25-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 09.04.86
બાપદાદા મધુબન
“ સાચાં સેવાધારી ની
નિશાની ”
આજે જ્ઞાન સૂર્ય,
જ્ઞાન ચંદ્ર પોતાનાં ધરતીનાં તારામંડળ માં બધાં તારાઓને જોઈ રહ્યાં છે. બધાં ચમકતા
તારાઓ પોતાની ચમક અથવા રોશની ફેલાવી રહ્યાં છે. ભિન્ન-ભિન્ન તારાઓ છે. કોઈ વિશેષ
જ્ઞાન તારાઓ છે, કોઈ સહજયોગી તારાઓ છે, કોઈ ગુણદાન મૂર્ત તારાઓ છે. કોઈ નિરંતર
સેવાધારી તારાઓ છે. કોઈ સદા સમ્પન્ન તારાઓ છે. સૌથી શ્રેષ્ઠ છે દર સેકન્ડ સફળતાનાં
તારાઓ. સાથે-સાથે કોઈ-કોઈ ફક્ત ઉમ્મીદોનાં તારાઓ પણ છે. ક્યાંક ઉમ્મીદોનાં તારાઓ અને
ક્યાંક સફળતાનાં તારાઓ! બંનેમાં મહાન અંતર છે. પરંતુ છે બંને તારાઓ અને દરેક
ભિન્ન-ભિન્ન તારાઓનો વિશ્વની આત્માઓ પર, પ્રકૃતિ પર પોત-પોતાનો પ્રભાવ પડી રહ્યો
છે. સફળતાનાં તારાઓ ચારેય તરફ પોતાનાં ઉમંગ-ઉત્સાહ નો પ્રભાવ નાખી રહ્યાં છે.
ઉમ્મીદોનાં તારાઓ સ્વયં પણ ક્યારેક મહોબ્બત, ક્યારેક મહેનત બંને પ્રભાવમાં રહેવાનાં
કારણે બીજાઓમાં આગળ વધવાની ઉમ્મીદ રાખી વધતાં જઈ રહ્યાં છે. તો દરેક પોતાનાથી પૂછો
કે હું કયો તારો છું? બધામાં જ્ઞાન, યોગ, ગુણો ની ધારણા અને સેવાભાવ છે પણ પરંતુ બધું
હોવા છતાં પણ કોઈનામાં જ્ઞાન ની ચમક છે તો કોઇમાં વિશેષ યાદની, યોગની છે. અને
કોઈ-કોઈ પોતાનાં ગુણ-મૂર્તની ચમક થી વિશેષ આકર્ષિત કરી રહ્યાં છે. ચારેય ધારણા હોવા
છતાં પણ પર્સન્ટેજ (ટકાવારી) માં અંતર છે એટલે ભિન્ન-ભિન્ન તારાઓ ચમકતાં દેખાઈ રહ્યાં
છે. આ રુહાની વિચિત્ર તારામંડળ છે. આપ રુહાની તારાઓનો પ્રભાવ વિશ્વ પર પડે છે. તો
વિશ્વનાં સ્થૂળ તારાઓનો પણ પ્રભાવ વિશ્વ પર પડે છે. જેટલાં શક્તિશાળી આપ સ્વયં
તારાઓ બનો છો એટલો વિશ્વની આત્માઓ પર પ્રભાવ પડી રહ્યો છે અને આગળ પડતો જ રહેશે.
જેમ જેટલું ઘોર અંધારું હોય છે તો તારાઓની રિમઝિમ વધારે સ્પષ્ટ દેખાય છે. તેમ જ
અપ્રાપ્તિનો અંધકાર વધતો જઈ રહ્યો છે અને જેટલો વધતો જઈ રહ્યો છે, વધતો જશે એટલો જ
આપ રુહાની તારાઓનો વિશેષ પ્રભાવ અનુભવ કરતાં જશે. બધાને ધરતીનાં ચમકતાં તારાઓ જ્યોતિ
બિંદુનાં રુપ માં પ્રકાશમય કાયા ફરિશ્તા નાં રુપમાં દેખાશે. જેમ હમણાં આકાશનાં
તારાઓની પાછળ તેઓ પોતાનો સમય, શક્તિ અને ધન લગાવી રહ્યાં છે. તેમ રુહાની તારાઓને
જોઈ આશ્ચર્યવત થતાં રહેશે. જેમ હમણાં આકાશમાં તારાઓને જુએ છે, તેમ આ ધરતીનાં મંડળમાં
ચારેય તરફ ફરિશ્તાઓની ઝલક અને જ્યોતિર્મય તારાઓની ઝલક જોશે, અનુભવ કરશે - આ કોણ છે,
ક્યાંથી આ ધરતી પર પોતાનો ચમત્કાર દેખાડવાં આવ્યાં છે. જેમ સ્થાપના નાં આદિ માં
અનુભવ કર્યો કે ચારેય તરફ બ્રહ્મા અને કૃષ્ણનાં સાક્ષાત્કાર ની લહેર ફેલાતી ગઈ. આ
કોણ છે? આ શું દેખાઈ રહ્યું છે? આ સમજવા માટે અનેકોનું અટેન્શન (ધ્યાન) ગયું. તેમ
હવે અંતમાં ચારેય તરફ બંને રુપ “જ્યોતિ અને ફરિશ્તા” એમાં બાપદાદા અને બાળકો બધાની
ઝલક દેખાશે. અને બધાનું એક થી અનેકોનું આ તરફ સ્વતઃ જ અટેન્શન જશે. હવે આ દિવ્ય
દૃશ્ય તમારા બધાનાં સંપન્ન બનવા સુધી રહ્યું છે. ફરિશ્તાપણા ની સ્થિતિ સહજ અને સ્વતઃ
અનુભવ કરે ત્યારે તે સાક્ષાત ફરિશ્તા સાક્ષાત્કાર માં દેખાશે. આ વર્ષ ફરિશ્તાપણા ની
સ્થિતિ માટે વિશેષ આપેલું છે. ઘણાં બાળકો સમજે છે કે શું ફક્ત યાદ નો અભ્યાસ કરીશું
કે સેવા પણ કરીશું અથવા સેવા થી મુક્ત થઈ તપસ્યામાં જ રહીશું. બાપદાદા સેવાનો
યથાર્થ અર્થ સંભળાવી રહ્યાં છે:-
સેવાભાવ અર્થાત્ સદા દરેક આત્માનાં પ્રતિ શુભ ભાવના. શ્રેષ્ઠ કામના નો ભાવ. સેવાભાવ
અર્થાત્ દરેક આત્માની ભાવના પ્રમાણે ફળ આપવું. ભાવના હદની નહીં પરંતુ શ્રેષ્ઠ ભાવના.
આપ સેવાધારીઓ પ્રતિ જો કોઈ રુહાની સ્નેહની ભાવના રાખે, શક્તિઓ નાં સહયોગની ભાવના
રાખે, ખુશીની ભાવના રાખે, શક્તિઓની પ્રાપ્તિ ની ભાવના રાખે, ઉમંગ-ઉત્સાહ ની ભાવના
રાખે, આવી ભિન્ન-ભિન્ન ભાવનાનું ફળ અર્થાત્ સહયોગ દ્વારા અનુભૂતિ કરાવવી, તો સેવા
ભાવ આને કહેવાય છે. ફક્ત સ્પીચ (ભાષણ) કરીને આવી ગયાં, અથવા ગ્રુપ ને સમજાવીને આવી
ગયાં, કોર્સ પૂરો કરાવીને આવી ગયાં, અથવા સેવાકેન્દ્ર ખોલીને આવી ગયાં, આને સેવાભાવ
નથી કહેવાતો. સેવા અર્થાત્ કોઈ પણ આત્માને પ્રાપ્તિ નો મેવો અનુભવ કરાવવો, આવી
સેવામાં તપસ્યા સદા સાથે છે.
તપસ્યા નો અર્થ સંભળાવ્યો - દૃઢ સંકલ્પ થી કોઈપણ કાર્ય કરવું. જ્યાં યથાર્થ સેવાભાવ
છે ત્યાં તપસ્યા નો ભાવ અલગ નથી. ત્યાગ, તપસ્યા, સેવા આ ત્રણેય નું કમ્બાઈન્ડ (સંયુક્ત)
રુપ સાચી સેવા છે, અને નામધારી સેવાનું ફળ અલ્પકાળ નું હોય છે. ત્યાં જ સેવા કરી અને
ત્યાં જ અલ્પકાળ નાં પ્રભાવ નું ફળ પ્રાપ્ત થયું અને સમાપ્ત થઈ ગયું, અલ્પકાળ નાં
પ્રભાવનું ફળ અલ્પકાળ ની મહિમા છે - ખુબ સરસ ભાષણ કર્યું, ખુબ સરસ કોર્સ કરાવ્યો,
ખુબ સરસ સેવા કરી. તો સારું-સારું કહેવાનું અલ્પકાળ નું ફળ મળ્યું અને તેમને મહિમા
સાંભળવાનું અલ્પકાળ નું ફળ મળ્યું. પરંતુ અનુભૂતિ કરાવવી અર્થાત્ સંબંધ જોડાવવો,
શક્તિશાળી બનાવવાં - આ છે સાચી સેવા. સાચી સેવામાં ત્યાગ તપસ્યા ન હોય તો આ ૫૦-૫૦
વાળી સેવા નથી, પરંતુ ૨૫ ટકા સેવા છે.
સાચાં સેવાધારી ની નિશાની છે - ત્યાગ અર્થાત્ નમ્રતા અને તપસ્યા અર્થાત્ એક બાપનાં
નિશ્ચય, નશામાં દૃઢતા. યથાર્થ સેવા આને કહેવાય છે. બાપદાદા નિરંતર સાચાં સેવાધારી
બનવાનાં માટે કહે છે. નામ સેવા હોય અને સ્વયં પણ ડિસ્ટર્બ થાય, બીજાઓને પણ ડિસ્ટર્બ
કરે - આ સેવા થી મુક્ત થવા માટે બાપદાદા કહી રહ્યાં છે. એવી સેવા ન કરવી સારું છે
કારણ કે સેવાનો વિશેષ ગુણ “સંતુષ્ટતા” છે. જ્યાં સંતુષ્ટતા નથી, ભલે સ્વયંથી ભલે
સંપર્ક વાળાઓથી, તે સેવા ન સ્વયં ને ફળની પ્રાપ્તિ કરાવશે ,ન બીજાઓને. એના કરતા,
સ્વયં પોતાને પહેલા સંતુષ્ટમણી બનાવે પછી સેવામાં આવે, તે સારું છે. નહીં તો
સૂક્ષ્મ બોજ જરુર છે. તે અનેક પ્રકારનાં બોજ ઉડતી કળામાં વિઘ્નરુપ બની જાય છે. બોજ
ચઢાવવાનો નથી, બોજ ઉતારવાનો છે. જ્યારે એવું સમજો છો તો એનાથી એકાંતવાસી બનવું સારું
છે કારણ કે એકાંતવાસી બનવાથી સ્વ-પરિવર્તન નું અટેન્શન જશે. તો બાપદાદા તપસ્યા જે
કહી રહ્યાં છે - તે ફક્ત દિવસ રાત બેઠાં-બેઠાં તપસ્યાનાં માટે નથી કહી રહ્યાં.
તપસ્યા માં બેસવું પણ સેવા જ છે. લાઈટ હાઉસ, માઈટ હાઉસ બની શાંતિની, શક્તિની કિરણો
દ્વારા વાયુમંડળ બનાવવાનું છે. તપસ્યાની સાથે મન્સા સેવા જોડાયેલી છે. અલગ નથી. નહીં
તો તપસ્યા શું કરશો! શ્રેષ્ઠ આત્મા, બ્રાહ્મણ આત્મા તો થઈ ગયાં. હવે તપસ્યા અર્થાત્
સ્વયં સર્વ શક્તિઓથી સંપન્ન બની દૃઢ સ્થિતિ, દૃઢ સંકલ્પ દ્વારા વિશ્વની સેવા કરજો.
ફક્ત વાણીની સેવા, સેવા નથી. જેમ સુખ-શાંતિ પવિત્રતા નો પરસ્પર સંબંધ છે તેમ ત્યાગ,
તપસ્યા, સેવા નો સંબંધ છે. બાપદાદા તપસ્વી રુપ અર્થાત્ શક્તિશાળી સેવાધારી રુપ
બનાવવા માટે કહે છે. તપસ્વી રુપની દૃષ્ટિ પણ સેવા કરે છે. તેમનો શાંત સ્વરુપ ચહેરો
પણ સેવા કરે, તપસ્વી મૂર્તિનાં દર્શન માત્ર થી પણ પ્રાપ્તિની અનુભૂતિ થાય છે એટલે
આજકાલ જુઓ જે હઠ થી તપસ્યા કરે છે તેમના દર્શન ની પાછળ પણ કેટલી ભીડ થઈ જાય છે. આ
તમારી તપસ્યાનાં પ્રભાવ ની યાદગાર અંત સુધી ચાલી આવી રહી છે. તો સમજ્યા સેવા ભાવ
કોને કહેવાય છે. સેવા ભાવ અર્થાત્ સર્વ ની કમજોરીઓ ને સમાવવા નો ભાવ. કમજોરીઓ નો
સામનો કરવાનો ભાવ નહીં, સમાવવાનો ભાવ. સ્વયં સહન કરી બીજાઓને શક્તિ આપવાનો ભાવ એટલે
સહનશક્તિ કહેવાય છે. સહન કરવાનું શક્તિ ભરવાની અને શક્તિ આપવાની છે. સહન કરવું, મરવું
નથી. ઘણાં વિચારે છે અમે તો સહન કરતાં-કરતાં મરી જઈશું. શું આપણે મરવાનું છે કે!
પરંતુ આ મરવાનું નથી. આ બધાનાં દિલોમાં સ્નેહ થી જીવવું છે. કેવાં પણ વિરોધી હોય,
રાવણ થી પણ તેજ હોય, એકવાર નહીં ૧૦ વાર સહન કરવું પડે છતાં પણ સહનશક્તિ નું ફળ
અવિનાશી અને મધુર હશે. તે પણ જરુર બદલાઈ જશે. ફક્ત આ ભાવના નહીં રાખો કે મેં આટલું
સહન કર્યું, તો આ પણ કંઈક કરે. અલ્પકાળ નાં ફળ ની ભાવના નહીં રાખો. રહેમ ભાવ રાખો -
આને કહેવાય છે “સેવાભાવ”. તો આ વર્ષે આવી સાચી સેવાનું સબૂત આપી સપૂત ની લિસ્ટ માં
આવવાનો ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) આપી રહ્યાં છે. આ વર્ષે આ નહીં જોવે કે મેળા કે
ફંકશન (કાર્યક્રમ) ખુબ સરસ કર્યા. પરંતુ સંતુષ્ટમણીઓ બની સંતુષ્ટતાની સેવામાં નંબર
આગળ જજો. “વિઘ્ન વિનાશક” ટાઇટલ ની સેરીમની માં ઇનામ લેજો. સમજ્યાં! આને જ કહેવાય છે
“નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ.” તો ૧૮ વર્ષ ની સમાપ્તિ નો આ વિશેષ સંપન્ન બનવાનો અધ્યાય
સ્વરુપ માં દેખાડો. આને જ કહેવાય છે “બાપ સમાન બનવું.” અચ્છા!
સદા ચમકતા રુહાની તારાઓને સદા સંતુષ્ટતાની લહેર ફેલાવવા વાળી સંતુષ્ટ મણિઓને, સદા
એક જ સમય પર ત્યાગ, તપસ્યા, સેવાનો પ્રભાવ નાખવા વાળા પ્રભાવશાળી આત્માઓને, સદા
સર્વ આત્માઓને રુહાની ભાવના નું રુહાની ફળ આપવા વાળા બીજ સ્વરુપ બાપ સમાન શ્રેષ્ઠ
બાળકોને બાપદાદા નાં સમ્પન્ન બનવાનાં યાદપ્યાર અને નમસ્તે.
પંજાબ તથા
હરિયાણા ઝોન નાં ભાઈ - બહેનો થી અવ્યક્ત બાપદાદાની મુલાકાત
સદા પોતાને અચળ અડોલ આત્માઓ અનુભવ કરો છો? કોઈ પણ પ્રકારની હલચલ માં અચલ રહેવું, આ
જ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓની નિશાની છે. દુનિયા હલચલમાં હોય પરંતુ આપ શ્રેષ્ઠ
આત્માઓ હલચલમાં ન આવી શકો. કેમ? ડ્રામા નાં દરેક સીન (દૃશ્ય) ને જાણો છો. નોલેજફુલ
આત્માઓ, પાવરફુલ આત્માઓ સદા સ્વતઃ જ અચળ રહે છે. તો ક્યારેય વાયુમંડળ થી ગભરાતા તો
નથી! નિર્ભય છો? શક્તિઓ નિર્ભય છો? કે થોડો-થોડો ડર લાગે છે? કારણ કે આ તો પહેલાંથી
જ સ્થાપના નાં સમય થી જ જાણો છો કે ભારત માં સિવિલ વોર (ગ્રહયુદ્ધ) થવાનું જ છે. આ
તમારા શરું નાં ચિત્રો માં જ દેખાડેલું છે. તો જે દેખાડ્યું છે તે થવાનું તો છે ને!
ભારત નો પાર્ટ જ સિવિલવોર નો છે એટલે નથીંગ ન્યૂ (કાંઈ જ નવું નથી). તો નથીંગ ન્યૂ
છે કે ગભરાઈ જાઓ છો? શું થયું, કેવી રીતે થયું, આ થયું… સમાચાર સાંભળતા જોતાં પણ
ડ્રામા ની બનેલી ભાવી ને શક્તિશાળી બની જુઓ અને બીજાઓને પણ શક્તિ આપો - આ કામ છે ને
તમારા બધાનું! દુનિયા વાળા ગભરાતા રહે અને તમે તે આત્માઓમાં શક્તિ ભરશો. જે પણ
સંપર્કમાં આવે, તેમને શક્તિઓનું દાન આપતાં ચાલો. શાંતિ નું દાન આપતાં ચાલો.
હમણાં સમય છે અશાંતિનાં સમયે શાંતિ આપવાનો. તો શાંતિનાં મેસેન્જર (સંદેશવાહક) છો.
શાંતિદૂત ગવાયેલાં છે ને! તો ક્યારેય પણ ક્યાંય પણ રહો છો, ચાલો છો, સદા પોતાને
શાંતિનાં દૂત સમજીને ચાલો. શાંતિનાં દૂત છો, શાંતિનો સંદેશ આપવા વાળા છો તો સ્વયં
પણ શાંત સ્વરુપ શક્તિશાળી હશો અને બીજાઓને પણ આપતા રહેશો. તેઓ અશાંતિ આપે તમે શાંતિ
આપો. તે આગ લગાવે તમે પાણી નાખો. આ જ કામ છે ને. આને કહેવાય છે સાચાં સેવાધારી. તો
આવાં સમય પર આવી સેવા ની આવશ્યકતા છે. શરીર તો વિનાશી છે, પરંતુ આત્મા શક્તિશાળી
હોય છે તો એક શરીર છૂટી પણ જાય છે તો બીજા માં યાદની પ્રાલબ્ધ ચાલતી રહેશે એટલે
અવિનાશી પ્રાપ્તિ કરાવતા ચાલો. તો તમે કોણ છો? શાંતિ નાં દૂત. શાંતિનાં મેસેન્જર,
માસ્ટર શાંતિદાતા, માસ્ટર શક્તિદાતા. આ સ્મૃતિ સદા રહે છે ને! સદા પોતાને આ જ સ્મૃતિ
માં આગળ વધારતાં ચાલો. બીજાઓને પણ આગળ વધારો આ જ સેવા છે! ગવર્મેન્ટ (સરકાર) નાં
કોઈ પણ નિયમ હોય છે તો તેનું પાલન કરવું જ પડે છે પરંતુ જ્યારે થોડો પણ સમય મળે છે
તો મન્સા થી, વાણી થી સેવા જરુર કરતાં રહો. હમણાં મન્સા સેવાની તો ખુબ આવશ્યકતા છે,
પરંતુ જ્યારે સ્વયં માં શક્તિ ભરેલી હશે ત્યારે બીજાઓને આપી શકશો. તો સદા શાંતિદાતા
નાં બાળકો શાંતિદાતા બનો. દાતા પણ છો તો વિધાતા પણ છો. હરતાં-ફરતાં યાદ રહે - હું
માસ્ટર શાંતિદાતા, માસ્ટર શક્તિદાતા છું - આ જ સ્મૃતિ થી અનેક આત્માઓને વાયબ્રેશન
આપતાં રહો. ત્યારે તેઓ મહેસૂસ કરશે કે આમનાં સંપર્ક માં આવવાથી શાંતિ ની અનુભૂતિ થઈ
રહી છે. તો આ જ વરદાન યાદ રાખજો કે બાપ સમાન માસ્ટર શાંતિદાતા, શક્તિદાતા બનવાનું
છે. બધાં બહાદુર છો ને! હલચલ માં પણ વ્યર્થ સંકલ્પ ન ચાલે કારણ કે વ્યર્થ સંકલ્પ
સમર્થ બનવા નહીં દેશે. શું થશે, આવું તો નહીં થશે...આ વ્યર્થ છે. જે થશે એને
શક્તિશાળી થઈ ને જુઓ અને બીજાઓને શક્તિ આપો. આ પણ સાઈડસીન (દૃશ્યો) આવે છે. આ પણ એક
બાઈપ્લાટ ચાલી રહ્યો છે. બાઈપ્લાટ સમજીને જુઓ તો ગભરાશો નહીં. અચ્છા!
વિદાયનાં સમયે
( અમૃતવેલા )
આ સંગમયુગ ‘અમૃતવેલા’ છે. આખો જ સંગમયુગ અમૃતવેલા હોવાનાં કારણે આ સમય ની સદાનાં
માટે મહાનતા ગવાય છે. તો આખો જ સંગમયુગ અર્થાત્ અમૃતવેલા અર્થાત્ ડાયમંડ મોર્નિંગ.
સદા બાપ બાળકોની સાથે છે અને બાળકો બાપની સાથે છે એટલે બેહદ ની ડાયમંડ મોર્નિંગ.
બાપદાદા સદા કહેતાં જ રહે છે પરંતુ વ્યક્ત સ્વરુપ માં વ્યક્ત દેશનાં હિસાબ થી આજે
પણ બધાં બાળકોને સદા સાથે રહેવાની ગુડમોર્નિંગ કહો, ગોલ્ડન મોર્નિંગ કહો, ડાયમંડ
મોર્નિંગ કહો જે પણ કહો એ બાપદાદા બધાં બાળકોને આપી રહ્યાં છે. સ્વયં પણ ડાયમંડ છો
અને મોર્નિંગ પણ ડાયમંડ છે, હજું પણ ડાયમંડ બનાવવાની છે, એટલે સદા સાથે રહેવાની
ગુડમોર્નિંગ. અચ્છા!
વરદાન :-
પાંચ તત્વો અને
પાંચ વિકારોને પોતાનાં સેવાધારી બનાવવા વાળા માયાજીત સ્વરાજ્ય અધિકારી ભવ
જેમ સતયુગ માં વિશ્વ
મહારાજા કે વિશ્વ મહારાણીનાં રાજાઈ ડ્રેસ ને પાછળ થી દાસ-દાસીઓ ઉઠાવે છે, એમ
સંગમયુગ પર આપ બાળકો જ્યારે માયાજીત સ્વરાજ્ય અધિકારી બની ટાઈટલ્સ (શીર્ષક) રુપી
ડ્રેસ થી સજ્યા-સજેલાં રહેશો તો આ ૫ તત્વ અને ૫ વિકાર તમારા ડ્રેસને પાછળ થી ઉઠાવશે
અર્થાત્ અધીન થઈને ચાલશે, તેનાં માટે દૃઢ સંકલ્પ નાં બેલ્ટ થી ટાઈટલ્સ નાં ડ્રેસ ને
ટાઇટ કરો, ભિન્ન-ભિન્ન ડ્રેસ અને શ્રુંગાર નાં સેટ થી સજી-ધજી બાપની સાથે રહો તો આ
વિકાર કે તત્વ પરિવર્તન થઈ સહયોગી સેવાધારી થઈ જશે.
સ્લોગન :-
જે ગુણો કે
શક્તિઓનું વર્ણન કરો છો તેનાં અનુભવ માં ખોવાઈ જાઓ. અનુભવ જ સૌથી મોટી ઓથોરિટી (સત્તા)
છે.