29-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે હમણાં કાંટા થી ફૂલ બન્યાં છો , તમારે હંમેશા બધાને સુખ આપવાનું છે , તમે કોઈને પણ દુઃખ ન આપી શકો ”

પ્રશ્ન :-
સારા ફર્સ્ટ ક્લાસ પુરુષાર્થી બાળકો કયા બોલ ખુલ્લા દિલ થી બોલશે?

ઉત્તર :-
બાબા અમે તો પાસ વિથ ઓનર થઈને દેખાડશું. તમે બેફિકર રહો. તેમનું રજીસ્ટર પણ સારું હશે. તેમના મુખ થી ક્યારેય પણ આ બોલ નહીં નીકળશે કે હમણાં તો અમે પુરુષાર્થી છીએ. પુરુષાર્થ કરી એવાં મહાવીર બનવાનું છે જે માયા જરા પણ હલાવી ન શકે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો રુહાની બાપ દ્વારા ભણી રહ્યાં છે. પોતાને આત્મા સમજવું જોઈએ. નિરાકાર બાપનાં આપણે નિરાકારી બાળકો આત્માઓ ભણી રહ્યાં છીએ. દુનિયામાં સાકારી શિક્ષક પણ ભણાવે છે. અહીંયા છે નિરાકાર બાપ, નિરાકાર શિક્ષક, બાકી આમની (બ્રહ્મા) કોઈ વેલ્યુ નથી. શિવબાબા બેહદનાં બાપ આવીને આમને વેલ્યુ આપે છે. મોસ્ટ વેલ્યુએબલ (સૌથી મુલ્યવાન) છે શિવબાબા, જે સ્વર્ગની સ્થાપના કરે છે. કેટલું ઉંચ કાર્ય કરે છે. જેટલાં બાપ ઊંચે થી ઊંચા ગવાય છે, એટલું જ બાળકોએ પણ ઉંચ બનવાનું છે. તમે જાણો છો સૌથી ઊંચા છે બાપ. આ પણ તમારી બુદ્ધિમાં છે કે બરાબર, હમણાં સ્વર્ગની રાજાઈ સ્થાપન થઈ રહી છે, આ છે સંગમયુગ. સતયુગ અને કળયુગ ની વચ્ચે, પુરુષોત્તમ બનવાનો સંગમયુગ. પુરુષોત્તમ અક્ષર નો અર્થ પણ મનુષ્ય નથી જાણતાં. ઊંચે થી ઊંચા તો ફરી નીચે થી નીચા બન્યાં છે. પતિત અને પાવન માં કેટલો ફરક છે. દેવતાઓનાં જે પૂજારી હોય છે, તે પોતે વર્ણન કરે છે, આપ સર્વગુણ સમ્પન્ન….. વિશ્વનાં માલિક. અમે વિષય વૈતરણી નદી માં ગોતા ખાવા વાળા છીએ. કહેવા માત્ર ફક્ત કહે છે, સમજે થોડી છે. ડ્રામા વિચિત્ર વન્ડરફુલ (અદ્દભુત) છે. આવી-આવી વાતો તમે કલ્પ-કલ્પ સાંભળો છો. બાપ આવીને સમજાવે છે. જેમનો બાપની સાથે પૂરો પ્રેમ છે તેમને બહુજ કશિશ થાય છે. હવે આત્મા બાપ ને કેવી રીતે મળે? મળવાનું હોય છે સાકાર માં, નિરાકારી દુનિયામાં તો કશિશ ની વાત જ નથી. ત્યાં તો છે જ બધાં પવિત્ર. કાટ નીકળેલો છે. કશિશ ની વાત નથી. પ્રેમ ની વાત અહીંયા હોય છે. એવાં બાબા ને તો એકદમ પકડી લો. બાબા તમે તો કમાલ કરો છો. તમે અમારું જીવન આવું બનાવો છો. ખુબ જ પ્રેમ જોઈએ. પ્રેમ કેમ નથી કારણ કે કાટ ચઢેલો છે. યાદની યાત્રા નાં સિવાય કાટ નીકળશે નહીં, એટલાં પ્રેમાળ નથી બનતાં. આપ ફૂલોએ તો અહીંયા જ ખીલવાનું છે, ફૂલ બનવાનું છે. ત્યારે પછી ત્યાં જન્મ-જન્માંતર ફૂલ બનો છો. કેટલી ખુશી થવી જોઈએ - અમે કાંટાથી ફૂલ બની રહ્યાં છીએ. ફૂલ હંમેશા બધાને સુખ આપે છે. ફૂલ ને બધાં પોતાની આંખો પર રાખે છે, એમાથી સુગંધ લે છે. ફૂલોનું અત્તર બનાવે છે. ગુલાબનું જળ બનાવે છે. બાપ તમને કાંટા થી ફૂલ બનાવે છે. તો આપ બાળકોને ખુશી કેમ નથી થતી! બાબા તો વન્ડર (આશ્ચર્ય) ખાય છે, શિવબાબા આપણને સ્વર્ગનું ફૂલ બનાવે છે! ફૂલ પણ જૂનું થાય છે, તો પછી એકદમ મુરજાઈ જાય છે. તમારી બુદ્ધિમાં છે હવે આપણે મનુષ્ય થી દેવતા બનીએ છીએ. તમોપ્રધાન મનુષ્ય અને સતોપ્રધાન દેવતાઓમાં કેટલો ફરક છે. આ પણ સિવાય બાપ નાં બીજું કોઈ સમજાવી ન શકે.

તમે જાણો છો આપણે દેવતા બનવાનાં માટે ભણી રહ્યાં છીએ. ભણતર માં નશો રહે છે ને. તમે પણ સમજો છો આપણે બાબા દ્વારા ભણીને વિશ્વનાં માલિક બનીએ છીએ. તમારું ભણતર છે ભવિષ્ય માટે. ભવિષ્યનાં માટે ભણતર ક્યારેય સાંભળ્યું છે? તમે જ કહો છો અમે ભણીએ છીએ નવી દુનિયાનાં માટે. નવાં જન્મનાં માટે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાપ સમજાવે છે. ગીતામાં પણ છે પરંતુ તેનો અર્થ ગીતા વાળાઓને થોડી આવડે છે. હવે બાપ દ્વારા તમે જાણ્યું છે કે સતયુગ માં કર્મ અકર્મ થઈ જાય છે પછી રાવણરાજ્ય માં કર્મ વિકર્મ થવાનું શરું થાય છે. ૬૩ જન્મ તમે આવાં કર્મ કરતાં આવ્યાં છો. વિકર્મોનો બોજો માથા પર ખુબ છે. બધાં પાપ આત્માઓ બની ગયાં છીએ. હવે તે ભૂતકાળ નાં વિકર્મ કેવી રીતે કપાશે. તમે જાણો છો પહેલાં તો સતોપ્રધાન હતાં પછી ૮૪ જન્મ લઈએ છીએ. બાપે ડ્રામા ની ઓળખ આપી છે. જે પહેલાં-પહેલાં આવશે, પહેલાં-પહેલાં જેમનું રાજ્ય હશે તેજ ૮૪ જન્મ લેશે. પછી બાપ આવીને રાજ્ય-ભાગ્ય આપશે. હમણાં તમે રાજય લઈ રહ્યાં છો. સમજો છો આપણે કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવ્યું છે. હવે ફરી પવિત્ર બનવાનું છે. બાબા ને યાદ કરતાં-કરતાં આત્મા પવિત્ર થઈ જશે પછી આ જૂનું શરીર ખતમ થઇ જશે. બાળકોને અપાર ખુશી થવી જોઈએ. આ મહિમા તો ક્યારેય પણ ક્યાંય નથી સાંભળી કે બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. એ પણ ત્રણેવ ઊંચે થી ઊંચા છે. સત બાપ, સત શિક્ષક, સદ્દગુરુ ત્રણેવ એક જ છે. હવે તમને ભાસના આવે છે. બાબા જે જ્ઞાનનાં સાગર છે, બધી આત્માઓ નાં બાપ છે, એ આપણને ભણાવી રહ્યાં છે. યુક્તિ રચી રહ્યાં છે. મેગેઝીન (સાપ્તાહિક) માં પણ સારા-સારા પોઇન્ટસ નીકળતાં રહે છે. થઈ શકે છે રંગીન ચિત્રોનું પણ સપ્તાહિક નીકળે. ફક્ત અક્ષર નાનાં-નાનાં થઈ જાય છે. ચિત્ર તો બનેલાં છે. ક્યાંય પણ કોઈ બનાવી શકે છે. ઉપર થી લઈને દરેક ચિત્રનું ઓક્યુપેશન (કર્તવ્ય) તમે જાણો છો. શિવબાબાનું પણ ઓક્યુપેશન તમે જાણો છો. બાળકો બાપનું ઓક્યુપેશન જરુર બાપ દ્વારા જ જાણશે ને. તમે કંઈ પણ નહોતા જાણતાં. નાનાં બાળકો ભણતર થી શું જાણે. ૫ વર્ષ નાં પછી ભણવાનું શરું કરે છે. પછી ભણતા-ભણતા ઘણાં વર્ષ થઇ જાય છે, મોટી પરીક્ષા પાસ કરવામાં. તમે છો કેટલાં સાધારણ અને બનો શું છો! વિશ્વનાં માલિક. તમારો કેટલો શ્રુંગાર હશે. ગોલ્ડન સ્પૂન ઇન માઉથ (સોનાની ચમચી મુખમાં). ત્યાંનું તો ગાયન જ છે. હમણાં પણ કોઈ સારા બાળકો શરીર છોડે છે તો ખુબ સારા ઘરમાં જન્મ લે છે. તો ગોલ્ડન સ્પૂન ઇન માઉથ મળે છે. પહેલાં થી તો જશે ને કોઈનાં પાસે. નિર્વિકારી ની પાસે તો પહેલાં-પહેલાં જન્મ શ્રીકૃષ્ણ ને જ લેવાનો છે. બાકી તો જે પણ જશે તે વિકારી પાસે જ જન્મ લેશે. પરંતુ ગર્ભમાં એટલી સજાઓ નહીં ભોગવશે. મોટા સારાં ઘર માં જન્મ લેશે. સજાઓ તો કપાઈ ગઈ, બાકી થોડી રહેશે. એટલું દુઃખ નહીં હશે. આગળ ચાલીને જોજો તમારાં પાસે મોટા-મોટા ઘરનાં બાળકો પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) કેવી રીતે આવે છે. બાપ તમારી કેટલી મહિમા કરે છે. તમને હું પોતાનાથી પણ ઉંચ બનાવું છું. જેવી રીતે કોઇ લૌકિક બાપ બાળકોને સુખી બનાવે છે. ૬૦ વર્ષ થયાં બસ સ્વયં વાનપ્રસ્થ માં ચાલ્યાં જાય છે, ભક્તિમાં લાગી જાય છે. જ્ઞાન તો કોઈ આપી ન શકે. જ્ઞાનથી સર્વની સદ્દગતિ હું કરાવું છું. તમારા નિમિત્તે બધાનું કલ્યાણ થઈ જાય છે કારણ કે તમારા માટે જરુર નવી દુનિયા જોઈએ. તમે કેટલાં ખુશ થાઓ છો. હવે વેજિટેરિયન કોન્ફરન્સ (શાકાહારી સંમેલન) માં પણ આપ બાળકોને નિમંત્રણ મળેલું છે. બાબા તો કહેતા રહે છે હિંમત કરો. દિલ્લી જેવાં શહેરમાં તો એકદમ અવાજ ફેલાય જાય. દુનિયામાં અંધશ્રદ્ધાની ભક્તિ ખુબ છે. સતયુગ-ત્રેતા માં ભક્તિની કોઈ વાત હોતી નથી. તે ડિપાર્ટમેન્ટ (વિભાગ) અલગ છે. અડધોકલ્પ જ્ઞાનની પ્રાલબ્ધ હોય છે. તમને ૨૧ જન્મનો વારસો મળે છે, બેહદનાં બાપ થી. પછી ૨૧ પેઢી તમે સુખી રહો છો. વૃદ્ધાવસ્થા સુધી દુઃખનું નામ નથી રહેતું. પૂરી આયુ સુખી રહો છો. જેટલો વારસો પામવાનો પુરુષાર્થ કરશો એટલું ઉંચ પદ પામશો. તો પુરુષાર્થ પૂરો કરવો જોઈએ. તમે જુઓ છો નંબરવાર માળા કેવી રીતે બને છે. પુરુષાર્થ અનુસાર જ બનશે. તમે છો સ્ટુડન્ટ (વિદ્યાર્થી), વન્ડરફુલ. સ્કૂલમાં પણ બાળકો ને દોડાવે છે ને નિશાન સુધી. બાબા પણ કહે છે તમારે નિશાન સુધી દોડી ને પછી અહીંયા જ આવવાનું છે. યાદની યાત્રા થી તમે દોડીને જાઓ પછી તમે નંબરવન માં આવી જશો. મુખ્ય છે યાદની યાત્રા. કહે છે - બાબા અમે ભૂલી જઈએ છીએ. અરે બાપ આટલાં તમને વિશ્વનાં માલિક બનાવે છે, એમને તમે ભૂલી જાઓ છો. ભલે તોફાન તો આવશે. બાપ હિંમત અપાવશે ને. સાથે-સાથે કહે છે આ યુદ્ધ-સ્થળ છે. યુધિષ્ઠિર પણ હકીકત માં બાપને કહેવું જોઈએ જે યુદ્ધ શીખવાડે છે. યુધિષ્ઠિર બાપ તમને શીખવાડે છે - માયા થી તમે યુદ્ધ કેવી રીતે કરી શકો છો. આ સમયે યુદ્ધ નું મેદાન છે ને. બાપ કહે છે - કામ મહાશત્રુ છે, તેનાં પર જીતવાથી તમે જગતજીત બનશો. તમારે મુખ થી કાંઈપણ જપવાનું, કરવાનું નથી, ચૂપ રહેવાનું છે. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત કરે છે. અંદર રામ-રામ જપે છે, એને જ કહેવાય છે નૌધા ભક્તિ. તમે જાણો છો બાબા આપણને પોતાની માળાનાં બનાવી રહ્યાં છે. તમે રુદ્ર માળાનાં મણકા બનવા વાળા છો જેને પછી પૂજશે. રુદ્ર માળા અને રુંડ માળા બની રહી છે. વિષ્ણુ ની માળા ને રુંડ કહેવાય છે. તુમ વિષ્ણુનાં ગળા નો હાર બનો છો. કેવી રીતે બનશો? જ્યારે દોડ માં જીતી જશો. બાપ ને યાદ કરવાનાં છે અને ૮૪ નાં ચક્ર ને જાણવાનું છે. બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. તમે કેવાં લાઈટ હાઉસ છો. એક આંખમાં મુક્તિધામ, એકમાં જીવનમુક્તિધામ. આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા, સુખધામ નાં માલિક બની જશો. તમારી આત્મા કહે છે - હવે આપણે આત્માઓ જઈશું પોતાનાં ઘરે. ઘર ને યાદ કરતાં-કરતાં જઈશું. આ છે યાદની યાત્રા. તમારી યાત્રા જુઓ કેવી ફર્સ્ટ ક્લાસ છે. બાબા જાણે છે આપણે એવી રીતે બેઠાં-બેઠાં ક્ષીરસાગર માં જઈશું. વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે છે ને. બાપ ને યાદ કરતાં-કરતાં ક્ષીરસાગર માં ચાલ્યાં જઈશું. ક્ષીરસાગર હમણાં તો છે નહીં. જેમણે તળાવ બનાવ્યું છે જરુર ક્ષીર નાખ્યું હશે. પહેલાં તો ક્ષીર (દૂધ) ખુબ સસ્તું હતું. એક પૈસા માં લોટો ભરીને આવતું હતું. તો કેમ નહીં તળાવ ભરાતું હશે. હમણાં તો ક્ષીર છે ક્યાં. પાણી જ પાણી થઇ ગયું છે. બાબાએ નેપાળમાં જોયું છે - ખુબ મોટું વિષ્ણુ નું ચિત્ર છે. શ્યામ જ બનાવ્યાં છે. હવે તમે વિષ્ણુપુરીનાં માલિક બની રહ્યાં છો - યાદની યાત્રા થી અને સ્વદર્શન ચક્ર ફરાવવાથી. દેવીગુણ પણ અહીંયા ધારણ કરવાનાં છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. ભણતાં-ભણતાં તમે પુરુષોત્તમ બની જશો. આત્માનું કનિષ્ટપણું છૂટી જશે. બાબા રોજ-રોજ સમજાવે છે - નશો ચઢવો જોઇએ. કહે છે બાબા પુરુષાર્થ કરી રહ્યાં છીએ. અરે ખુલ્લાં દિલ થી બોલો ને - બાબા અમે તો પાસ વિથ ઓનર થઈને દેખાડશું. તમે ફિકર નહીં કરો. ફર્સ્ટ ક્લાસ બાળકો જે સારી રીતે ભણે છે, એમનું રજીસ્ટર પણ સારું હશે. બાબાને કહેવું જોઈએ - બાબા તમે બેફિકર રહો, અમે એવાં બનીને દેખાડશું. બાબા પણ જાણે છે ને, ઘણી ટીચર્સ સરસ ફર્સ્ટ ક્લાસ છે. બધાં તો ફર્સ્ટ ક્લાસ નથી બની શકતાં. સારા-સારા ટીચર્સ એક-બીજાને પણ જાણે છે. બધાં ને મહારથીઓ ની લાઈન માં ન લાવી શકાય. સારા મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલો તો મોટા-મોટા વ્યક્તિ આવશે. કલ્પ પહેલાં પણ હુંડી ભરી હતી. સાવળશાહ બાબા હુંડી જરુર ભરશે. બંને બાપ બછડા વાળા વાળા છે. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં બાળકો છે. કોઈ ગરીબ, કોઈ સાધારણ, કોઈ સાહૂકાર, કલ્પ પહેલાં પણ આમનાં દ્વારા રાજાઈ સ્થાપન થઈ હતી, જેને દૈવી રાજસ્થાન કહેવાતું હતું. હવે તો આસુરી રાજસ્થાન છે. આખું વિશ્વ દૈવી રાજસ્થાન હતું, આટલાં ખંડ નહોતાં. દિલ્લી જમુના નો કાંઠો હતું, એને પરિસ્તાન કહેવાય છે. ત્યાંની નદીઓ વગેરે ઉછળે થોડી છે. હમણાં તો કેટલી ઉછળે છે, બાંધ ફાટી જાય છે. પ્રકૃતિ નાં જેમ કે આપણે દાસ બની ગયાં છીએ. પછી તમે માલિક બની જશો. ત્યાં માયાની તાકાત નથી રહેતી જે બેઈજ્જત કરે. ધરતી ની તાકાત નથી જે હલી શકે. તમારે પણ મહાવીર બનવું જોઈએ. હનુમાન ને મહાવીર કહે છે ને. બાપ કહે છે તમે બધાં મહાવીર છો. મહાવીર બાળકો ક્યારે હલી ન શકે. મહાવીર મહાવીરનીઓનાં મંદિર બનેલાં છે. ચિત્ર આટલાં થોડી બધાનાં રાખશે. નકશા રુપમાં બનાવેલાં છે. હવે તમે ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો તો કેટલી ખુશી થવી જોઈએ. કેટલાં સારા ગુણ હોવાં જોઈએ. અવગુણો ને નીકાળતાં જાઓ. સદૈવ હર્ષિત રહેવાનું છે. તોફાન તો આવશે. તોફાન આવે ત્યારે તો મહાવીરનીઓ ની તાકાત જોવામાં આવે. તમે જેટલાં મજબૂત બનશો એટલાં તોફાન આવશે. હમણાં તમે પુરુષાર્થ કરી મહાવીર બની રહ્યાં છો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. જ્ઞાનનાં સાગર બાપ જ છે. બાકી બધાં શાસ્ત્ર વગેરે છે ભક્તિમાર્ગ ની સામગ્રી. તમારા માટે છે - પુરુષોત્તમ સંગમયુગ. કૃષ્ણની આત્મા અહીંયા જ બેઠી છે. ભાગીરથ આ છે. આમ તમે બધાં ભાગીરથ છો, ભાગ્યશાળી છો ને. ભક્તિમાર્ગ માં બાપ તો કોઈનો પણ સાક્ષાત્કાર કરાવી શકે છે. આ કારણે મનુષ્યોએ સર્વવ્યાપી કહી દીધાં છે, આ પણ ડ્રામાની ભાવી. આપ બાળકો ખુબ ઉંચું ભણતર ભણી રહ્યાં છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા પર જે કાટ (જંક) ચઢેલો છે, તેને યાદની યાત્રા થી ઉતારી ખુબ-ખુબ પ્રેમાળ બનવાનું છે. પ્રેમ એવો હોય જે બાપની સદા કશિશ રહે.

2. માયાનાં તોફાનો થી ડરવાનું નથી, મહાવીર બનવાનું છે. પોતાનાં અવગુણો ને નીકાળતાં જવાનું છે, સદા હર્ષિત રહેવાનું છે. ક્યારેય પણ હલવાનું નથી.

વરદાન :-
પોતાનાં અધિકાર ની શક્તિ દ્વારા ત્રિમૂર્તિ રચના ને સહયોગી બનાવવા વાળા રચતા ભવ

ત્રિમૂર્તિ શક્તિયો (મન,બુદ્ધિ અને સંસ્કાર) આ આપ માસ્ટર રચતાની રચના છે. તેને પોતાનાં અધિકાર ની શક્તિ થી સહયોગી બનાવો. જેમ રાજા સ્વયં કાર્ય નથી કરતાં, કરાવે છે, કરવા વાળા રાજ્ય કારોભારી અલગ હોય છે. એમ આત્મા પણ કરાવનહાર છે, કરનહાર આ વિશેષ ત્રિમૂર્તિ શક્તિયો છે. તો માસ્ટર રચયિતાનાં વરદાન ને સ્મૃતિમાં રાખી ત્રિમૂર્તિ શક્તિયો ને અને સાકાર કર્મેન્દ્રિયો ને સાચાં રસ્તા પર ચલાવો.

સ્લોગન :-
અવ્યક્ત પાલના નાં વરદાન નો અધિકાર લેવાનાં માટે સ્પષ્ટવાદી બનો.