10-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
જ્યારે કોઈને પણ સમજાવો છો કે ભાષણ કરો છો તો બાબા - બાબા કહી ને સમજાવો , બાપની
મહિમા કરો ત્યારે તીર લાગશે ”
પ્રશ્ન :-
બાબા ભારતવાસી
બાળકો થી વિશેષ કયો પ્રશ્ન પૂછે છે?
ઉત્તર :-
આપ ભારતવાસી બાળકો જે આટલાં સાહૂકાર હતાં, સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ દેવતા
ધર્મ નાં હતાં, તમે પવિત્ર હતાં, કામ કટારી નહોતાં ચલાવતાં, ખુબ ધનવાન હતાં. પછી તમે
આટલું દેવાળું કેવી રીતે કાઢયું છે - કારણ ની ખબર છે? બાળકો, તમે ગુલામ કેવી રીતે
બની ગયાં? આટલી બધી ધન-સંપત્તિ ક્યાં ગુમાવી દીધી? વિચાર કરો તમે પાવન થી પતિત કેવી
રીતે બની ગયાં? આપ બાળકો પણ આવી-આવી વાતો બાબા-બાબા કહી બીજાને પણ સમજાવો - તો સહજ
સમજી જશે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ
કહેવાથી પણ બાપ જરુર યાદ આવવા જોઈએ. બાપ નું પહેલું-પહેલું કહેવું છે મનમનાભવ. જરુર
પહેલાં પણ કહ્યું છે ત્યારે તો હમણાં પણ કહે છે ને. આપ બાળકો બાપને જાણો છો, જ્યારે
ક્યાંય સભામાં ભાષણ કરવાં જાઓ છો, તો લોકો તો બાપને જાણતાં નથી. તો તેમને પણ એવું
કહેવું જોઈએ કે શિવબાબા કહે છે, એ જ પતિત-પાવન છે. જરુર પાવન બનાવવા માટે અહીં આવી
ને સમજાવે છે. જેમ બાબા અહીંયા તમને કહે છે - હેં બાળકો, તમને સ્વર્ગ નાં માલિક
બનાવ્યાં હતાં, તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા વિશ્વનાં માલિક હતાં, એમ તમારે
પણ બોલવું જોઈએ કે બાબા આ કહે છે. આવાં ભાષણનાં કોઈનાં સમાચાર આવ્યાં નથી. શિવબાબા
કહે છે મને ઊંચે થી ઊંચ માનો છો , પતિત-પાવન પણ માનો છો, હું આવું પણ છું ભારતમાં
અને રાજયોગ શીખવાડવાં આવું છું, કહું છું મામેકમ્ યાદ કરો, મુજ ઊંચ બાપ ને યાદ કરો
કારણકે તે બાપ આપવા વાળા દાતા છે. બરાબર ભારત માં તમે વિશ્વનાં માલિક હતાં ને. બીજો
કોઈ ધર્મ નહોતો. બાપ આપણને બાળકોને સમજાવે છે, અમે પછી તમને સમજાવીએ છીએ. બાબા કહે
છે આપ ભારતવાસી કેટલા સાહુકાર હતાં. સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ દેવતા ધર્મ હતો,
આપ પવિત્ર હતાં, કામ કટારી ચલાવતાં ન હતાં. બહુ જ ધનવાન હતાં. બાપ કહે છે તમે આટલું
દેવાળું કેવી રીતે કાઢયું છે - કારણ ની ખબર છે? તમે વિશ્વ નાં માલિક હતાં. હવે તમે
વિશ્વ નાં ગુલામ કેમ બન્યાં છો? બધાં થી કર્જો લેતાં રહો છો. આટલાં બધાં પૈસા ક્યાં
ગયાં? જેમ બાબા ભાષણ કરી રહ્યાં છે એમ તમે પણ ભાષણ કરો તો અનેકોને આકર્ષણ થાય. તમે
લોકો બાબા ને યાદ નથી કરતાં તો કોઈ ને તીર લાગતું નથી. તે તાકાત નથી મળતી. નહિં તો
તમારું એક પણ ભાષણ એવું સાંભળે તો કમાલ થઇ જાય. શિવબાબા સમજાવે છે ભગવાન તો એક જ
છે. જે દુ:ખહર્તા સુખકર્તા છે, નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. આ જ ભારત પર સ્વર્ગ
હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં, એક જ રાજ્ય હતું. બધાં ક્ષીરખંડ હતાં. જેમ બાપની
મહિમા અપરમપાર છે, તેમ ભારતની મહિમા પણ અપરમપાર છે. ભારતની મહિમા સાંભળીને ખુશ થશે.
બાપ બાળકોથી પૂછે છે - આટલી ધન-સંપત્તિ ક્યાં ગુમાવી દીધી? ભક્તિમાર્ગમાં તમે કેટલો
ખર્ચો કરતાં આવ્યાં છો? કેટલાં મંદિર બનાવો છો. બાબા કહે છે વિચાર કરો - તમે પાવન
થી પતિત કેવી રીતે બન્યાં છો? કહો પણ છો ને - બાબા દુઃખ માં તમારું સિમરણ કરીએ છીએ,
સુખ માં નથી કરતાં. પરંતુ દુઃખી તમને બનાવે કોણ છે? ઘડી-ઘડી બાબા નું નામ લેતાં રહો.
તમે બાબા નો સંદેશ આપો છો. બાબા કહે છે - મેં તો સ્વર્ગ, શિવાલય સ્થાપન કર્યું,
સ્વર્ગ માં આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું ને. તમે આ પણ ભૂલી ગયાં છો. તમને એ પણ
ખબર નથી કે રાધે-કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે. કૃષ્ણ જે વિશ્વનાં
માલિક હતાં, તેમને કલંક બેસી લગાડો છો, મારા પર પણ કલંક લગાડો છો. હું તમારો સદ્દગતિ
દાતા, તમે મને કૂતરાં, બિલાડી, કણ-કણ માં કહી દો છો. બાબા કહે છે તમે કેટલાં પવિત્ર
બની ગયાં છો. બાપ કહે છે સર્વ નો સદ્દગતિ દાતા, પતિત-પાવન હું છું. તમે પછી
પતિત-પાવની ગંગા કહી દો છો. મારાથી યોગ ન લગાડવાથી તમે વધારે જ પતિત બની જાઓ છો. મને
યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થશે. ઘડી-ઘડી બાબા નું નામ લઇ ને સમજાવો તો શિવબાબા
યાદ રહેશે. બોલો, અમે બાપની મહિમા કરીએ છીએ, બાપ પોતે કહે છે હું કેવી રીતે સાધારણ
પતિત તન માં અનેક જન્મોનાં અંતમાં આવું છું. આમનાં જ અનેક જન્મ છે. આ હવે મારાં
બન્યાં છે તો આ રથ દ્વારા તમને સમજાવું છું. આ પોતાનાં જન્મોને નથી જાણતાં. ભાગીરથ
આ છે, આમની પણ વાનપ્રસ્થ અવસ્થામાં હું આવું છું. શિવબાબા આવું સમજાવે છે. આવું
ભાષણ કોઈનું સાંભળ્યું નથી. બાબાનું તો નામ જ નથી લેતાં. આખો દિવસ બાબા ને તો
બિલકુલ યાદ જ નથી કરતાં. ઝરમુઈ-ઝઘમુઈ માં લાગ્યાં રહે છે અને લખે છે કે અમે આવું
ભાષણ કર્યું, અમે આ સમજાવ્યું. બાબા સમજાવે છે હમણાં તો તમે કીડી જેવાં છો. મકોડા
પણ નથી બન્યાં અને અહંકાર કેટલો રહે છે. સમજતા નથી કે શિવબાબા બ્રહ્મા દ્વારા કહે
છે. શિવબાબા ને તમે ભૂલી જાઓ છો. બ્રહ્મા પર ઝટ બગડે છે. બાપ કહે છે - તમે મને જ
યાદ કરો, તમારું કામ છે મારાથી. મને યાદ કરો છો ને. પરંતુ તમને પણ ખબર નથી કે બાપ
શું ચીજ છે, ક્યારે આવે છે. ગુરુ લોકો તમને કહે છે કે કલ્પ લાખો વર્ષનું છે અને બાપ
કહે છે કે કલ્પ છે જ ૫ હજાર વર્ષ નું. જૂની દુનિયા સો પછી નવી થાય છે. નવી તો પછી
જૂની થાય છે. હવે નવી દિલ્હી છે ક્યાં? દિલ્હી તો જ્યારે પરિસ્તાન હશે ત્યારે નવી
દિલ્હી કહેશું. નવી દુનિયામાં નવી દિલ્હી હતી, જમુના ઘાટ ઉપર. તેનાં પર
લક્ષ્મી-નારાયણ નાં મહેલ હતાં. પરીસ્થાન હતું. હવે તો કબ્રસ્તાન થવાનું છે, બધાં
દફન થઈ (માટીમાં મળી) જવાનાં છે એટલે બાપ કહે છે - મુજ ઊંચે થી ઊંચા બાપને યાદ કરો
તો પાવન બનશો. હંમેશા આમ બાબા-બાબા કહી ને સમજાવો. બાબા નામ નથી લેતાં એટલે તમારું
કોઈ સાંભળતું નથી. બાબાની યાદ ન હોવાથી તમારામાં બળ નથી ભરાતું. દેહ-અભિમાન માં તમે
આવી જાઓ છો. બાંધેલીઓ જે માર ખાય છે તે તમારા થી વધારે યાદ માં રહે છે, કેટલું
પોકારે છે. બાપ કહે છે તમે બધી દ્રૌપદીઓ છો ને. હવે તમને નગ્ન થવાથી બચાવે છે.
માતાઓ પણ એવી કોઈ હોય છે જેમને કલ્પ પહેલાં પણ પૂતના વગેરે નામ અપાયા હતાં. તમે ભૂલી
ગયાં છો.
બાપ કહે છે ભારત જ્યારે શિવાલય હતું તો એને સ્વર્ગ કહેવાતું હતું. અહીં પછી જેમની
પાસે મકાન વિમાન વગેરે છે તે સમજે છે અમે સ્વર્ગમાં છીએ. કેટલાં મૂઢમતી છે. દરેક
વાત માં બોલો, બાબા કહે છે. આ હઠયોગી તમને મુક્તિ થોડી આપી શકે છે. જ્યારે સર્વનાં
સદ્દગતિ દાતા એક છે પછી ગુરુ શા માટે કરો છો? શું તમને સન્યાસી બનવું છે કે હઠયોગ
શીખીને બ્રહ્મમાં લીન થવું છે? લીન તો કોઈ થઇ નથી શકતું. પાર્ટ બધાએ ભજવવાનો છે. બધાં
એક્ટર્સ અવિનાશી છે. આ અનાદિ અવિનાશી ડ્રામા છે, મોક્ષ કોઈને મળી કેવી રીતે શકે છે.
બાપ કહે છે હું આ સાધુઓનો પણ ઉધાર કરવા આવું છું. પછી પતિત-પાવની ગંગા કેવી રીતે
હોઈ શકે. પતિત-પાવન તમે મને કહો છો ને. તમારો મારાથી યોગ તૂટવાથી આ હાલ (દશા) થયો
છે. હવે ફરી મારાથી યોગ લગાડો તો વિકર્મ વિનાશ થશે. મુક્તિધામમાં પવિત્ર આત્માઓ રહે
છે. હમણાં તો આખી દુનિયા પતિત છે. પાવન દુનિયાની તો તમને ખબર જ નથી. તમે બધાં પૂજારી
છો, પૂજ્ય એક પણ નથી. તમે બાબાનું નામ લઈને બધાને સજાગ (જાગૃત) કરી શકો છો. બાપ જે
વિશ્વનાં માલિક બનાવે છે - એમની તમે ગ્લાનિ બેસીને કરો છો. શ્રી કૃષ્ણ નાનો બાળક,
સર્વગુણ સંપન્ન તે આવાં ધંધા કેવી રીતે બેસી કરશે. અને કૃષ્ણ બધાનાં ફાધર કેવી રીતે
થઇ શકે. ભગવાન તો એક જ હોય છે ને. જ્યાં સુધી મારી શ્રીમત પર નહીં ચાલશે તો કાટ કેવી
રીતે ઉતરશે. તમે બધાની પૂજા કરતાં રહો છો તો શું હાલત થઈ ગઈ, એટલે પછી મારે આવવું
પડે છે. તમે કેટલાં ધર્મ કર્મ ભ્રષ્ટ થઈ ગયાં છો. બતાવો હિંદુ ધર્મ કોણે ક્યારે
સ્થાપના કર્યો? આમ બુલંદ લલકાર થી ભાષણ કરો. તમને ઘડી-ઘડી બાપ યાદ જ નથી આવતાં.
ક્યારેક-ક્યારેક કોઈ લખે છે કે અમારામાં તો, જાણે બાબાએ આવીને ભાષણ કર્યું. બાબા
ખુબ મદદ કરતાં રહે છે. તમે યાદની યાત્રા માં નથી રહેતાં એટલે કીડી માર્ગની સેવા કરો
છો. બાબાનું નામ લેશો ત્યારે જ કોઈને તીર લાગશે. બાબા સમજાવે છે બાળકો તમે જ
ઓલરાઉન્ડ (સર્વાંગી) ૮૪ નું ચક્ર લગાવ્યું છે તો તમારે જ આવીને સમજાવવું પડે. હું
ભારતમાં જ આવું છું. જે પૂજય હતાં તે પૂજારી બને છે. હું તો પૂજ્ય પૂજારી નથી બનતો.
“બાબા કહે છે, બાબા કહે છે”, આ તો ધૂન લગાડી દેવી જોઈએ. તમે જ્યારે આવું-આવું ભાષણ
કરો, જ્યારે એવું હું સાંભળું ત્યારે સમજાય કે હવે તમે કીડી થી મકોડા બન્યાં છો.
બાપ કહે છે હું તમને ભણાવું છું, તમે ફક્ત મામેકમ્ યાદ કરો. આ રથ દ્વારા તમને ફક્ત
કહું છું કે મને યાદ કરો. રથ ને થોડી યાદ કરવાનાં છે. બાબા આવું કહે છે, બાબા આ
સમજાવે છે, આવું-આવું તમે બોલો પછી જુઓ તમારો કેટલો પ્રભાવ નીકળે છે. બાપ કહે છે
દેહ સહિત બધાં સંબંધો થી બુદ્ધિનો યોગ તોડો. પોતાનું દેહ પણ છોડ્યું તો બાકી રહી ગયી
આત્મા. સ્વયં ને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. ઘણાં કહે છે “અહમ બ્રહ્માસ્મિ” માયા
નાં અમે માલિક છીએ. બાપ કહે છે તમે આ પણ નથી જાણતાં કે માયા કોને કહેવાય છે અને
સંપત્તિ કોને કહેવાય છે! તમે ધનને માયા કહી દો છો. આવું-આવું તમે સમજાવી શકો છો.
બહુજ સારા-સારા બાળકો મુરલી પણ નથી વાંચતા. બાપ ને યાદ નથી કરતા તો તીર નથી લાગતું
કારણ કે યાદનું બળ નથી મળતું. બળ મળે છે યાદ થી. જે યોગબળ થી તમે વિશ્વનાં માલિક બનો
છો. બાળકો દરેક વાતમાં બાબાનું નામ લેતાં રહો તો ક્યારેય કોઈ કાંઈ કહી ન શકે. સર્વ
નાં ભગવાન બાપ તો એક છે કે બધાં ભગવાન છે? કહે છે અમે ફલાણા સંન્યાસી નાં ફોલોઅર્સ
(અનુયાયી) છીએ. હવે તે સન્યાસી અને તમે ગૃહસ્થી તો તમે ફોલોઅર્સ કેવી રીતે થયાં?
ગાએ પણ છે જુઠી માયા જુઠી કાયા જુઠા સબ સંસાર. સાચાં તો એક જ બાપ છે. એ જ્યાં સુધી
ન આવે તો આપણે સાચાં નથી બની શકતાં. મુક્તિ-જીવનમુક્તિ દાતા એક જ છે. બાકી કોઈ પણ
મુક્તિ થોડી આપે છે જે આપણે તેમનાં બનીએ. બાબા કહે છે આ પણ ડ્રામામાં હતું. હવે
સાવધાન થઈ આંખો ખોલો. બાબા આવું કહે છે, આમ કહેવાથી તમે છૂટી જશો. તમારી ઉપર કોઈ
બક્વાસ નહીં કરશે. ત્રિમૂર્તિ શિવબાબા કહેવાનું છે, ફક્ત શિવ નહીં. ત્રિમૂર્તિ ને
કોણે રચ્યાં? બ્રહ્મા દ્વારા સ્થાપના કોણ કરાવે છે? શું બ્રહ્મા ક્રિએટર (રચયિતા)
છે? એવું-એવું નશાથી બોલો ત્યારે કામ કરી શકો છો. નહીં તો દેહ-અભિમાન માં બેસી ભાષણ
કરે છે.
બાપ સમજાવે છે આ અનેક ધર્મોનું કલ્પવૃક્ષ છે. પહેલાં-પહેલાં છે દેવી-દેવતા ધર્મ. હવે
તે દેવતા ધર્મ ક્યાં ગયો? લાખો વર્ષ કહી દે છે આ તો પાંચ હજાર વર્ષની વાત છે. તમે
મંદિર પણ એમનાં જ બનાવતા રહો છો. દેખાડે છે પાંડવો અને કૌરવો ની લડાઈ લાગી. પાંડવ
પહાડો પર ગળી મર્યા પછી શું થયું? હું કેવી રીતે હિંસા કરીશ. હું તો તમને અહિંસક
વૈષ્ણવ બનાવું છું. કામ કટારી ન ચલાવવી, એને જ વૈષ્ણવ કહે છે. તે છે વિષ્ણુની
વંશાવલી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસમાં
સફળતા પ્રાપ્ત કરવા માટે અહંકાર ને છોડી દરેક વાતમાં બાબાનું નામ લેવાનું છે. યાદ
માં રહીને સેવા કરવાની છે. ઝરમુઇ-ઝઘમુઈ માં પોતાનો સમય વ્યર્થ નથી કરવાનો.
2. સાચાં-સાચાં વૈષ્ણવ બનવાનું છે. કોઈ પણ હિંસા નથી કરવાની. દેહ સહિત બધાં સંબંધો
થી બુદ્ધિયોગ તોડી દેવાનો છે.
વરદાન :-
વિશ્વ કલ્યાણ
નાં કાર્યમાં સદા બીઝી ( વ્યસ્ત ) રહેવા વાળા વિશ્વ નાં આધારમૂર્ત ભવ
વિશ્વ કલ્યાણકારી
બાળકો સ્વપ્નમાં પણ ફ્રી નથી રહી શકતાં. જે દિવસ-રાત સેવામાં બીઝી રહે છે તેમને
સ્વપ્નમાં પણ ઘણી નવી-નવી વાતો, સેવા નાં પ્લાન કે યુક્તિ દેખાય છે. તે સેવામાં બિઝી
હોવાનાં કારણે પોતાનાં પુરુષાર્થ નાં વ્યર્થ થી અને બીજાઓનાં પણ વ્યર્થ થી બચેલાં
રહે છે. તેમની સામે બેહદ વિશ્વની આત્માઓ સદા ઈમર્જ (જાગૃત) રહે છે. તેમને જરા પણ
અલબેલાપણું આવી નથી શકતું. આવાં સેવાધારી બાળકોને આધારમૂર્ત બનવાનું વરદાન પ્રાપ્ત
થઈ જાય છે.
સ્લોગન :-
સંગમયુગ ની
એક-એક સેકન્ડ વર્ષો નાં સમાન છે એટલે અલબેલાપણા માં સમય નહીં ગુમાવો.