26-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - શ્રીમત પર ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે , પહેલાં સ્વયં નિર્વિકારી બનવાનું છે પછી બીજાને કહેવાનું છે ”

પ્રશ્ન :-
આપ મહાવીર બાળકોએ કઈ વાતની પરવા નથી કરવાની? ફક્ત કઈ ચેકિંગ (તપાસ) કરતાં સ્વયં ને સંભાળવાનું છે?

ઉત્તર :-
જો કોઈ પવિત્ર બનવામાં વિઘ્ન નાખે છે તો તમારે તેમની પરવા નથી કરવાની. ફક્ત ચેક કરો કે હું મહાવીર છું? હું સ્વયં પોતાને ઠગતો તો નથી ને? બેહદ નો વૈરાગ્ય રહે છે? હું આપ સમાન બનાવું છું? મારામાં ક્રોધ તો નથી? જે બીજાને કહું છું તે સ્વયં પણ કરું છું?

ગીત :-
તુમ્હેં પાકે હમને …

ઓમ શાંતિ!
આમાં બોલવાનું નથી રહેતું, આ સમજવાની વાત છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો સમજી રહ્યાં છે કે આપણે ફરીથી દેવતા બની રહ્યાં છીએ. સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યાં છીએ. બાપ આવીને કહે છે - બાળકો, કામ ને જીતો અર્થાત્ પવિત્ર બનો. બાળકોએ ગીત સાંભળ્યું. હવે ફરીથી બાળકોને સ્મૃતિ આવી છે - આપણે બેહદનાં બાપ થી બેહદ નો વારસો લઈએ છીએ, જે કોઈ છીનવી ન શકે, ત્યાં બીજું કોઈ છીનવવા વાળું હોતું જ નથી. તેને કહેવાય છે અદ્વૈત રાજ્ય. પછી રાવણ રાજ્ય બીજાનું હોય છે. હમણાં તમે સમજી રહ્યાં છો. સમજાવવાનું પણ આવી રીતે છે. આપણે ફરીથી ભારતને શ્રીમત પર નિર્વિકારી બનાવી રહ્યાં છીએ. ઊંચે થી ઊંચા ભગવાન તો બધાં કહેશે. એમને જ બાપ કહેવાય છે. તો આ પણ સમજાવવાનું છે, લખવાનું પણ છે, ભારત જે સંપૂર્ણ નિર્વિકારી સ્વર્ગ હતું તે હવે વિકારી નર્ક બની ગયું છે. આપણે ફરીથી શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. બાપ જે બતાવે છે તે નોંધ કરી પછી તેનાં પર વિચાર સાગર મંથન કરી લખવામાં મદદ કરવી જોઈએ. એવું શું-શું લખીએ છે જે મનુષ્ય સમજે બરાબર ભારત સ્વર્ગ હતું? રાવણ રાજ્ય નહોતું. બાળકોને બુદ્ધિમાં છે - હમણાં આપણને ભારતવાસીઓને બાપ નિર્વિકારી બનાવી રહ્યાં છે. પહેલા સ્વયં ને જોવાનું છે - અમે નિર્વિકારી બન્યાં છીએ? ઈશ્વર ને હું ઠગતો તો નથી ને? એવું નહીં કે ઈશ્વર અમને થોડી જુએ છે. તમારા મુખ થી આ અક્ષર નીકળી ન શકે. તમે જાણો છો પવિત્ર બનાવવા વાળા પતિત પાવન એક જ બાપ છે. ભારત નિર્વિકાર હતું તો સ્વર્ગ હતું. આ દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે ને. યથા રાજા રાણી તથા પ્રજા હશે, ત્યારે તો આખાં ભારત ને સ્વર્ગ કહેવાય છે ને. હમણાં નર્ક છે. આ ૮૪ જન્મો ની સીડી ખુબ સારી ચીજ છે. કોઈ સારું હોય તો તેમને સૌગાત પણ આપી શકાય છે. મોટા-મોટા વ્યક્તિઓને મોટી સોગાત મળે છે ને. તો તમે પણ જે આવે છે, તેમને સમજાવીને આવી-આવી સોગાત આપી શકો છો. ચીજ હંમેશા આપવા માટે તૈયાર રહે છે. તમારી પાસે પણ નોલેજ તૈયાર રહેવું જોઈએ. સીડીમાં પૂરું જ્ઞાન છે. આપણે કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે - આ યાદ રહેવું જોઈએ. આ સમજણ ની વાત છે ને. જરુર જે પહેલાં આવ્યાં છે તેમણે જ ૮૪ જન્મ લીધાં છે. બાપ ૮૪ જન્મ બતાવીને પછી કહે છે કે આમનાં અનેક જન્મો નાં અંતમાં સાધારણ તન માં પ્રવેશ કરું છું. પછી આમનું નામ રાખું છું બ્રહ્મા. આમનાં દ્વારા બ્રાહ્મણ રચું છું. નહીં તો બ્રાહ્મણ ક્યાંથી લાવું. બ્રહ્માનાં બાપ ક્યારેય સાંભળ્યું છે શું? જરુર ભગવાન જ કહેશું. બ્રહ્મા અને વિષ્ણુ ને દેખાડે છે સૂક્ષ્મવતન માં છે. બાપ તો કહે છે હું આમનાં ૮૪ જન્મોનાં અંતમાં પ્રવેશ કરું છું. એડોપ્ટ કરાય છે તો નામ બદલી કરાય છે. સન્યાસ પણ કરાવાય છે. સન્યાસી પણ જ્યારે સન્યાસ કરે છે તો તરત ભૂલી નથી જતાં, યાદ જરુર રહે છે. તમને પણ યાદ રહેશે પરંતુ તમને એમનાં માટે વૈરાગ્ય છે કારણ કે તમે જાણો છો કે આ બધાં કબ્રદાખલ થવાનાં છે એટલે અમે એમને યાદ કેમ કરીએ. જ્ઞાન થી બધુંજ સમજવાનું છે સારી રીતે. તેઓ પણ જ્ઞાન થી જ ઘરબાર છોડે છે. તેમને પુછાય ઘરબાર કેવી રીતે છોડયું તો બતાવતાં નથી. પછી તેમને યુક્તિ થી કહેવાય છે - તમને કેવી રીતે વૈરાગ્ય આવ્યો, અમને સંભળાવો તો અમે પણ એવું કરીએ. તમે ટેમ્પટેશન (પ્રલોભન) આપો છો કે પવિત્ર બનો, બાકી તમને યાદ બધું છે. નાનપણ થી લઈને બધું જ બતાવી શકો છો. બુદ્ધિમાં બધુંજ જ્ઞાન છે. કેવી રીતે આ બધાં ડ્રામાનાં એક્ટર છે જે પાર્ટ ભજવતાં આવ્યાં છે. હમણાં બધાનાં કળયુગી કર્મબંધન તૂટવાનાં છે. પછી જશે શાંતિધામ. ત્યાંથી પછી બધાનાં નવાં સંબંધ જોડાશે. સમજાવવાની પોઇન્ટ્સ (વાત) પણ બાબા સારી-સારી આપતાં રહે છે. આ જ ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા હતાં તો નિર્વિકારી હતાં પછી ૮૪ જન્મ બાદ વિકારી બન્યાં. હવે ફરી નિર્વિકારી બનવાનું છે. પરંતુ પુરુષાર્થ કરાવવા વાળું જોઈએ. હમણાં તમને બાપે બતાવ્યું છે. બાપ કહે છે તમે એ જ છો ને. બાળકો પણ કહે છે બાબા તમે એ જ છો. બાપ કહે છે કલ્પ પહેલાં પણ તમને ભણાવીને રાજ્ય-ભાગ્ય આપ્યું હતું. કલ્પ-કલ્પ આવું કરતાં રહેશે. ડ્રામા માં જે કાંઈ થયું, વિઘ્ન પડ્યાં, ફરી પણ પડશે. જીવનમાં શું-શું થાય છે, યાદ તો રહે છે ને. આમને તો બધું યાદ છે. બતાવે પણ છે ગામડા નો છોકરો હતો અને વૈકુંઠ નો માલિક બન્યો. વૈકુંઠ માં ગામડું કેવી રીતે હશે - આ તમે હમણાં જાણો છો. આ સમયે તમારા માટે પણ આ જૂની દુનિયા ગામડું છે ને. ક્યાં વૈકુંઠ, ક્યાં આ નર્ક. મનુષ્ય તો મોટા-મોટા મહેલ બિલ્ડીંગ વગેરે જોઈ સમજે છે આ જ સ્વર્ગ છે. બાપ કહે છે આ તો બધું માટી, પથ્થર છે, આની કોઈ કિંમત નથી. કિંમત સૌથી વધારે હીરા ની હોય છે. બાપ કહે છે વિચાર કરો સતયુગ માં તમારા સોનાનાં મહેલ કેવાં હતાં. ત્યાં તો બધી ખાણો ભરેલી હોય છે. અઢળક સોનું હોય છે. તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. કોઈ સમયે મુરઝાઇસ (ઉદાસી) આવે છે તો બાબાએ સમજાવ્યું છે - ઘણાં એવાં રેકોર્ડ (ગીત) છે જે તમને તરત ખુશી માં લાવી દેશે. બધું જ્ઞાન બુદ્ધિ માં આવી જાય છે. સમજો છો બાબા આપણને વિશ્વનાં માલિક બનાવે છે. તે ક્યારેય કોઈ છીનવી ન શકે. અડધાકલ્પ માટે આપણે સુખધામ નાં માલિક બનીએ છીએ. રાજાનો બાળક સમજે છે હું આ હદની રાજાઈ નો વારિસ છું. તમને કેટલો નશો રહેવો જોઈએ - આપણે બેહદનાં બાપનાં વારિસ છીએ. બાપ સ્વર્ગની સ્થાપના કરે છે, આપણે ૨૧ જન્મ માટે વારિસ બનીએ છીએ. કેટલી ખુશી થવી જોઈએ. જેમનાં વારિસ બનીએ છીએ એમને પણ જરુર યાદ કરવાનાં છે. યાદ કર્યા વગર તો વારિસ બની નથી શકાતું. યાદ કરે તો પવિત્ર બને ત્યારે જ વારિસ બની સકે. તમે જાણો છો શ્રીમત પર આપણે વિશ્વનાં માલિક ડબલ સિરતાજ બનીએ છીએ. જન્મ પછી જન્મ આપણે રાજાઈ કરશું. મનુષ્યો નું ભક્તિમાર્ગ માં હોય છે વિનાશી દાન-પુણ્ય. તમારું છે અવિનાશી જ્ઞાન ધન. તમને કેટલી મોટી લોટરી મળે છે. કર્મો અનુસાર ફળ મળે છે ને. કોઈ મોટા રાજાનાં બાળક બને છે તો મોટી હદની લોટરી કહેશે. સિંગલ તાજવાળા આખાં વિશ્વ નાં માલિક તો બની ન શકે. ડબલ તાજવાળા વિશ્વનાં માલિક તમે બનો છો. તે સમયે બીજી કોઈ રાજાઈ છે નહીં. પછી બીજા ધર્મ પાછળ થી આવે છે. તે જ્યાં સુધી વૃદ્ધિને પામે ત્યાં પહેલાં વાળા રાજાઓ વિકારી બનવાનાં કારણે મતભેદ માં ટુકડાં-ટુકડાં અલગ કરી દે છે. પહેલાં તો આખાં વિશ્વ પર એક જ રાજ્ય હતું. ત્યાં એવું નહીં કહેશે આ આગલા જન્મનાં કર્મો નું ફળ છે. હમણાં બાપ આપ બાળકોને શ્રેષ્ઠ કર્મ શીખવાડી રહ્યાં છે. જેવાં-જેવાં જે કર્મ કરશે, સર્વિસ (સેવા) કરશે તો તેને રિટર્ન (વળતર) પણ એવું મળશે. સારાં કર્મ જ કરવાનાં છે. કોઈ કર્મ કરો છો, સમજી નથી શકતાં તો એનાં માટે શ્રીમત લેવાની છે. ઘડી-ઘડી પૂછવું જોઈએ પત્ર માં. હમણાં પ્રાઇમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) છે, તમે સમજો છો કેટલી પોસ્ટ આવતી હશે. પરંતુ તે કોઈ એકલાં નથી વાંચતા. તેમનાં આગળ બહુજ સેક્રેટરી હોય છે, તે બધી પોસ્ટ જુએ છે. જે બિલકુલ મુખ્ય હશે, પાસ કરશે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર નાં ટેબલ પર રાખશે. અહીંયા પણ એવું હોય છે. મુખ્ય-મુખ્ય પત્રો નો તો તરત રિસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપી દે છે. બાકીનાં માટે યાદ-પ્યાર લખી દે છે. એક-એક ને અલગ પત્ર બેસી લખે આ તો થઇ ન શકે, બહુ મુશ્કેલ છે. બાળકોને કેટલી ખુશી થાય છે - ઓહો! આજે બેહદનાં બાપની ચિઠ્ઠી આવી છે. શિવબાબા બ્રહ્મા દ્વારા રિસ્પોન્ડ કરે છે. બાળકોને બહુ જ ખુશી થાય છે. સૌથી વધારે ગદ્દ-ગદ્દ થાય છે બાંધેલીઓ. ઓહો! અમે બંધનમાં છીએ, બેહદનાં બાપ એમને કેવી ચિઠ્ઠી લખે છે. નયનો પર રાખે છે. અજ્ઞાનકાળ માં પણ પતિ ને પરમાત્મા સમજવા વાળીને પતિ ની ચીઠ્ઠી આવતી હશે તો એને (ચિઠ્ઠી) ચુંબન કરશે. તમારામાં પણ બાપદાદા નો પત્ર જોઈને ઘણાં બાળકોનાં એકદમ રોમાન્ચ ઉભાં થઈ જાય છે. પ્રેમ નાં આંસુ આવી જાય છે. ચુંબન કરશે, આંખો પર રાખશે. ખુબજ પ્રેમથી પત્ર વાંચે છે. બાંધેલીઓ કોઈ ઓછી છે શું. ઘણાં બાળકો પર માયા જીત પામી લે છે. કોઈ તો સમજે છે અમારે તો પવિત્ર જરુર બનવાનું છે. ભારત નિર્વિકારી હતું ને. હમણાં વિકારી છે. હવે જે નિર્વિકારી બનવાના હશે, તે જ પુરુષાર્થ કરશે-કલ્પ પહેલાં માફક. આપ બાળકોને સમજાવવું ખુબ સહજ છે. તમારો પણ આ પ્લાન (યોજના) છે ને. ગીતા નો યુગ ચાલી રહ્યો છે. ગીતાનો જ પુરુષોત્તમ યુગ ગવાય છે. તમે લખો પણ આમ - ગીતાનો આ પુરુષોત્તમ યુગ છે. જ્યારે જૂની દુનિયા બદલાઈ નવી થાય છે. તમારી બુદ્ધિ માં છે - બેહદનાં બાપ જે આપણા શિક્ષક પણ છે, એમનાથી આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ. સારી રીતે ભણશો તો ડબલ સિરતાજ બનશો. કેટલી મોટી સ્કૂલ છે. રાજાઈ સ્થાપન થાય છે. પ્રજા પણ જરુર અનેક પ્રકારની હશે. રાજાઈ વૃદ્ધિ ને પામતી રહેશે. ઓછું જ્ઞાન ઉપાડવા વાળા પાછળ આવશે. જેવો જે પુરુષાર્થ કરશે તે પહેલાં આવતાં રહેશે. આ બધો બન્યો-બનાવેલ ખેલ છે. આ ડ્રામાનું ચક્ર રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે ને. હમણાં તમે બાપ થી વારસો લઈ રહ્યા છો. બાપ કહે છે પવિત્ર બનો. આમાં કોઈ વિઘ્ન નાખે છે તો પરવા ન કરવી જોઈએ. રોટી ટુકડો તો મળી શકે છે ને. બાળકોએ પુરુષાર્થ કરવો જોઈએ તો યાદ રહેશે. બાબા ભક્તિમાર્ગનું દૃષ્ટાંત બતાવે છે - પૂજાનાં સમયે બુદ્ધિયોગ બહાર જતો હતો તો પોતાનાં કાન પકડતાં હતાં, ચમાટ મારતાં હતાં. હવે તો આ છે જ્ઞાન. આમાં પણ મુખ્ય વાત છે યાદની. યાદ ન રહે તો પોતાને થપ્પડ મારવો જોઈએ. માયા મારા ઉપર જીત કેમ પામે. શું હું એટલો કાચો છું. મારે તો આનાં પર જીત પામવાની છે. સ્વયં સ્વયં ને સારી રીતે સંભાળવાનું છે. સ્વયં થી પૂછો હું આટલો મહાવીર છું? બીજાઓને પણ મહાવીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. જેટલું બીજાઓને આપ સમાન બનાવશો તો ઊંચ દર્જો હશે. પોતાનું રાજ્ય ભાગ્ય લેવા માટે રેસ (દોડ) કરવાની છે. જો આપણામાં જ ક્રોધ છે તો બીજાને કેવી રીતે કહેશો કે ક્રોધ નહીં કરવાનો. સચ્ચાઇ ન થઈને. શરમ આવવી જોઇએ. બીજાને સમજાવીએ અને તે ઊંચ બની જાય, આપણે નીચે જ રહી જઈએ, આ પણ કોઈ પુરુષાર્થ છે! (પંડિત ની વાર્તા) બાપ ને યાદ કરતાં તમે એ વિષય સાગર થી ક્ષીર સાગર માં ચાલ્યાં જાઓ છો. બાકી આ બધાં દૃષ્ટાંત બાપ બેસી સમજાવે છે, જે પછી ભક્તિમાર્ગ માં રિપીટ કરે છે. ભ્રમરીનું પણ દૃષ્ટાંત છે. તમે બ્રાહ્મણીઓ છો ને - બી.કે., આ તો સાચાં-સાચાં બ્રાહ્મણ થયાં. પ્રજાપિતા બ્રહ્મા ક્યાં છે? જરુર અહીંયા જ હશે ને. ત્યાં થોડી હશે. આપ બાળકોએ બહુજ હોશિયાર બનવું જોઈએ. બાબાનો પ્લાન છે મનુષ્ય ને દેવતા બનાવવાનો. આ ચિત્ર પણ છે સમજાવવા માટે. એમાં લખાણ પણ એવું હોવું જોઈએ. ગીતા નાં ભગવાનનો આ પ્લાન છે ને. આપણે બ્રાહ્મણ છીએ ચોટી. એકની વાત થોડી હોય છે. પ્રજાપિતા બ્રહ્મા તો ચોટી બ્રાહ્મણો ની થઈ ને. બ્રહ્મા છે જ બ્રાહ્મણો નાં બાપ. આ સમયે બહુ મોટું કુટુંબ (પરિવાર) હશે ને. જે પછી તમે દૈવીકુટુંબ માં આવો છો. આ સમયે તમને ખુબ ખુશી થાય છે કારણ કે લોટરી મળે છે. તમારું નામ બહુ જ છે. વંદે માતરમ, શિવની શક્તિ સેના તમે છો ને. તે તો બધાં છે જ જુઠ્ઠા. અનેક હોવાનાં કારણે મૂંઝાય જાય છે એટલે રાજધાની સ્થાપન કરવામાં મહેનત લાગે છે. બાપ કહે છે આ ડ્રામા બનેલો છે. આમાં મારો પણ પાર્ટ છે. હું છું સર્વશક્તિમાન. મને યાદ કરવાથી તમે પવિત્ર બની જાઓ છો. સૌથી વધારે ચુંબક છે શિવબાબા, એ જ ઊંચે થી ઉંચા રહે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એ જ નશા કે ખુશી માં રહેવાનું છે કે આપણે ૨૧ જન્મોનાં માટે બેહદ બાબાનાં વારિસ બન્યાં છીએ, જેમનાં વારીશ બન્યાં છીએ એમને યાદ પણ કરવાનાં છે અને પવિત્ર પણ જરુર બનવાનું છે.

2. બાપ જે શ્રેષ્ઠ કર્મ શીખવાડી રહ્યાં છે, એ જ કર્મ કરવાનાં છે. શ્રીમત લેતાં રહેવાનું છે.

વરદાન :-
મન્સા પર ફુલ એટેંશન ( પૂરું ધ્યાન ) આપવા વાળા ચઢતી કળાનાં અનુભવી વિશ્વ પરિવર્તક ભવ

હવે છેલ્લાં સમય માં મન્સા દ્વારા જ વિશ્વ પરિવર્તનનાં નિમિત્ત બનવાનું છે એટલે હવે મન્સા નો એક સંકલ્પ પણ વ્યર્થ થયો તો બહુજ ગુમાવ્યું, એક સંકલ્પ ને પણ સાધારણ વાત નહીં સમજો, વર્તમાન સમયે સંકલ્પ ની હલચલ પણ મોટી હલચલ ગણાય છે કારણ કે હવે સમય બદલાઈ ગયો, પુરુષાર્થ ની ગતિ પણ બદલાઈ ગઈ તો સંકલ્પ માં જ ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) જોઈએ. જ્યારે મન્સા પર એટલું એટેન્શન હોય ત્યારે ચઢતી કળા દ્વારા વિશ્વ પરિવર્તક બની શકશો.

સ્લોગન :-
કર્મ માં યોગ નો અનુભવ થવો અર્થાત્ કર્મયોગી બનવું.