30-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમને એક બાપ થી એક મત મળે છે , જેને અદ્વેત મત કહેવાય છે , આ જ અદ્વેત મત થી તમારે દેવતા બનવાનું છે ”

પ્રશ્ન :-
મનુષ્ય આ ભૂલ ભુલૈયાનાં ખેલ માં સૌથી મુખ્ય વાત કઈ ભૂલી ગયાં છે?

ઉત્તર :-
આપણું ઘર ક્યાં છે, એનો રસ્તો જ આ ખેલ માં આવી ને ભૂલી ગયાં છે. ખબર જ નથી કે ઘરે ક્યારે જવાનું છે અને કેવી રીતે જવાનું છે. હવે બાપ આવ્યાં છે તમને બધાને સાથે લઇ જવાં. તમારો હમણાં પુરુષાર્થ છે વાણી થી પરે સ્વીટ હોમ માં જવાનો.

ગીત :-
રાત કે રાહી થક મત જાના ...

ઓમ શાંતિ!
ગીતનો અર્થ બીજું કોઈ સમજી ન શકે, ડ્રામા પ્લાન અનુસાર. કોઈ કોઈ ગીત એવા બનેલાં છે, મનુષ્યોનાં, જે તમને મદદ કરે છે. બાળકો સમજે છે હમણાં અમે એ જ દેવી દેવતા બની રહ્યાં છે. જેમ તે ભણતર ભણવા વાળા કહેશે અમે તો ડોક્ટર, બૅરિસ્ટર બની રહ્યાં છીએ. તમારી બુદ્ધિમાં છે અમે એ જ દેવતા બની રહ્યાં છીએ-નવી દુનિયાનાં માટે. આ ફક્ત તમને જ ખ્યાલ આવે છે. અમરલોક, નવી દુનિયા સતયુગ ને જ કહેવાય છે. હમણાં તો ન સતયુગ છે, ન દેવતાઓનું રાજ્ય છે. અહીંયા તો હોઈ ન શકે. તમે જાણો છો આ ચક્ર ફરીને હમણાં આપણે કળયુગ નાં પણ અંતમાં આવીને પહોંચ્યા છીએ. બીજા કોઈની પણ બુદ્ધિ માં ચક્ર નહીં આવશે. તે તો સતયુગ ને લાખો વર્ષ આપી દે છે. આપ બાળકોને આ નિશ્ચય છે - બરાબર આ પાંચ હજાર વર્ષ પછી ચક્ર ફરતું રહે છે. મનુષ્ય ૮૪ જન્મ જ લે છે, હિસાબ છે ને. આ દેવી-દેવતા ધર્મ ને અદ્વેત ધર્મ પણ કહેવાય છે. અદ્વૈત શાસ્ત્ર પણ મનાય છે. તે પણ એક જ છે, બાકી તો અનેક ધર્મ છે, શાસ્ત્ર પણ અનેક છે. તમે છો એક. એક દ્વારા એક મત મળે છે. તેને કહેવાય છે અદ્વૈત મત. આ અદ્વેત મત તમને મળે છે. દેવી-દેવતા બનવા માટે આ ભણતર છે ને એટલે બાપને જ્ઞાન સાગર, નોલેજફુલ કહેવાય છે. બાળકો સમજે છે અમને ભગવાન ભણાવે છે, નવી દુનિયા માટે. આ ભૂલવું ન જોઈએ. સ્કૂલમાં વિદ્યાર્થી ક્યારેય શિક્ષક ને ભૂલે છે શું? ના. ગૃહસ્થ વ્યવહારમાં રહેવા વાળા પણ વધારે પોઝિશન (પદ) પામવા માટે ભણે છે. તમે પણ ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ભણો છો, પોતાની ઉન્નતિ કરવાં માટે. દિલમાં આ આવવું જોઈએ અમે બેહદનાં બાપ થી ભણી રહ્યાં છીએ. શિવબાબા પણ બાબા છે, પ્રજાપિતા બ્રહ્મા પણ બાબા છે. પ્રજાપિતા બ્રહ્મા આદિ દેવ નામ પ્રસિદ્ધ છે. ફક્ત ભૂતકાળ માં થઈ ગયાં છે. જેમ ગાંધી પણ ભૂતકાળ માં થઈ ગયાં છે. તેમને બાપુજી કહે છે પરંતુ સમજતાં નથી, એમજ કહી દે છે. શિવબાબા સાચાં-સાચાં છે, બ્રહ્મા બાબા પણ સાચાં-સાચાં છે, લૌકિક બાપ પણ સાચાં-સાચાં હોય છે. બાકી મેયર વગેરે ને તો એમ જ બાપુ કહી દે છે. તે બધાં છે આર્ટિફિશિયલ (નકલી). આ છે રિયલ (સાચાં). પરમાત્મા બાપ આવીને આત્માઓને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પોતાનાં બનાવે છે. એમનાં તો જરુર અનેક બાળકો હશે. શિવબાબા નાં તો બધાં સંતાન છે, એમને બધાં યાદ કરે છે. છતાં પણ કોઈ-કોઈ એમને પણ નથી માનતાં, પાક્કા નાસ્તિક હોય છે - જે કહે છે આ સંકલ્પ ની દુનિયા બનેલી છે. હમણાં તમને બાપ સમજાવે છે, આ બુદ્ધિમાં યાદ રાખો - આપણે ભણી રહ્યાં છીએ. ભણાવવા વાળા છે શિવબાબા. આ રાત-દિવસ યાદ રહેવું જોઈએ. આ જ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે, એટલે યાદ કરવાનું હોય છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેવ ને ભૂલી જાય છે. છે પણ એક જ તો પણ ભૂલી જાય છે. રાવણ સાથે લડાઈ આમાં છે. બાપ કહે છે - હેં આત્માઓ, તમે સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બન્યાં છો. જ્યારે શાંતિધામ માં હતાં તો પવિત્ર હતાં. પવિત્રતા નાં વગર કોઈ આત્મા ઉપર રહી નથી સકતી એટલે બધી આત્માઓ પતિત પાવન બાપ ને બોલાવતી રહે છે. જ્યારે બધાં પતિત તમોપ્રધાન બની જાય છે ત્યારે બાપ આવીને કહે છે હું તમને સતોપ્રધાન બનાવું છું. તમે જ્યારે શાંતિધામ માં હતાં તો ત્યાં બધાં પવિત્ર હતાં. અપવિત્ર આત્મા ત્યાં કોઈ રહી ન શકે. બધાએ સજાઓ ભોગવીને પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બન્યાં વગર કોઈ પાછું જઈ ન શકે. ભલે કોઈ કહી દે છે બ્રહ્મા લીન થયાં, ફલાણાં જ્યોતિ જ્યોત સમાયાં. આ બધી છે ભક્તિમાર્ગની અનેક મતો. તમારી આ છે અદ્વૈત મત. મનુષ્ય થી દેવતા તો એક બાપ જ બનાવી શકે છે. કલ્પ-કલ્પ બાપ આવે છે ભણાવવાં. એમનું કર્તવ્ય હૂબહૂ કલ્પ પહેલાં માફક જ ચાલે છે. આ અનાદિ બન્યો-બનાવેલ ડ્રામા છે ને. સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ પછી છે આ સંગમયુગ. મુખ્ય ધર્મ પણ આ છે દેવતા ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, ક્રિશ્ચન ધર્મ અર્થાત્ જેમાં રાજાઈ ચાલે છે. બ્રાહ્મણોની રાજાઈ નથી, ન કૌરવો ની રાજાઈ છે. હમણાં આપ બાળકોએ ઘડી-ઘડી યાદ કરવાનાં છે - બેહદનાં બાપ ને. તમે બ્રાહ્મણોને પણ સમજાવી શકો છો. બાબાએ અનેકવાર સમજાવ્યું છે - પહેલાં-પહેલાં બ્રાહ્મણ ચોટી છે, બ્રહ્માની વંશાવલી પહેલાં-પહેલાં તમે છો. આ તમે જાણો છો ફરી ભક્તિમાર્ગ માં આપણે પૂજ્ય થી પૂજારી બની જઈએ છીએ. ફરી હમણાં આપણે પૂજ્ય બની રહ્યાં છીએ. તે બ્રાહ્મણ ગૃહસ્થી હોય છે, ન કે સંન્યાસી. સન્યાસી હઠયોગી છે, ઘરબાર છોડવું હઠ છે ને. હઠયોગી પણ અનેક પ્રકાર નાં યોગ શીખવાડે છે. જયપુર માં હઠયોગીઓનું પણ મ્યુઝિયમ છે. રાજયોગ નાં ચિત્ર છે નહીં. રાજયોગનાં ચિત્ર છે જ અહીંયા દેલવાડામાં. આમનું મ્યુઝિયમ તો છે નહીં. હઠયોગ નાં કેટલાં મ્યુઝિયમ છે. રાજયોગનું મંદિર અહીંયા ભારતમાં જ છે. આ છે ચૈતન્ય. તમે અહીંયા ચૈતન્ય માં બેઠાં છો. મનુષ્યોને કંઈ પણ ખબર નથી કે સ્વર્ગ ક્યાં છે. દેલવાડા મંદિર માં નીચે તપસ્યા માં બેઠાં છે, પૂરું યાદગાર છે. જરુર સ્વર્ગ ઉપર જ દેખાડવું પડે. મનુષ્ય પછી સમજી લે કે સ્વર્ગ ઉપર છે. આ તો ચક્ર ફરતું રહે છે. અડધાકલ્પ નાં પછી સ્વર્ગ ફરી નીચે ચાલ્યું જશે પછી અડધોકલ્પ સ્વર્ગ ઉપર આવશે. આમની આયુ કેટલી છે, કોઈ જાણતું નથી. તમને બાપે આખું ચક્ર સમજાવ્યું છે. તમે જ્ઞાન લઈને ઉપર જાઓ છો, ચક્ર પૂરું થાય છે પછી નવેસર થી ચક્ર શરું થશે. આ બુદ્ધિ માં ચાલવું જોઈએ. જેમ તે નોલેજ ભણો છો તો બુદ્ધિમાં પુસ્તક વગેરે બધું યાદ રહે છે ને. આ પણ ભણતર છે. આ ભરપૂર રહેવું જોઈએ, ભૂલવું ન જોઈએ. આ ભણતર વૃદ્ધ, જવાન, બાળકો વગેરે બધાને હક છે ભણવાનો. ફક્ત અલ્ફ ને જાણવાનાં છે. અલ્ફ ને જાણી લીધાં તો બાપ ની પ્રોપર્ટી (મિલકત) પણ બુદ્ધિ માં આવી જશે. જાનવર ને પણ બાળકો વગેરે બધાં બુદ્ધિ માં રહે છે. જંગલ માં જશે તો પણ ઘર અને બાળકો યાદ આવતાં રહેશે. પોતે જ શોધી ને આવી જાય છે. હવે બાપ કહે છે બાળકો મામેકમ્ યાદ કરો અને પોતાનાં ઘરને યાદ કરો. જ્યાંથી તમે આવ્યાં છો પાર્ટ ભજવવાં. આત્માને ઘર ખુબજ પ્રિય લાગે છે. કેટલું યાદ કરે છે પરંતુ રસ્તો ભૂલી ગયાં છે. તમારી બુદ્ધિ માં છે, આપણે ખુબ દૂર રહીએ છીએ. પરંતુ ત્યાં જવાનું કેવી રીતે હોય છે, કેમ આપણે જઈ નથી શકતાં, આ કંઈ પણ ખબર નથી, એટલે બાબાએ બતાવ્યું હતું ભૂલ-ભુલૈયા નો ખેલ પણ બનાવે છે, જ્યાંથી જાય દરવાજો બંધ. હવે તમે જાણો છો આ લડાઈનાં પછી સ્વર્ગ નાં દરવાજા ખુલે છે. આ મૃત્યુલોક થી બધાં જશે, આટલાં બધાં મનુષ્ય નંબરવાર ધર્મનુસાર અને પાર્ટ અનુસાર જઈને રહેશે. તમારી બુદ્ધિ માં બધી વાતો છે. મનુષ્ય બ્રહ્મતત્વ માં જવા માટે કેટલું માથુ મારે છે. વાણી થી પરે જવાનું છે. આત્મા શરીર થી નીકળી જાય છે તો પછી અવાજ નથી રહેતો. બાળકો જાણે છે આપણું તો તે સ્વીટ હોમ છે. છે દેવતાઓની છે સ્વીટ રાજધાની, અદ્વેત રાજધાની.

બાપ આવીને રાજયોગ શીખવાડે છે. બધું નોલેજ સમજાવે છે, જેનાં પછી ભક્તિ માં શાસ્ત્ર વગેરે બેસી બનાવ્યાં છે, હમણાં તમારે તે શાસ્ત્ર વગેરે નથી વાંચવાનાં. એ સ્કૂલોમાં ઘરડાઓ વગેરે નથી ભણતાં. અહીંયા તો બધાં ભણે છે. આપ બાળકો અમરલોક માં દેવતા બની જાઓ છો, ત્યાં કોઈ એવાં અક્ષર નથી બોલાતાં, જેનાથી કોઈ ની ગ્લાનિ થાય. હમણાં તમે જાણો છો સ્વર્ગ ભૂતકાળ થઈ ગયું છે, તેની મહિમા છે. કેટલાં મંદિર બનાવે છે. તેમને પૂછો - આ લક્ષ્મી-નારાયણ ક્યારે થઇ ને ગયાં છે? કંઈ પણ ખબર નથી. હવે તમે જાણો છો આપણે પોતાનાં ઘરે જવાનું છે. બાળકોને સમજાવ્યું છે - ઓમ નો અર્થ અલગ છે અને સો હમ નો અર્થ અલગ છે. એમણે પછી ઓમ, સો હમ સો નો અર્થ એક કરી દીધો છે. તમે આત્મા શાંતિધામ માં રહેવા વાળી છો પછી આવો છો પાર્ટ ભજવવાં. દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બને છે. ઓમ અર્થાત્ આપણે આત્મા. કેટલો ફરક છે. તે પછી બંને ને એક કરી દે છે. આ બુદ્ધિથી સમજવાની વાતો છે. કોઈ પૂરી રીતે સમજતાં નથી તો પછી ઝુટકા ખાતા રહે છે. કમાણી માં ક્યારેય ઝુટકા નથી ખાતાં. તે કમાણી તો છે અલ્પકાળ માટે. આ તો અડધાકલ્પ માટે છે. પરતું બુદ્ધિ બીજી તરફ ભટકે છે તો પછી થાકી જાય છે. બગાસા આવતાં રહે છે. તમારે આંખો બંધ કરીને ન બેસવું જોઈએ. તમે તો જાણો છો આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. કળયુગી નર્કવાસી મનુષ્યોને જોવાનાં અને તમારા જોવાનાં માં પણ રાત-દિવસ નો ફરફ થઈ જાય છે. આપણે આત્મા બાપ દ્વારા ભણીએ છીએ. આ કોઈ ને ખબર નથી. જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા આવીને ભણાવે છે. આપણે આત્મા સાંભળી રહી છીએ. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. તમારી બુદ્ધિ ઉપર ચાલી જશે. શિવબાબા આપણને જ્ઞાન સંભળાવી રહ્યાં છે, આમાં બહુજ રિફાઈન (શુદ્ધ) બુદ્ધિ જોઈએ. રિફાઇન બુદ્ધિ કરવા માટે બાપ યુક્તિ બતાવે છે - પોતાને આત્મા સમજવાથી બાપ જરુર યાદ આવશે. પોતાને આત્મા સમજે જ છે એટલે કે બાપ યાદ આવે, સંબંધ રહે જે આખો કલ્પ તૂટ્યો છે. ત્યાં તો છે પ્રાલબ્ધ સુખ જ સુખ, દુઃખની વાત નથી. એને હેવન કહે છે. હેવનલી ગોડફાધર જ હેવન નાં માલિક બનાવે છે. એવાં બાપ ને પણ કેટલું ભૂલી જાય છે. બાપ આવીને બાળકોને એડોપ્ટ કરે છે. મારવાડી લોકો બહુ જ યાદ કરે છે તો એમને ખુશી હશે ને - હું સાહૂકારનાં ખોળામાં આવ્યો છું. સાહૂકાર નાં બાળકો ગરીબની પાસે ક્યારેય નહીં જશે. આ પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો છે તો જરુર મુખ વંશાવલી હશે ને. તમે બ્રાહ્મણ છો મુખ વંશાવલી. તે છે કુખ વંશાવલી. આ ફરક ને તમે જાણો છો. તમે જ્યારે સમજાવો ત્યારે મુખ વંશાવલી બને. આ એડોપ્શન છે. સ્ત્રીને સમજે છે મારી સ્ત્રી. હવે સ્ત્રી કુખ વંશાવલી છે કે મુખ વંશાવલી? સ્ત્રી છે જ મુખ વંશાવલી. પછી જ્યારે બાળકો થાય છે, તે છે કુખ વંશાવલી. બાપ કહે છે આ બધાં છે મુખ વંશાવલી, મારા કહેવાથી મારી બની ને. મારાં બાળકો છે, આ કહેવાથી નશો ચઢે છે. તો આ છે બધું મુખ વંશાવલી, આત્માઓ થોડી મુખ વંશાવલી છે. આત્મા તો અનાદિ-અવિનાશી છે. તમે જાણો છો આ મનુષ્ય સૃષ્ટિ કેવી રીતે ટ્રાન્સફર (બદલી) થાય છે. પોઇન્ટસ તો બાળકોને બહુ જ મળે છે. તો પણ બાબા કહે છે - બીજી કોઈ ધારણા નથી થતી, મુખ નથી ચાલતું તો સારું તમે બાપ ને યાદ કરતાં રહો તો તમે ભાષણ વગેરે કરવા વાળા થી ઊંચ પદ પામી શકો છો. ભાષણ કરવાવાળા કોઈ સમયે તોફાન માં પડી જાય છે. તે પડે નહીં, બાપ ને યાદ કરતાં રહે તો વધારે પદ પામી શકે છે. સૌથી વધારે જે વિકાર માં પડે છે તો પાંચ માળ (મંઝિલ) થી પડવાથી હાડકા તૂટી જાય છે. પાંચમો માળ છે - દેહ-અભિમાન. ચોથો માળ છે કામ પછી ઉતરતા જાઓ. બાપ કહે છે કામ મહાશત્રુ છે. લખે પણ છે બાબા અમે પડી ગયાં. ક્રોધ માટે એવું નહીં કહેશે કે અમે પડી ગયાં. કાળુ મોઢું કરવાથી બહુ માર વાગે છે પછી બીજાને કહી ન શકે કે કામ મહાશત્રુ છે. બાબા વારંવાર સમજાવે છે - ક્રિમિનલ (અપવિત્ર) આંખો ની બહુજ સંભાળ કરવાની છે. સતયુગ માં નગ્ન થવાની વાત જ નથી. ક્રિમિનલ આંખો હોતી નથી. સિવિલ (પવિત્ર) આંખો થઈ જાય છે. તે છે સિવિલિયન (પવિત્ર) રાજ્ય. આ સમયે છે ક્રિમિનલ (અપવિત્ર) દુનિયા. હમણાં તમારી આત્મા ને પવિત્ર દૃષ્ટિ મળે છે, જે ૨૧ જન્મ કામ આવે છે. ત્યાં કોઈ પણ ક્રિમિનલ નથી બનતાં. હવે મુખ્ય વાત બાપ સમજાવે છે બાપ ને યાદ કરો અને ૮૪ નાં ચક્રને યાદ કરો. આ પણ વન્ડર (આશ્ચર્ય) છે જે શ્રી નારાયણ છે તે જ અંત માં આવીને ભાગ્યશાળી રથ બને છે. એમનામાં બાપની પ્રવેશતા થાય છે તો ભાગ્યશાળી બને છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, આ ૮૪ જન્મોની હિસ્ટ્રી-જોગ્રાફી બુદ્ધિ માં રહેવી જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપની યાદ થી બુદ્ધિને રિફાઇન બનાવવાની છે. બુદ્ધિ ભણતર થી સદા ભરપૂર રહે. બાપ અને ઘર સદા યાદ રાખવાનું છે અને યાદ અપાવવાની છે.

2. આ અંતિમ જન્મ માં ક્રિમિનલ (અપવિત્ર) આંખ ને સમાપ્ત કરી સિવિલ આંખ બનાવવાની છે. ક્રિમિનલ આંખોની બહુ જ સંભાળ રાખવાની છે.

વરદાન :-
યાદ અને સેવાનાં બેલેન્સ ( સંતુલન ) દ્વારા ચઢતી કળાનો અનુભવ કરવા વાળા રાજ્ય અધિકારી ભવ

યાદ અને સેવાનું બેલેન્સ (સંતુલન) છે તો દરેક કદમ માં ચઢતી કળા નો અનુભવ કરતાં રહેશો. દરેક સંકલ્પ માં સેવા છે તો વ્યર્થ થી છૂટી જશો. સેવા જીવન નું એક અંગ બની જાય, જેમ શરીર માં બધાં અંગ જરુરી છે તેમ બ્રાહ્મણ જીવનનું વિશેષ અંગ સેવા છે. ખુબજ સેવાનો ચાન્સ (તક) મળવો, સ્થાન મળવું, સંગ મળવો આ પણ ભાગ્ય ની નિશાની છે. આવો સેવા નો ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) લેવા વાળા જ રાજ્ય અધિકારી બને છે.

સ્લોગન :-
પરમાત્મ પ્રેમ ની પાલના નું સ્વરુપ છે - સહજયોગી જીવન .