છો હમણાં
પુરુષોત્તમ સંગમયુગી. સંગમયુગ નાં સાથે પુરુષોત્તમ પણ લખવું જોઈએ. બાળકોને જ્ઞાનનાં
પોઇન્ટ્સ (વાતો) યાદ ન હોવાનાં કારણે પછી આવાં-આવાં અક્ષર લખવાનું ભૂલી જાય છે. આ
મુખ્ય છે, આનો અર્થ પણ તમે જ સમજી શકો છો. પુરુષોત્તમ માસ પણ હોય છે. આ પછી છે
પુરુષોત્તમ સંગમયુગ. આ સંગમ નો પણ એક તહેવાર છે. આ તહેવાર સૌથી ઉંચો છે. તમે જાણો
છો હમણાં આપણે પુરુષોત્તમ બની રહ્યાં છીએ. ઉત્તમ થી ઉત્તમ પુરુષ. ઊંચે થી ઉંચા
સાહૂકાર થી સાહૂકાર નંબરવન કહેશું લક્ષ્મી-નારાયણ ને. શાસ્ત્રો માં દેખાડે છે-મોટો
પ્રલય થયો. પછી નંબરવન શ્રીકૃષ્ણ પીપળ નાં પાન પર સાગર માં આવ્યાં. હવે તમે શું
કહેશો? નંબરવન છે આ શ્રી કૃષ્ણ, જેમને જ શ્યામસુંદર કહે છે. દેખાડે છે-અંગૂઠો ચૂસતાં
આવ્યાં. બાળક તો ગર્ભ માં જ રહે છે. તો પહેલાં-પહેલાં જ્ઞાનસાગર થી નીકળેલાં ઉત્તમ
થી ઉત્તમ પુરુષ શ્રીકૃષ્ણ છે. જ્ઞાનસાગર થી સ્વર્ગની સ્થાપના થાય છે. તેમાં નંબરવન
પુરુષોત્તમ આ શ્રીકૃષ્ણ છે અને આ છે જ્ઞાન નાં સાગર, પાણી નાં નહીં. પ્રલય પણ થતો
નથી. ઘણાં બાળકો નવાં-નવાં આવે છે તો બાપ ને પછી જૂનાં પોઇન્ટ રિપીટ કરવાં પડે છે.
સતયુગ-ત્રેતા-દ્વાપર-કળયુગ….આ ૪ યુગ તો છે. પાંચમો પછી છે પુરુષોત્તમ સંગમયુગ. આ
યુગ માં મનુષ્ય ચેન્જ (પરિવર્તન) થાય છે. કનિષ્ટ થી સર્વોત્તમ બને છે. જેમ શિવબાબા
ને પણ પુરુષોત્તમ કે સર્વોત્તમ કહે છે ને. એ છે જ પરમ આત્મા, પરમાત્મા. પછી પુરુષો
માં ઉત્તમ છે આ લક્ષ્મી-નારાયણ. એમને આવાં કોણે બનાવ્યાં? આ આપ બાળકો જ જાણો છો.
બાળકોને પણ સમજ માં આવ્યું છે. આ સમયે આપણે પુરુષાર્થ કરીએ છીએ એવાં બનવા માટે.
પુરુષાર્થ કોઈ મોટો નથી. ખુબ સહજ છે. શીખવા વાળી પણ છે અબળાઓ, કુબ્જાઓ, જે કાંઈ પણ
ભણી-ગણી નથી. તેમનાં માટે કેટલું સહજ સમજાવાય છે. જુઓ અમદાવાદ માં એક સાધુ હતાં
કહેતા હતાં અમે કંઈ ખાતાં-પીતાં નથી. સારું કોઈ પૂરી આયુ ખાય-પીવે નહીં પછી શું?
પ્રાપ્તિ તો કંઈ નથી ને. ઝાડને પણ ખાવાનું તો મળે છે ને. ખાદ પાણી વગેરે કુદરતી તેને
મળે છે, જેનાથી ઝાડ વૃદ્ધિને પામે છે. તેમણે પણ કોઈ રિદ્ધિ-સિદ્ધિ પામી હશે. એવાં
ઘણાં છે જે આગ થી, પાણી થી ચાલી જાય છે. એનાથી ભલા ફાયદો શું. તમારો તો આ સહજ
રાજયોગ થી જન્મ-જન્માંતર નો ફાયદો છે. તમને જન્મ-જન્માંતર માટે દુઃખી થી સુખી બનાવે
છે. બાપ કહે છે - બાળકો, ડ્રામા અનુસાર હું તમને ગુહ્ય વાતો સંભળાવું છું.
જેમ બાબાએ સમજાવ્યું છે શિવ અને શંકર ને મળાવ્યાં કેમ છે? શંકર નો તો આ સૃષ્ટિમાં
પાર્ટ જ નથી. શિવનો, બ્રહ્માનો, વિષ્ણુ નો પાર્ટ છે. બ્રહ્મા અને વિષ્ણુ નો
ઓલરાઉન્ડ પાર્ટ છે. શિવબાબા નો પણ આ સમયે પાર્ટ છે, જે આવીને જ્ઞાન આપે છે. પછી
નિર્વાણધામ માં ચાલ્યાં જાય છે. બાળકોને મિલકત આપીને પોતે વાનપ્રસ્થ માં ચાલ્યાં
જાય છે. વાનપ્રસ્થી બનવું અર્થાત્ ગુરુદ્વારા વાણી થી પરે જવાનો પુરુષાર્થ કરવો.
પરંતુ પાછું તો કોઈ જઈ નથી શકતું કારણ કે વિકારી ભ્રષ્ટાચારી છે. વિકાર થી જન્મ તો
બધાનો થાય છે. આ લક્ષ્મી-નારાયણ નિર્વિકારી છે, એમનો વિકાર થી જન્મ નથી થતો એટલે
શ્રેષ્ટાચારી કહેવાય છે. કુમારીઓ પણ નિર્વિકારી છે - એટલે એમની આગળ માથું નમાવે છે.
તો બાબાએ સમજાવ્યું કે અહીં શંકર નો કોઇ પાર્ટ નથી, બાકી પ્રજાપિતા બ્રહ્મા તો જરુર
પ્રજાનાં પિતા થયાં ને. શિવબાબા ને તો આત્માઓનાં પિતા કહીશું. એ છે અવિનાશી પિતા, આ
ગુહ્ય વાતો સારી રીતે ધારણ કરવાની છે. જે મોટાં-મોટાં ફિલોસોફર (તત્વજ્ઞાની) હોય
છે, એમને બહુ જ ટાઇટલ (ખિતાબ) મળે છે. શ્રી શ્રી ૧૦૮ નું ટાઈટલ પણ વિદ્વાનો ને મળે
છે. બનારસ ની કોલેજ થી પાસ કરીને ટાઈટલ લઈ આવે છે. બાબાએ ગુપ્તાજી ને એટલે બનારસ
મોકલ્યાં હતાં કે તેઓને જઈને સમજાવો કે બાપ નું પણ ટાઈટલ પોતાનાં પર રાખી બેઠાં છો.
બાપને શ્રી શ્રી ૧૦૮ જગતગુરુ કહેવાય છે. માળા જ ૧૦૮ ની હોય છે. ૮ રત્ન ગવાય છે. તે
પાસ વિથ ઓનર છે એટલે એમને જપે છે. પછી એમનાથી ઓછાં, ૧૦૮ ની પૂજા કરે છે. યજ્ઞ જ્યારે
રચે છે તો કોઈ ૧૦૦૦ સાલિગ્રામ બનાવે છે, કોઈ ૧૦ હજાર, કોઈ ૫૦ હજાર, કોઈ લાખ પણ બનાવે
છે. માટીનાં બનાવીને પછી યજ્ઞ રચે છે. જેવાં-જેવાં શેઠ સારા થી સારા, મોટા શેઠ હશે
તો લાખ બનાવડાવશે. બાપે સમજાવ્યું છે માળા તો મોટી છે ને - ૧૬,૧૦૮ ની માળા બનાવે
છે. આ આપ બાળકોને બાપ બેસી સમજાવે છે. તમે બધાં ભારતની સેવા કરી રહ્યાં છો બાપની
સાથે. બાપની પૂજા થાય છે તો બાળકોની પણ પૂજા થવી જોઈએ, આ નથી જાણતાં કે રુદ્ર પૂજા
કેમ થાય છે. બાળકો તો બધાં શિવબાબાનાં છે. આ સમયે સૃષ્ટિની કેટલી જનગણના છે આમાં બધી
આત્માઓ શિવબાબાનાં બાળકો થયાં ને. પરંતુ મદદગાર બધાં નથી હોતાં. આ સમયે તમે જેટલું
યાદ કરો છો એટલાં ઉંચા બનો છો. પૂજન લાયક બનો છો. આવી બીજા કોઈની તાકાત નથી જે આ
વાત સમજાવે એટલે કહી દે છે ઈશ્વર નો અંત કોઈ નથી જાણતું. બાપ જ આવી ને સમજાવે છે,
બાપને જ્ઞાનનાં સાગર કહેવાય છે તો જરુર જ્ઞાન આપશે ને. પ્રેરણાની તો વાત હોતી નથી.
ભગવાન કોઈ પ્રેરણા થી સમજાવે છે શું. તમે જાણો છો એમની પાસે સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. એ પછી આપ બાળકોને સંભળાવે છે. આ તો નિશ્ચય છે - નિશ્ચય
હોવા છતાં પણ તો બાપ ને ભૂલી જાય છે. બાપની યાદ, આ છે ભણતર નું તંત. યાદની યાત્રા
થી કર્માતીત અવસ્થાને પામવામાં મહેનત લાગે છે, આમાં જ માયાનાં વિઘ્ન આવે છે. ભણવામાં
એટલા વિઘ્ન નથી આવતાં. હવે શંકર માટે કહે છે, શંકર આંખ ખોલે છે તો વિનાશ થાય છે, આ
કહેવું પણ ઠીક નથી. બાપ કહે છે - ન હું વિનાશ કરાવું છું, ન તે કરે છે, આ ખોટું છે.
દેવતાઓ થોડી પાપ કરશે. હવે શિવબાબા બેસી આ વાતો સમજાવે છે. આત્માનું આ શરીર છે રથ.
દરેક આત્માની પોતાના રથ પર સવારી છે. બાપ કહે છે હું આમની લોન લઉં છું, એટલે મારો
દિવ્ય અલૌકિક જન્મ કહેવાય છે. હમણાં તમારી બુદ્ધિ માં ૮૪ નું ચક્ર છે. જાણો છો હમણાં
આપણે ઘરે જઈએ છીએ, પછી સ્વર્ગ માં આવીશું. બાબા ખુબજ સહજ કરી ને સમજાવે છે, એમાં
હાર્ટફેલ (હતાશ) નથી થવાનું. કહે છે બાબા અમે ભણેલાં-ગણેલાં નથી. મુખ થી કંઈ નીકળતું
નથી. પરતું એવું તો હોતું નથી. મુખ તો જરુર ચાલે જ છે. ખાવાનું ખાઓ છો તો મુખ ચાલે
છે ને. વાણી ન નીકળે આ તો થઇ નથી શકતું. બાબાએ ખુબ સિમ્પલ સમજાવ્યું છે. કોઈ મૌનમાં
રહે છે તો ઉપર ઈશારો આપે છે કે એમને યાદ કરો. દુખહર્તા સુખકર્તા એ એક જ દાતા છે.
ભક્તિમાર્ગ માં પણ દાતા છે તો આ સમય માં પણ દાતા છે પછી વાનપ્રસ્થ માં તો છે જ શાંતિ.
બાળકો પણ શાંતિધામ માં રહે છે. પાર્ટ નોંધાયેલો છે, જે કર્મ માં આવે છે. હમણાં આપણો
પાર્ટ છે - વિશ્વને નવું બનાવવું. એમનું નામ ખુબ સરસ છે - હેવનલી ગોડફાધર. બાપ
રચયિતા છે સ્વર્ગનાં. બાપ નર્ક થોડી જ રચશે. જૂની દુનિયા કોઈ રચે છે શું. મકાન
હંમેશા નવું બનાવાય છે. શિવબાબા નવી દુનિયા રચે છે બ્રહ્મા દ્વારા. એમને પાર્ટ મળેલો
છે - અહીં જૂની દુનિયામાં જે પણ મનુષ્ય છે, બધાં એક-બે ને દુઃખ આપતા રહે છે.
તમે જાણો છો આપણે છીએ શિવબાબા નાં સંતાન. પછી શરીરધારી પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો
થઈ ગયા એડોપ્તેડ (દત્તક). આપણને જ્ઞાન સંભળાવવા વાળા છે શિવબાબા રચયિતા. જે પોતાની
રચના નું આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. તમારું લક્ષ્ય-હેતુ જ છે આ બનવું.
મનુષ્ય જુઓ કેટલો ખર્ચો કરી માર્બલ વગેરે ની મૂર્તિઓ બનાવે છે. આ છે ઇશ્વરીય વિશ્વ
વિદ્યાલય, વર્લ્ડ યુનિવર્સિટી. આખી યુનિવર્સ (દુનિયા) ને પરિવર્તન કરાય છે. તેઓનાં
જે પણ ચરિત્ર છે બધાં આસુરી. આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળા છે. આ છે ઈશ્વરીય
યુનિવર્સિટી. ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય એક જ હોય છે, જે ઈશ્વર આવીને ખોલે છે, જેનાથી
આખાં વિશ્વનું કલ્યાણ થઈ જાય છે. આપ બાળકોને હવે સાચાં અને ખોટાં ની સમજ મળે છે બીજા
કોઈ મનુષ્ય નથી જે સમજતાં હોય. સાચાં-ખોટા ને સમજાવવા વાળા એક જ રાઇટિયસ (સત્ય બાપ)
હોય છે, જેમને સત્ય કહે છે. બાપ જ આવીને દરેક ને રાઈટિયસ બનાવે છે. રાઈટિયસ બનશે તો
પછી મુક્તિ માં જઈને જીવનમુક્તિ માં આવશે. ડ્રામા ને પણ આપ બાળકો જાણો છો. આદિ થી
લઈને અંત સુધી પાર્ટ ભજવવા નંબરવાર આવો છો. આ ખેલ ચાલતો જ રહે છે. ડ્રામા શૂટ થતો
જાય છે. આ હંમેશા નવીન છે. આ ડ્રામા ક્યારેય જૂનો નથી થતો, બીજા બધાં નાટક વગેરે
વિનાશ થઈ જાય છે. આ બેહદ નો અવિનાશી ડ્રામા છે. આમાં બધાં અવિનાશી પાર્ટધારી છે.
અવિનાશી ખેલ અથવા માંડવો જુઓ કેટલો મોટો છે. બાપ આવીને જૂની સૃષ્ટિને ફરી નવી બનાવે
છે. તે બધો તમને સાક્ષાત્કાર થશે. જેટલાં નજીક આવશો પછી તમને ખુશી થશે. સાક્ષાત્કાર
કરશો. કહેશો હવે પાર્ટ પૂરો થયો. ડ્રામા ને ફરી રિપીટ (પુનરાવૃતિ) કરવાનો છે. ફરી
નવેસર થી પાર્ટ ભજવશો, જે કલ્પ પહેલાં ભજવ્યો છે. આમાં જરા પણ ફર્ક નથી થઈ શકતો એટલે
જેટલું થઈ શકે આપ બાળકોએ ઉંચ પદ પામવું જોઈએ. પુરુષાર્થ કરવાનો છે, મુંઝાવાનું નથી.
ડ્રામા ને જે કરાવવું હશે તે કરાવશે - આ કહેવું પણ ખોટું છે. આપણે તો પુરુષાર્થ
કરવાનો જ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર નું
તંત (સાર) બુદ્ધિમાં રાખી યાદની યાત્રા થી કર્માતીત અવસ્થા ને પામવાની છે. ઉંચ,
પૂજનીય બનવા માટે બાપ નાં પૂરે-પૂરા મદદગાર બનવાનું છે.
2. સત્ય બાપ દ્વારા સાચાં-ખોટા ની જે સમજ મળી છે, એનાથી રાઈટિયસ (સત્ય) બની જીવનબંધ
થી છૂટવાનું છે. મુક્તિ અને જીવન-મુક્તિ નો વારસો લેવાનો છે.
વરદાન :-
સંગમયુગ ની
સર્વ પ્રાપ્તિઓ ને સ્મૃતિ માં રાખી ચઢતી કળા નો અનુભવ કરવા વાળા શ્રેષ્ઠ પ્રારબ્ધી
ભવ .
પરમાત્મા મિલન કે
પરમાત્મ જ્ઞાનની વિશેષતા છે-અવિનાશી પ્રાપ્તિઓ થવી. એવું નહીં કે સંગમયુગ પુરુષાર્થી
જીવન છે અને સતયુગી પ્રારબ્ધી જીવન છે. સંગમયુગ ની વિશેષતા છે એક કદમ ઉઠાવો અને
હજાર કદમ પ્રારબ્ધ માં પામો. તો ફક્ત પુરુષાર્થી નહિં પરંતુ શ્રેષ્ઠ પ્રારબ્ધી છીએ
- આ સ્વરુપને સદા સામે રાખો. પ્રારબ્ધ ને જોઈને સહજ જ ચઢતી કળા નો અનુભવ કરશો.
“પામવું હતું તે પામી લીધું” - આ ગીત ગાઓ તો ઘુટકા અને ઝુટકા ખાવાથી બચી જશો.
સ્લોગન :-
બ્રાહ્મણો નો
શ્વાસ હિંમત છે, જેનાથી કઠિન થી કઠિન કાર્ય પણ સહેલું થઇ જાય છે.
માતેશ્વરી જીના
અણમોલ મહાવાક્ય :-
“ મુક્તિ અને
મોક્ષ ”
આજકાલ મનુષ્ય મુક્તિ ને જ મોક્ષ કહે છે, તેઓ એવું સમજે છે જે મુક્તિ પામે છે તે
જન્મ-મરણ થી છૂટી જાય છે. તે લોકો તો જન્મ-મરણ માં ન આવવું તેને જ ઉંચ પદ સમજે છે,
તે જ પ્રાલબ્ધ માને છે. જીવનમુક્તિ પછી તેને સમજે છે જે જીવન માં રહીને સારું કર્મ
કરે છે, જેમ ધર્માત્મા લોકો છે, તેમને જીવનમુક્ત સમજે છે. બાકી કર્મબંધન થી મુક્ત
થઈ જવું તે તો કોટોમાં થી કોઈ વિરલા જ સમજે છે, હવે આ છે તેમની પોતાની મત. પરતું
આપણે તો પરમાત્મા દ્વારા જાણી ચૂક્યાં છીએ કે જ્યાં સુધી મનુષ્ય પહેલાં વિકારી
કર્મબંધન થી મુક્ત નથી થતાં ત્યાં સુધી આદિ-મધ્ય-અંત દુ:ખ થી છૂટી નહીં શકે, તો
આનાથી છૂટવું આ પણ એક સ્ટેજ (અવસ્થા) છે. તો પણ પહેલાં જ્યારે ઈશ્વરીય જ્ઞાન ને
ધારણ કરે ત્યારે જ એ સ્ટેજ પર પહોંચી શકે અને એ સ્ટેજ પર પહોંચાડવા વાળા સ્વયં
પરમાત્મા જોઈએ કારણ કે મુક્તિ-જીવનમુક્તિ આપે એ છે, તે પણ એક જ સમયે આવી બધાને
મુક્તિ-જીવનમુક્તિ આપી દે છે. બાકી પરમાત્મા કોઈ અનેકવાર નથી આવતાં અને ન કે એવું
સમજો કે પરમાત્મા જ બધાં અવતાર ધારણ કરે છે. ઓમ્ શાંતિ.