05-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - એકાંત
માં બેસી હવે એવો અભ્યાસ કરો જે અનુભવ થાય હું શરીર થી ભિન્ન આત્મા છું , આને જ
જીવતે જીવ મરવું કહેવાય છે ”
પ્રશ્ન :-
એકાંત નો અર્થ
શું છે? એકાંત માં બેસી તમારે કયો અનુભવ કરવાનો છે?
ઉત્તર :-
એકાંત નો અર્થ છે એક ની યાદ માં આ શરીરનો અંત થાય અર્થાત્ એકાંત માં બેસી એવો અનુભવ
કરો કે હું આત્મા આ શરીર (ચામડી) ને છોડી બાપની પાસે જાઉં છું. કોઈ પણ યાદ ન રહે.
બેઠાં-બેઠાં અશરીરી થઈ જાઓ. જેમ કે આપણે આ શરીર થી મરી ગયાં. બસ આપણે આત્મા છીએ,
શિવ બાબા નાં બાળકો છીએ, આ પ્રેક્ટિસ (અભ્યાસ) થી દેહ-ભાન તૂટતું જશે.
ઓમ શાંતિ!
બાળકોને બાપ
પહેલાં-પહેલાં સમજાવે છે કે મીઠા-મીઠા બાળકો જ્યારે અહીંયા બેસો છો, તો સ્વયં ને
આત્મા સમજી બાપ ને યાદ કરતાં રહો બીજી કોઈ તરફ બુદ્ધિ ન જવી જોઈએ. આ આપ બાળકો જાણો
છો આપણે આત્મા છીએ. પાર્ટ આપણે આત્માઓ ભજવીએ છીએ આ શરીર દ્વારા. આત્મા અવિનાશી,
શરીર વિનાશી છે. તો આપ બાળકોએ દેહી-અભિમાની બની બાપની યાદ માં રહેવાનું છે. આપણે
આત્મા છીએ તો ભલે આ ઓર્ગન્સ (અવયવો) થી કામ લઈએ કે ન લઈએ. પોતાને શરીર થી અલગ સમજવું
જોઈએ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. દેહ ને ભૂલતાં જાઓ. અમે આત્મા
ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) છીએ. આપણે સિવાય એક બાપનાં બીજા કોઈ ને યાદ નથી કરવાનાં.
જીવતે જીવ મૃત્યું ની અવસ્થા માં રહેવાનું છે. આપણો આત્માઓનો યોગ રહેવાનો છે હવે
બાપ ની સાથે. બાકી તો દુનિયાથી, ઘર થી મરી ગયાં. કહે છે ને આપ મુયે મર ગઈ દુનિયા.
હવે જીવતે જીવ તમારે મરવાનું છે. આપણે આત્મા શિવબાબાનાં બાળકો છીએ. શરીરનું ભાન
ઉડાવતાં રહેવું જોઈએ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો અને મને યાદ કરો. શરીર નું
ભાન છોડો. આ જૂનું શરીર છે ને. જૂની વસ્તુ ને છોડાય છે ને. પોતાને અશરીરી સમજો. હવે
તમારે બાપ ને યાદ કરતાં-કરતાં બાપની પાસે જવાનું છે. આવું કરતાં-કરતાં પછી તમને આદત
પડી જશે. હવે તો તમારે ઘરે જવાનું છે પછી આ જૂની દુનિયાને યાદ કેમ કરીએ. એકાંતમાં
બેસી આવી રીતે પોતાની સાથે મહેનત કરવાની છે. ભક્તિમાર્ગમાં પણ કોઠરી માં અંદર બેસી
માળા ફેરવે છે, પૂજા કરે છે. તમે પણ એકાંત માં બેસી આ કોશિશ કરો તો આદત પડી જશે.
તમારે મુખ થી તો કંઈ બોલવાનું નથી. આમાં છે બુદ્ધિની વાત. શિવબાબા તો છે શીખવાડવા
વાળા. એમણે તો પુરુષાર્થ નથી કરવાનો. આ બાબા પુરુષાર્થ કરે છે, તે પછી આપ બાળકોને
પણ સમજાવે છે. જેટલું થઈ શકે આવી રીતે બેસી ને વિચાર કરો. હવે આપણે જવાનું છે પોતાનાં
ઘરે. આ શરીર ને તો અહીંયા છોડવાનું છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે અને
આયુષ્ય પણ વધશે. અંદર આ ચિંતન ચાલવું જોઈએ. બહાર કાંઈ બોલવાનું નથી. ભક્તિમાર્ગમાં
પણ બ્રહ્મ તત્વ ને અથવા કોઈ શિવ ને પણ યાદ કરે છે. પરંતુ તે યાદ કોઈ યથાર્થ નથી.
બાપ નો પરિચય જ નથી તો યાદ કેવી રીતે કરે. તમને હવે બાપ નો પરિચય મળ્યો છે.
સવારે-સવારે ઉઠી ને એકાંત માં એવી રીતે પોતાની સાથે વાતો કરતાં રહો. વિચાર સાગર
મંથન કરો, બાપ ને યાદ કરો. બાબા અમે હમણાં આવ્યાં કે આવ્યાં તમારી સાચ્ચી ગોદમાં (ખોળામાં).
એ છે રુહાની ગોદ. તો આમ-આમ પોતાની સાથે વાતો કરવી જોઈએ. બાબા આવેલાં છે. બાબા
કલ્પ-કલ્પ આવીને આપણને રાજ્યોગ શીખવાડે છે. બાપ કહે છે - મને યાદ કરો અને ચક્ર ને
યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. બાપમાં જ બધું જ્ઞાન છે ને ચક્રનું. એ પછી
તમને આપે છે. તમને ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે. ત્રણેય કાળ અર્થાત્ આદિ-મધ્ય-અંત
ને તમે જાણો છો. બાપ પણ છે પરમ આત્મા. એમને શરીર તો છે નહીં. હમણાં આ શરીર માં બેસી
તમને સમજાવે છે. આ વન્ડરફુલ વાત છે. ભાગીરથ પર વિરાજમાન હશે તો જરુર બીજી આત્મા છે.
અનેક જન્મોનાં અંત નો જન્મ આમનો છે. નંબરવન પાવન એ જ પછી નંબરવન પતિત બને છે. તે
પોતાને ભગવાન, વિષ્ણુ વગેરે તો કહેતાં નથી. અહીંયા એક પણ આત્મા પાવન છે નહીં, બધાં
પતિત જ છે. તો બાબા બાળકોને સમજાવે છે, આવું-આવું વિચાર સાગર મંથન કરો તો આનાથી તમને
ખુશી પણ રહેશે, આમાં એકાંત પણ જરુર જોઈએ. એકની યાદમાં શરીર નો અંત થાય છે, તેમને
કહેવાય છે એકાંત. આ શરીર છૂટી જશે. સન્યાસી પણ બ્રહ્મની યાદમાં કે તત્વની યાદ માં
રહે છે, તે યાદ માં રહેતાં-રહેતાં શરીર નું ભાન છૂટી જાય છે. બસ અમારે બ્રહ્મ માં
લીન થવું છે. એવી રીતે બેસી જાય છે. તપસ્યા માં બેઠાં-બેઠાં શરીર છોડી દે છે.
ભક્તિમાં તો મનુષ્ય ખુબ ધક્કા ખાય છે, આમાં ધક્કા ખાવાની વાત નથી. યાદમાં જ રહેવાનું
છે. અંતમાં કોઈ યાદ ન રહે. ગૃહસ્થી વ્યવહાર માં તો રહેવાનું જ છે. બાકી સમય કાઢવાનો
છે. વિદ્યાર્થી ને ભણવાનો શોખ હોય છે ને. આ ભણતર છે, સ્વયંને આત્મા ન સમજવાથી
બાપ-શિક્ષક-ગુરુ બધા ને ભૂલી જાય છે એકાંત માં બેસી આમ-આમ વિચાર કરો. ગૃહસ્થી ઘરમાં
તો વાયબ્રેશન ઠીક નથી રહેતું. જો અલગ પ્રબંધ છે તો એક કોઠરી માં એકાંત માં બેસી જાઓ.
માતાઓને તો દિવસમાં પણ સમય મળે છે. બાળકો વગેરે સ્કૂલમાં ચાલ્યાં જાય છે. જેટલો સમય
મળે આ જ કોશિશ કરતાં રહો. તમારું તો એક ઘર છે, બાપને તો કેટલાં અનેકાનેક દુકાન છે,
હજું વૃદ્ધિ થતી જશે. મનુષ્યો ને તો ધંધા વગેરે ની ચિંતા હોય છે તો નિંદર પણ ઉડી
જાય છે. આ વ્યાપાર પણ છે ને. કેટલાં મોટા શરાફ છે. કેટલાં મોટા મટ્ટા-સટ્ટા કરે છે.
જૂનાં શરીર વગેરે લઈ ને નવાં આપે છે, બધાને રસ્તો બતાવે છે. આ પણ ધંધો તેમને કરવાનો
છે. આ વ્યાપાર તો ખુબ મોટો છે. વ્યાપારી ને વ્યાપાર નો જ ખ્યાલ રહે છે. બાબા એવી-એવી
પ્રેક્ટિસ કરે છે પછી બતાવે છે - આવું-આવું કરો. જેટલાં તમે બાપની યાદ માં રહેશો તો
સ્વતઃ જ નિંદર ઉડી જશે. કમાણી માં આત્માને ખુબ મજા આવશે. કમાણી માટે મનુષ્ય રાતનાં
પણ જાગે છે. સિઝન માં આખી રાત પણ દુકાન ખુલ્લી રહે છે. તમારી કમાણી રાત્રે અને સવારે
ખુબ સારી થશે. સ્વદર્શન ચક્રધારી બનશો, ત્રિકાળદર્શી બનશો. ૨૧ જન્મનાં માટે ધન ભેગું
કરે છે. મનુષ્ય સાહૂકાર બનવા માટે પુરુષાર્થ કરે છે. તમે પણ બાપ ને યાદ કરશો તો
વિકર્મ વિનાશ થશે, બળ મળશે. યાદ ની યાત્રા પર નહીં રહેશો તો ખુબ નુકસાન થઇ જશે કારણ
કે માથા પર પાપો નો બોજો ખુબ છે. હવે જમા કરવાનું છે, એક ને યાદ કરવાનાં છે અને
ત્રિકાળદર્શી બનવાનું છે. આ અવિનાશી ધન અડધાકલ્પ માટે ભેગું કરવાનું છે. આ તો ખુબ
વેલ્યુએબલ (મુલ્યવાન) છે. વિચાર સાગર મંથન કરી રત્ન નીકાળવાનાં છે. બાબા જેવી રીતે
સ્વયં કરે છે, બાળકોને પણ યુક્તિ બતાવે છે. કહે છે બાબા માયા નાં તોફાન ખુબ આવે છે.
બાબા કહે છે જેટલું થઈ શકે પોતાની કમાણી કરવાની છે, આ જ કામ આવવાની છે. એકાંત માં
બેસીને બાપ ને યાદ કરવાનાં છે. ફુરસદ છે તો સર્વિસ (સેવા) પણ મંદિરો વગેરે માં ખુબ
કરી શકો છો. બેજ જરુર લાગેલો રહે. બધાં સમજી જશે આ રુહાની મિલેટ્રી છે. તમે લખો પણ
છો - અમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છીએ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, હવે નથી
જે ફરી થી સ્થાપન કરીએ છીએ. આ લક્ષ્મી-નારાયણ લક્ષ્ય-હેતુ છે ને. કોઈ સમયે આ
ટ્રાન્સલાઈટ નું (સ્વ-પ્રકાશિત) ચિત્ર બેટરી સહિત ઉઠાવીને પરિક્રમા કરશો અને બધાને
કહેશો, આ રાજ્ય અમે સ્થાપન પણ કરી રહ્યાં છીએ. આ ચિત્ર સૌથી ફર્સ્ટ ક્લાસ છે. આ
ચિત્ર ખુબ નામીગ્રામી થઈ જશે. લક્ષ્મી-નારાયણ ફક્ત એક તો નહોતાં, તેમની રાજધાની હતી
ને. આ સ્વરાજય સ્થાપન કરી રહ્યાં છીએ. હવે બાપ કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. કહે છે અમે ગીતાનો સપ્તાહ મનાવશું. આ બધાં પ્લાન (યોજના) કલ્પ
પહેલાં માફક બની રહ્યાં છે. પરિક્રમા માં આ ચિત્ર લેવું પડે. આને જોઈને બધાં ખુશ થશે.
તમે કહેશો બાપ ને અને વારસા ને યાદ કરો, મનમનાભવ. આ ગીતાનાં અક્ષર છે ને. ભગવાન
શિવબાબા છે, એ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ૮૪ નાં ચક્રને યાદ કરો તો આ
બની જશો. લિટરેચર (સાહિત્ય) પણ તમે ભેટ આપતા રહો. શિવબાબા નો ભંડારો તો સદા ભરપૂર
છે. આગળ ચાલી ને ખુબ સર્વિસ થશે. લક્ષ્ય-હેતુ કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. એક રાજ્ય,
એક ધર્મ હતો, ખુબ સાહૂકાર હતાં. મનુષ્ય ઈચ્છે છે એક રાજ્ય, એક ધર્મ હોય. મનુષ્ય જે
ઈચ્છે છે તે હવે આસાર દેખાય છે પછી સમજશે આ તો ઠીક કહે છે. ૧૦૦ ટકા પવિત્રતા, સુખ,
શાંતિ નું રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યાં છો તો તમને ખુશી પણ રહેશે. યાદ માં રહેવાથી
જ તીર લાગશે. શાંતિમાં રહી થોડાં અક્ષર જ બોલવાનાં છે. વધારે અવાજ નહીં. ગીત,
કવિતાઓ વગેરે કાંઈ પણ બાબા પસંદ નથી કરતાં. બહાર વાળા મનુષ્યો થી સ્પર્ધા નથી કરવાની.
તમારી વાત જ અલગ છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, બસ. સ્લોગન પણ સારા
હોય જે મનુષ્ય વાંચીને જાગે. બાળકો વૃદ્ધિ ને પામતાં રહે છે. ખજાનો તો ભરપૂર રહે
છે. બાળકોનું આપેલું પછી બાળકોનાં કામમાં જ આવે છે. બાપ તો પૈસા નથી લઈ આવતાં. તમારી
વસ્તુઓ તમારાં કામમાં આવે છે. ભારતવાસી જાણે છે અમે ખુબ સુધાર કરી રહ્યાં છીએ. ૫
વર્ષની અંદર એટલું અનાજ થશે જે અનાજ ની ક્યારેય તકલીફ નહીં થશે. અને તમે જાણો છો -
એવી હાલત થશે જે અન્ન ખાવા માટે નહીં મળશે. એવું નહીં અનાજ કોઈ સસ્તું હશે.
આપ બાળકો જાણો છો આપણે ૨૧ જન્મનાં માટે પોતાનું રાજ્ય-ભાગ્ય પામી રહ્યાં છીએ. આ
થોડી-ઘણી તકલીફ તો સહન કરવાની જ છે. કહેવાય છે ખુશી જેવો ખોરાક નહીં. અતીન્દ્રિય
સુખ ગોપ-ગોપીઓનું ગવાયેલું છે. અસંખ્ય બાળકો થઈ જશે. જે પણ સેપલિંગ (કલમ) વાળા હશે
તે આવતાં જશે. ઝાડ અહીંયા જ વધવાનું છે ને. સ્થાપના થઈ રહી છે. બીજા ધર્મો માં આવું
નથી થતું. તે તો ઉપર થી આવે છે. આ તો જેમ કે ઝાડ સ્થાપન થયેલું જ છે, આમાં પછી
નંબરવાર આવતાં જશે, વૃદ્ધિને પામતાં જશે. તકલીફ કાંઈ નથી. તેમણે તો ઉપર થી આવીને
પાર્ટ ભજવવાનો જ છે, આમાં મહિમાની શું વાત છે. ધર્મસ્થાપક નાં પાછળ આવતાં રહે છે.
તે શિક્ષા શું આપશે સદ્દગતિ ની? કાંઈ પણ નહીં. અહીંયા તો બાપ ભવિષ્ય દેવી-દેવતા
ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. સંગમયુગ પર નવું સૈપલિંગ (કલમ) લગાવે છે ને. પહેલાં
છોડને કુંડામાં લગાવીને પછી નીચે લગાવી દે છે. વૃદ્ધિ થતી જાય છે. તમે પણ હવે છોડ
લગાવી રહ્યાં છો પછી સતયુગ માં વૃદ્ધિ ને પામી રાજ્ય-ભાગ્ય પામશો. તમે નવી દુનિયાની
સ્થાપના કરી રહ્યાં છો. મનુષ્ય સમજે છે - હજું કળયુગ માં ખુબ વર્ષ બાકી છે કારણ કે
શાસ્ત્રોમાં લાખો વર્ષ લખી દીધાં છે. સમજે છે કે કળયુગ માં હજું ૪૦ હજાર વર્ષ બાકી
છે. પછી બાપ આવીને નવી દુનિયા બનાવશે. ઘણાં સમજે છે આ તે જ મહાભારત લડાઈ છે. ગીતાનાં
ભગવાન પણ જરુર હશે. તમે બતાવો છો કૃષ્ણ તો હતાં નહીં. બાપે સમજાવ્યું છે કૃષ્ણ તો
૮૪ જન્મ લે છે. એક ફીચર્સ ન મળે બીજા થી. તો અહીંયા પછી કૃષ્ણ કેવી રીતે આવશે. કોઈ
પણ આ વાતો પર વિચાર નથી કરતાં. તમે સમજો છો કૃષ્ણ સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર) તે
પછી દ્વાપર માં ક્યાંથી આવશે. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્રને જોવાથી જ સમજ માં આવી
જાય છે - શિવબાબા આ વારસો આપી રહ્યાં છે. સતયુગ ની સ્થાપના કરવા વાળા બાપ જ છે. આ
ગોળો, ઝાડ વગેરે નું ચિત્ર ઓછું થોડી છે. એક દિવસ તમારી પાસે આ બધાં ચિત્ર
ટ્રાન્સલાઈટ નાં બની જશે. પછી બધાં કહેશે અમને આવાં ચિત્ર જ જોઈએ. આ ચિત્રો થી પછી
વિહંગ માર્ગની સર્વિસ (સેવા) થઈ જશે. તમારી પાસે બાળકો એટલાં આવશે જે ફુરસદ નહીં
રહેશે. અસંખ્ય આવશે. ખુબ ખુશી થશે. દિવસ-પ્રતિદિવસ તમારો ફોર્સ વધતો જશે. ડ્રામા
અનુસાર જે ફૂલ બનવા વાળા હશે તેમને ટચ (સ્પર્શ) થશે. આપ બાળકોએ એવું નહીં કહેવું પડે
કે બાબા આમની બુદ્ધિ ને ટચ કરો. ટચ કોઈ બાબા થોડી કરે છે. સમય પર જાતે જ ટચ થશે.
બાપ તો રસ્તો બતાવશે ને. ખુબ બાળકીઓ લખે છે - અમારા પતિ ની બુદ્ધિ ને ટચ કરો. એવી
રીતે બધાની બુદ્ધિ ને ટચ કરશે પછી તો બધાં સ્વર્ગ માં ભેગાં થઇ જાય. ભણતર ની જ
મહેનત છે. તમે ખુદાઈ ખિદમતગાર છો ને. સાચ્ચી-સાચ્ચી વાત બાબા પહેલાં થી જ બતાવી દે
છે - શું-શું કરવાનું છે. એવાં ચિત્ર લઇ જવાં પડશે. સીડી નું પણ લઈ જવું પડે. ડ્રામા
અનુસાર સ્થાપના તો થવાની જ છે. બાબા સર્વિસનાં માટે જે ડાયરેક્શન (માર્ગદર્શન) આપે
છે, તેનાં પર ધ્યાન દેવાનું છે. બાબા કહે છે બેજ જાત-જાતનાં લાખો બનાવો. ટ્રેન ની
ટિકિટ લઈને ૧૦૦ માઈલ સુધી સર્વિસ કરીને આવો. એક ડબ્બા થી બીજામાં, પછી ત્રીજામાં,
ખુબ સહજ છે. બાળકોને સર્વિસ નો શોખ રહેવો જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિચાર સાગર
મંથન કરી સારા-સારા રત્ન નીકાળવાનાં છે, કમાણી જમા કરવાની છે. સાચ્ચા-સાચ્ચા ખુદાઈ
ખિદમતગાર બની સેવા કરવાની છે.
2. ભણતર નો ખુબ શોખ
રાખવાનો છે. જ્યારે પણ સમય મળે એકાંત માં ચાલ્યાં જવાનું છે. એવો અભ્યાસ હોય જે
જીવતે જીવ આ શરીર થી મરેલાં છીએ, આ સ્ટેજ (અવસ્થા) નો અનુભવ થતો રહે. દેહ નું ભાન
પણ ભૂલાઈ જાય.
વરદાન :-
ભિન્નતા ને
મટાવીને એકતા લાવવા વાળા સાચ્ચા સેવાધારી ભવ
બ્રાહ્મણ પરિવાર ની
વિશેષતા છે અનેક હોવા છતાં પણ એક. તમારી એકતા દ્વારા જ આખાં વિશ્વમાં એક ધર્મ, એક
રાજ્ય ની સ્થાપના થાય છે એટલે વિશેષ અટેન્શન (ધ્યાન) આપીને ભિન્નતા ને મટાવો અને
એકતા ને લાવો ત્યારે કહેશે સાચ્ચા સેવાધારી. સેવાધારી સ્વયં પ્રતિ નહીં પરંતુ સેવા
પ્રતિ હોય છે. સ્વયં નું બધુંજ સેવા પ્રતિ સ્વાહા કરે છે, જેમ સાકાર બાપે સેવામાં
હડ્ડીઓ પણ સ્વાહા કરી એમ તમારી દરેક કર્મેન્દ્રિય દ્વારા સેવા થતી રહે.
સ્લોગન :-
પરમાત્મા
પ્રેમ માં ખોવાઈ જાઓ તો દુઃખો ની દુનિયા ભૂલાઈ જશે.