23-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવાનાં માટે સ્વયં ભગવાન તમને શ્રેષ્ઠ મત આપી રહ્યાં છે ,
જેનાથી તમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની જાઓ છો ”
પ્રશ્ન :-
દેવતા બનવા
વાળા બાળકોએ વિશેષ કઇ વાતો નું ધ્યાન રાખવાનું છે?
ઉત્તર :-
ક્યારેય કોઈ વાત માં રીસાવાનું નથી, શકલ મુર્દા જેવી નથી કરવાની. કોઈને પણ દુઃખ નથી
આપવાનું. દેવતા બનવું છે તો મુખ થી સદૈવ ફૂલ નીકળે. જો કાંટા કે પથ્થર નીકળે છે તો
પથ્થર નાં પથ્થર રહ્યાં. ગુણ ખુબ સારા ધારણ કરવાનાં છે. અહીંયા જ સર્વગુણ સમ્પન્ન
બનવાનું છે. સજા ખાશો તો પછી પદ સારું નહીં મળશે.
ઓમ શાંતિ!
નવું વિશ્વ કે
નવી દુનિયાનાં માલિક બનવા વાળા બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. આ તો બાળકો
સમજે છે કે બાપ આવ્યાં છે બેહદ નો વારસો આપવાં. આપણે લાયક નહોતાં. પરંતુ કહે છે કે
હેં પ્રભુ હું લાયક નથી, મને લાયક બનાવો. બાળકો ને સમજાવે છે - તમે મનુષ્ય તો છો, આ
દેવતાઓ પણ મનુષ્ય છે પરંતુ આમાં દેવીગુણ છે. આમને સાચાં-સાચાં મનુષ્ય કહેશું.
મનુષ્યોમાં આસુરી ગુણ હોય છે તો ચલન જાનવરો જેવી થઈ જાય છે. દેવીગુણ નથી, તો તેને
આસુરી ગુણ કહેવાય છે. હવે ફરી બાપ આવીને તમને શ્રેષ્ઠ દેવતા બનાવે છે. સચખંડ માં
રહેવાવાળા સાચાં-સાચાં મનુષ્ય આ લક્ષ્મી-નારાયણ છે, આમને પછી દેવતા કહેવાય છે.
આમનામાં દેવીગુણ છે. ભલે ગાએ પણ છે હેં પતિત-પાવન આવો. પરંતુ પાવન રાજાઓ કેવાં હોય
છે પછી પતિત રાજાઓ કેવાં હોય છે, આ રહસ્ય કોઈ નથી જાણતું. તે છે ભક્તિમાર્ગ. જ્ઞાન
ને તો બીજું કોઈ જાણતું નથી. આપ બાળકોને બાપ સમજાવે છે અને આવાં બનાવે છે. કર્મ તો
આ દેવતાઓ પણ સતયુગ માં કરે છે. પરંતુ પતિત કર્મ નથી કરતાં. એમનામાં દેવીગુણ છે.
છી-છી કામ ન કરવા વાળા જ સ્વર્ગવાસી થાય છે. નર્કવાસી થી માયા છી-છી કામ કરાવે છે.
હવે ભગવાન બેસી શ્રેષ્ઠ કામ કરાવે છે અને શ્રેષ્ઠ મત આપે છે કે આવાં છી-છી કામ નહીં
કરો. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવાનાં માટે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત આપે છે. દેવતાઓ
શ્રેષ્ઠ છે ને. રહે પણ છે નવી દુનિયા સ્વર્ગ માં. આ પણ તમારામાં નંબરવાર પુરુષાર્થ
અનુસાર જાણે છે એટલે માળા પણ બને છે ૮ ની અથવા ૧૦૮ ની, ૧૬૧૦૮ ની પણ કહેવાય, તે પણ
શું થયું. આટલાં કરોડ મનુષ્ય છે, આમાં ૧૬ હજાર નીકળે તો શું થયું. ક્વાટર પર્સન્ટેજ
(પા ટકા) પણ નથી. બાપ બાળકોને કેટલાં ઉંચ બનાવે છે, રોજ બાળકો ને સમજાવે છે કે કોઈ
પણ વિકર્મ નહીં કરો. તમને આવાં બાપ મળ્યાં છે તો ખુબ ખુશી થવી જોઈએ. તમે સમજો છો કે
આપણને બેહદનાં બાપે એડોપ્ટ કર્યા (દત્તક લીધાં) છે. આપણે એમનાં બન્યાં છીએ. બાપ છે
સ્વર્ગનાં રચયિતા. તો એવાં સ્વર્ગ નાં માલિક બનવાનાં લાયક સર્વગુણ સંપન્ન બનવું પડે.
આ લક્ષ્મી-નારાયણ સર્વગુણ સમ્પન્ન હતાં. એમની લાયકી ની મહિમા કરાય છે, પછી ૮૪
જન્મોનાં બાદ ન લાયક બની જાય છે. એક જન્મ પણ નીચે ઉતર્યા તો જરા કળા ઓછી થઈ. આમ
ધીરે-ધીરે ઓછી થતી જાય છે. જેમ ડ્રામા પણ જું માફક ચાલે છે ને. તમે પણ ધીરે-ધીરે
નીચે ઉતરો છો તો ૧૨૫૦ વર્ષ માં બે કળા ઓછી થઈ જાય છે. પછી રાવણરાજ્ય માં જલ્દી-જલ્દી
કળા ઓછી થતી જાય છે. ગ્રહણ લાગી જાય છે. જેમ સૂર્ય-ચંદ્રને પણ ગ્રહણ લાગે છે ને. એવું
નથી કે ચંદ્રમા, તારાઓને ગ્રહણ નથી લાગતું, બધાને પૂરું ગ્રહણ લાગેલું છે. હવે બાપ
કહે છે યાદથી જ ગ્રહણ ઉતરશે. કોઈ પણ પાપ નહીં કરો. પહેલાં નંબર નું પાપ છે
દેહ-અભિમાન માં આવવું. આ કઠોર પાપ છે. બાળકોને આ એક જન્મ નાં માટે જ શિક્ષા મળે છે
કારણ કે હવે દુનિયાને ચેંજ (પરિવર્તન) થવાનું છે. પછી આવી શિક્ષા ક્યારેય મળતી નથી.
બેરિસ્ટરી વગેરે ની શિક્ષા તો તમે જન્મ-જન્માંતર લેતા આવ્યાં છો. સ્કૂલ વગેરે તો સદા
છે જ. આ જ્ઞાન એક વાર મળ્યું, બસ. જ્ઞાન સાગર બાપ એક જ વાર આવે છે. એ પોતાનું અને
પોતાની રચનાનાં આદિ-મધ્ય-અંત નું બધું નોલેજ આપે છે. બાપ કેટલું સહજ સમજાવે છે - તમે
આત્માઓ પાર્ટધારી છો. આત્માઓ પોતાનાં ઘરે થી આવીને અહીંયા પાર્ટ ભજવે છે. તેને
મુક્તિધામ કહેવાય છે. સ્વર્ગ છે જીવનમુક્તિ. અહીંયા તો છે જીવનબંધ. આ અક્ષર પણ
યથાર્થ રીતે યાદ કરવાનાં છે. મોક્ષ ક્યારેય થતો નથી. મનુષ્ય કહે છે મોક્ષ મળી જાય
અર્થાત્ આવાગમન થી નીકળી જઈએ. પરંતુ પાર્ટ થી તો નીકળી ન શકાય. આ અનાદિ બન્યો-બનેલ
ખેલ છે. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રિપીટ થાય છે. સતયુગ માં તે જ દેવતાઓ આવશે.
પછી પાછળ થી ઈસ્લામી, બૌદ્ધિ વગેરે બધાં આવશે. આ હ્યુમન (મનુષ્ય) ઝાડ બની જશે. આનું
બીજ ઉપર માં છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ. મનુષ્ય સૃષ્ટિ તો છે જ પરંતુ
સતયુગ માં ખુબ નાની હોય છે પછી ધીરે-ધીરે ખુબ વૃદ્ધિ થતી જાય છે. અચ્છા, પછી નાની
કેવી રીતે થશે? બાપ આવીને પતિત થી પવન બનાવે છે. કેટલાં થોડાં પવન બને છે. કોટોમાં
કોઈ નીકળે છે. અડધોકલ્પ ખુબ થોડાં હોય છે. પછી અડધા કલ્પમાં કેટલી વૃદ્ધિ થાય છે.
તો સૌથી વધારે સંપ્રદાય તે દેવતાઓનો હોવો જોઈએ કારણ કે પહેલાં-પહેલાં આ આવે છે પરંતુ
બીજા-બીજા ધર્મો માં ચાલ્યાં જાય છે કારણ કે બાપને જ ભૂલી ગયાં છે. આ છે એક જ ભૂલ
ની રમત. ભૂલવાથી કંગાળ થઈ જાય છે. ભૂલતાં-ભૂલતાં એકદમ ભૂલી જાય છે. ભક્તિ પણ પહેલાં
એક ની કરે છે કારણ કે સર્વની સદ્દગતિ કરવાવાળા એક છે પછી બીજા કોઈની ભક્તિ કેમ કરવી
જોઈએ. આ લક્ષ્મી-નારાયણને પણ બનાવવાવાળા તો શિવ છે ને. કૃષ્ણ બનાવવાળા કેવી રીતે હશે.
આ તો થઇ નથી શકતું. રાજયોગ શિખવાડવા વાળા કૃષ્ણ કેવી રીતે હશે. તે તો છે સતયુગ નાં
પ્રિન્સ (રાજકુમાર). કેટલી ભૂલ કરી દીધી છે. બુદ્ધિમાં બેસતું નથી. હવે બાપ કહે છે
મને યાદ કરો અને દેવીગુણ ધારણ કરો. કોઈ પણ પ્રોપર્ટી (મિલકત) નો ઝઘડો વગેરે છે તો
તેને ખલાસ કરી દો. ઝઘડો કરતાં-કરતાં તો પ્રાણ પણ નીકળી જશે. બાપ સમજાવે છે આમણે
છોડ્યું તો કોઈ ઝઘડો વગેરે થોડી કર્યો. ઓછું મળ્યું તો જવા દો, તેનાં બદલામાં કેટલી
રાજાઈ મળી ગઈ. બાબા બતાવે છે મને સાક્ષાત્કાર થયો વિનાશ અને રાજાઈ નો તો કેટલી ખુશી
થઇ. આપણને વિશ્વની બાદશાહી મળવાની છે તો આ બધું શું છે. એમ થોડી કોઈ ભૂખે મરશે. વગર
પૈસાવાળા પણ પેટ તો ભરે છે ને. મમ્મા કંઈ લાવી શું. કેટલું મમ્મા ને યાદ કરે છે.
બાપ કહે છે યાદ કરો છો, આ તો ઠીક છે, પરંતુ હવે મમ્મા નાં નામ-રુપ ને યાદ નથી કરવાનું.
આપણે પણ એમનાં જેવી ધારણા કરવાની છે. આપણે પણ મમ્મા જેવાં સારા બનીને ગાદી લાયક
બનીએ. ફક્ત મમ્મા ની મહિમા કરવાથી થોડી થઈ જશો. બાપ તો કહે છે મામેકમ્ યાદ કરો,
યાદની યાત્રા માં રહેવાનું છે. મમ્મા જેવું જ્ઞાન સંભળાવવાનું છે. મમ્મા ની મહિમા
નું સબૂત ત્યારે થાય જ્યારે તમે પણ એવાં મહિમા લાયક બનીને દેખાડો. ફક્ત મમ્મા-મમ્મા
કહેવાથી પેટ નથી ભરાતું. આનાંથી તો પેટ પીઠ થી લાગી જશે. શિવબાબા ને યાદ કરવાથી પેટ
ભરાશે. આ દાદાને પણ યાદ કરવાથી પેટ નહીં ભરાશે. યાદ કરવાનાં છે એક ને. બલિહારી એકની
છે. યુક્તિઓ રચવી જોઈએ સર્વિસ (સેવા) ની. સદૈવ મુખથી ફૂલ નીકળે. જો કાંટા પથ્થર
નીકળે છે તો પથ્થર નાં પથ્થર રહ્યાં. ગુણ ખુબ સારા ધારણ કરવાનાં છે. તમારે અહીંયા
સર્વગુણ સંપન્ન બનવાનું છે. સજાઓ ખાશો તો પછી પદ સારું નહીં મળશે. અહીંયા બાળકો આવે
છે બાપથી ડાયરેક્ટ સાંભળવાં. અહીંયા તાજો-તાજો નશો બાબા ચઢાવે છે. સેવાકેન્દ્ર પર
નશો ચઢે છે પછી ઘરે ગયાં, સંબંધી વગેરે જોયા તો ખલાસ. અહીંયા તમે સમજો છો અમે બાબાનાં
પરિવાર માં બેઠાં છીએ. ત્યાં આસુરી પરિવાર હોય છે. કેટલાં ઝઘડા વગેરે હોય છે. ત્યાં
જવાથી જ કીચડપટ્ટી માં જઈને પડો છો. અહીંયા તો તમને બાપ ભૂલવા ન જોઈએ. દુનિયામાં
સાચી શાંતિ કોઈને પણ મળી ન શકે. પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ સિવાય બાપ નાં કોઈ
આપી નથી શકતું. એવું નથી કે બાપ આશીર્વાદ કરે છે - આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ. ના,
આશીર્વાદ થી કાંઈ પણ નથી મળતું. આ મનુષ્યો ની ભૂલ છે. સન્યાસી વગેરે પણ આશીર્વાદ નથી
કરી શકતાં. આજે આશીર્વાદ આપશે, કાલે સ્વયં જ મરી જાય. પોપ (ખ્રિસ્તીઓનાં ધર્મગુરુ)
પણ જુઓ કેટલાં થઈને ગયાં છે. ગુરુ લોકો ની ગાદી ચાલે છે, નાનપણમાં પણ ગુરુ મરી જાય
છે પછી બીજા કરી લે છે અથવા નાનાં ચેલા ને ગુરુ બનાવી દે છે. આ તો બાપદાદા છે
આપવાવાળા. આ લઈને શું કરશે. બાપ તો નિરાકાર છે ને. લેશે સાકાર. આ પણ સમજવાની વાત
છે. એવું ક્યારેય ન કહેવું જોઈએ કે અમે શિવબાબા ને આપીએ છીએ. ના, આપણે શિવબાબા થી
પદમ લીધું, આપ્યું નથી. બાબા તો તમને અગણિત આપે છે. શિવબાબા તો દાતા છે, તમે એમને
આપશો કેવી રીતે? મેં આપ્યું, આ સમજવાથી પછી દેહ-અભિમાન આવી જાય છે. આપણે શિવબાબા થી
લઈ રહ્યાં છીએ. બાબાની પાસે આટલાં અસંખ્ય બાળકો આવે છે, આવીને રહે છે તો પ્રબંધ
જોઈએ ને. એટલે તમે આપો છો પોતાનાં માટે. એમને પોતાનું થોડી કંઈ કરવાનું છે. રાજધાની
પણ તમને આપે છે એટલે કરો પણ તમે છો. તમને પોતાનાથી પણ ઉંચ બનાવું છું. આવાં બાપને
તમે ભૂલી જાઓ છો. અડધોકલ્પ પૂજ્ય, અડધોકલ્પ પુજારી. પૂજ્ય બનવાથી તમે સુખધામ નાં
માલિક બનો છો પછી પૂજારી બનવાથી દુઃખધામ નાં માલિક બની જાઓ છો. આ પણ કોઈને ખબર નથી
કે બાપ ક્યારે આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. આ વાતો ને તો આપ સંગમયુગી બ્રાહ્મણો
જ જાણો છો. બાબા આટલું સારી રીતે સમજાવે છે છતાં પણ બુદ્ધિમાં નથી બેસતું. જેમ બાબા
સમજાવે છે તેમ યુક્તિ થી સમજાવવું જોઈએ. પુરુષાર્થ કરી એવું શ્રેષ્ઠ બનવાનું છે.
બાપ બાળકો ને સમજાવે છે બાળકોમાં ખુબ સારા દેવીગુણ હોવાં જોઈએ. કોઈ વાતમાં રીસાવાનું
નથી, શકલ મુર્દા જેવી નથી કરવાની. બાપ કહે છે એવાં કોઈ કામ હમણાં નહીં કરો. ચંડી
દેવી નો પણ મેળો લાગે છે. ચંડિકા તેમને કહેવાય જે બાપની મત પર નથી ચાલતી. જે દુઃખ
આપે છે, એવી ચંડિકાઓ નો પણ મેળો લાગે છે. મનુષ્ય અજ્ઞાની છે ને, અર્થ થોડી સમજે છે.
કોઈ માં તાકાત નથી, તે તો જેમ કે ખોખલા છે. તમે બાબાને સારી રીતે યાદ કરો છો તો બાપ
દ્વારા તમને તાકાત મળે છે. પરંતુ અહીંયા રહેતાં પણ અનેકોની બુદ્ધિ બહાર ભટકતી રહે
છે એટલે બાબા કહે છે અહીંયા ચિત્રો ની સામે બેસી જાઓ તો તમારી બુદ્ધિ આમાં બીઝી (વ્યસ્ત)
રહેશે. ગોળા પર, સીડી પર કોઈને સમજાવો તો બોલો સતયુગ માં ખુબ થોડાં મનુષ્ય હોય છે.
હમણાં તો અસંખ્ય મનુષ્ય છે. બાપ કહે છે હું બ્રહ્માનાં દ્વારા નવી દુનિયાની સ્થાપના
કરાવું છું, જૂની દુનિયાનો વિનાશ કરાવું છું. આવી-આવી બેસી પ્રેક્ટિસ (અભ્યાસ) કરવી
જોઈએ. પોતાનું મુખ પોતે જ ખોલી શકો છો. અંદરમાં જે ચાલે છે તે બહાર પણ નીકળવું જોઈએ.
ગૂંગા તો નથી ને. ઘરમાં બુમો પાડવા માટે મુખ ખુલે છે, જ્ઞાન સાંભળવવા માટે નથી ખુલતું!
ચિત્ર તો બધાને મળી શકે છે, હિંમત રાખવી જોઈએ - પોતાનાં ઘરનું કલ્યાણ કરીએ. પોતાનો
ઓરડો ચિત્રો થી સજાવી દો તો બીઝી રહેશો. આ જાણે તમારી લાઇબ્રેરી થઈ જશે. બીજાઓનું
કલ્યાણ કરવાનાં માટે ચિત્ર વગેરે લગાવી દેવાં જોઈએ. જે આવે તેમને સમજાવો. તમે ખુબ
સર્વિસ (સેવા) કરી શકો છો. થોડું પણ સાંભળ્યું તો પ્રજા બની જશે. બાબા આટલી ઉન્નતિ
ની યુક્તિઓ બતાવે છે. બાપ ને યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થશે. બાકી ગંગા માં
જઈને એકદમ ડૂબી જાઓ તો પણ વિકર્મ વિનાશ નહીં થશે. આ બધી છે અંધશ્રદ્ધા. હરિદ્વાર
માં તો આખાં શહેરની ગંદકી આવીને ગંગામાં પડે છે. સાગર માં કેટલી ગંદકી પડે છે.
નદીઓમાં પણ કિચડો પડતો રહે છે, તેનાથી પછી પાવન કેવી રીતે બની શકશો. માયાએ બધાને
બિલકુલ બેસમજ બનાવી દીધાં છે.
બાપ બાળકોને જ કહે છે કે મને યાદ કરો. તમારી આત્મા બોલાવે છે ને - હેં પતતિ-પાવન આવો.
તે તમારા શરીરનાં લૌકિક બાપ તો છે. પતિત-પાવન એક જ બાપ છે. હવે આપણે એ પાવન બનાવવા
વાળા બાપ ને યાદ કરીએ છીએ. જીવનમુક્તિ દાતા એક જ છે, બીજું ન કોઈ. આટલી સહજ વાતનો
અર્થ પણ કોઈ સમજતાં નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ થી
જ્ઞાન રત્ન નીકાળવાની પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. ક્યારેય મુખ થી કાંટા કે પથ્થર
નથી નીકાળવાનાં. પોતાનું અને ઘરનું કલ્યાણ કરવાનાં માટે ઘરમાં ચિત્ર સજાવી દેવાનાં
છે, તેનાં પર વિચાર સાગર મંથન કરી બીજાઓને સમજાવવાનું છે. બીઝી રહેવાનું છે.
2. બાપ થી આશીર્વાદ માગવાનાં બદલે તેમની શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે. બલિહારી શિવબાબા
ની છે એટલે એમને જ યાદ કરવાનાં છે. આ અભિમાન ન આવે કે અમે બાબાને આટલું આપ્યું.
વરદાન :-
વિશ્વ
કલ્યાણકારી ની ઉંચી સ્ટેજ ( અવસ્થા ) પર સ્થિત રહી વિનાશ લીલા ને જોવા વાળા સાક્ષી
દૃષ્ટા ભવ
અંતિમ વિનાશ લીલા ને
જોવાં માટે વિશ્વ કલ્યાણકારી ની ઉંચી સ્ટેજ જોઈએ. જે સ્ટેજ પર સ્થિત થવાથી દેહ નાં
સર્વ આકર્ષણ અર્થાત્ સંબંધ, પદાર્થ, સંસ્કાર, પ્રકૃતિનાં હલચલ નું આકર્ષણ સમાપ્ત થઈ
જાય છે. જ્યારે એવી સ્ટેજ થાય ત્યારે સાક્ષી દૃષ્ટા બની ઉપર ની સ્ટેજ પર સ્થિત થઇ
શાંતિની, શક્તિની કિરણો સર્વ આત્માઓનાં પ્રતિ આપી શકશો.
સ્લોગન :-
ઈશ્વરીય
શક્તિઓથી બળવાન બનો તો માયાનો ફોર્સ સમાપ્ત થઈ જશે.