01-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
દેવતા બનવાનું છે એટલે માયા નાં અવગુણો નો ત્યાગ કરો , ગુસ્સો કરવો , મારવું ,
હેરાન કરવું , ખરાબ કામ કરવું , ચોરી - ચકારી કરવી આ બધાં મહાપાપ છે ”
પ્રશ્ન :-
આ જ્ઞાન માં
કયા બાળકો આગળ જઈ શકે છે? નુકસાન કોને પડે છે?
ઉત્તર :-
જેમને પોતાનો પોતામેલ રાખતાં આવડે છે તે આ જ્ઞાન માં ખુબ આગળ જઈ શકે છે. નુકસાન
તેમને પડે છે જે દેહી-અભિમાની નથી રહેતાં. બાબા કહે વ્યાપારી લોકો ને પોતામેલ
નીકાળવાની આદત હોય છે, તે અહીંયા પણ આગળ જઈ શકે છે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી ……
ઓમ શાંતિ!
રુહાની
પાર્ટધારી બાળકો પ્રતિ બાપ સમજાવે છે કારણ કે રુહ (આત્મા) જ પાર્ટ ભજવી રહી છે
બેહદનાં નાટક માં. છે તો મનુષ્યોનું ને. બાળકો આ સમયે પુરુષાર્થ કરી રહ્યાં છે. ભલે
વેદ-શાસ્ત્ર વાંચે છે, શિવની પૂજા કરે છે પરંતુ બાપ કહે છે આનાથી કોઈ મને પ્રાપ્ત
નથી કરી શકતાં કારણ કે ભક્તિ છે જ ઉતરતી કળા. જ્ઞાન થી સદ્દગતિ થાય છે તો જરુર કોઈ
થી ઉતરતા પણ હશે. આ એક રમત છે, જેને કોઈ પણ જાણતું નથી. શિવલિંગ ને જ્યારે પૂજે છે
તો તેમને બ્રહ્મ નહીં કહેશે. તો કોણ છે જેમને પૂજે છે. તેમને પણ ઈશ્વર સમજી પૂજા કરે
છે. તમે જ્યારે પહેલાં-પહેલાં ભક્તિ શરું કરો છો તો શિવલિંગ હીરા નાં બનાવો છો. હવે
તો ગરીબ બની ગયાં છો તો પથ્થર નાં બનાવો છો. હીરાનું લિંગ તે સમયે ૪-૫ હજાર નું હશે.
આ સમયે તો એની કિંમત ૫-૭ લાખ હશે. એવાં હીરા હવે મુશ્કેલ નીકળે છે. પથ્થર બુદ્ધિ બની
ગયાં છે તો પૂજા પણ પથ્થર ની કરે છે, જ્ઞાન વગર. જ્યારે જ્ઞાન છે તો તમે પૂજા નથી
કરતાં. ચૈતન્ય સમ્મુખ માં છે, એમને જ તમે યાદ કરો છો. જાણો છો યાદ થી વિકર્મ વિનાશ
થશે. ગીત માં પણ કહે છે - હેં બાળકો, પ્રાણી કહેવાય છે આત્માને. પ્રાણ નીકળી ગયાં
પછી તો જેમ મૃત શરીર છે. આત્મા નીકળી જાય છે. આત્મા છે અવિનાશી. આત્મા જ્યારે શરીર
માં પ્રવેશ કરે છે ત્યારે ચૈતન્ય છે. બાપ કહે છે - હેં આત્માઓ, પોતાની અંદર જાંચ (તપાસ)
કરો ક્યાં સુધી દેવીગુણો ની ધારણા થઈ છે? કોઈ વિકાર તો નથી? ચોરી-ચકારી વગેરેનો કોઇ
આસુરી ગુણ તો નથી ને? આસુરી કર્તવ્ય કરવાથી પછી પડી જશો. એટલું પદ નહીં પામી શકશો.
ખરાબ આદત ને નીકાળવાની જરુર છે. દેવતા ક્યારેય કોઈ પર ગુસ્સો નથી કરતાં. અહીંયા
અસુરો દ્વારા કેટલો માર ખાય છે કારણ કે તમે દેવી સંપ્રદાય બનો છો તો માયા કેટલી
દુશ્મન બની જાય છે. માયા નાં અવગુણ કામ કરે છે. મારવું, હેરાન કરવું, ખરાબ કામ કરવું
આ બધાં પાપ છે. આપ બાળકોએ તો બહુજ શુદ્ધ રહેવું જોઈએ. ચોરી-ચકારી વગેરે કરવી તો
મહાન પાપ છે. બાપ થી તમે પ્રતિજ્ઞા કરતા આવ્યાં છો - બાબા મારાં તો તમે એક બીજું ન
કોઇ. અમે તમને જ યાદ કરીશું. ભક્તિમાર્ગ માં ભલે ગાએ છે પરંતુ તેમને ખબર નથી કે યાદ
થી શું થાય છે. તે તો બાપને જાણતાં જ નથી. એક તરફ કહે છે નામ-રુપ થી ન્યારા છે, બીજી
તરફ પછી લિંગની પૂજા કરે છે. તમારે સારી રીતે સમજી ને પછી સમજાવવાનું છે. બાપ કહે
છે આ પણ જજ કરો કે મહાન આત્મા કોને કહેવાય? શ્રી કૃષ્ણ જે નાનો બાળક સ્વર્ગ નો
રાજકુમાર છે, તેઓ મહાત્મા છે કે આજકાલ નાં કળયુગી મનુષ્ય? તે વિકાર થી જન્મ નથી લેતાં
ને. તે છે નિર્વિકારી દુનિયા. આ છે વિકારી દુનિયા. નિર્વિકારી ને ખુબ ટાઈટલ આપી
શકાય
છે. વિકારી નું કયું ટાઇટલ છે? શ્રેષ્ઠાચારી તો એક બાપ જ બનાવે છે. એ છે સૌથી ઊંચે
થી ઊંચા બીજા બધાં મનુષ્ય પાર્ટધારી છે તો પાર્ટ માં જરુર આવવું પડે. સતયુગ છે
શ્રેષ્ઠ મનુષ્યો ની દુનિયા. જનાવર વગેરે બધાં શ્રેષ્ઠ છે. ત્યાં માયા રાવણ જ નથી.
ત્યાં આવાં કોઈ તમોગુણી જનાવર હોતાં નથી. તમને ખબર છે - મોર-ઢેલ છે તે વિકાર થી
બાળકો ને જન્મ નથી આપતાં. તેમનાં આંસુ પડે છે, તેને ઢેલ ધારણ કરે છે. રાષ્ટ્રીય
પક્ષી કહે છે. સતયુગ માં પણ વિકાસ નું નામ નથી. મોર નું પીછું, પહેલાં નંબર જે
વિશ્વ નાં પ્રિન્સ છે શ્રીકૃષ્ણ, તેમનાં માથા પર લગાવે છે. કોઈ તો રહસ્ય હશે ને. તો
આ બધી વાતો બાપ રીફાઈન કરી (મહીનતા થી) સમજાવે છે. ત્યાં બાળકો કેવી રીતે જન્મ લે
છે, તે તો તમે જાણો છો. ત્યાં વિકાર હોતાં નથી. બાપ કહે છે તમને દેવતા બનાવું છું
તો પોતાની જાંચ પૂરી કરો, મહેનત વગર વિશ્વ નાં માલિક થોડી બની શકશો.
જેમ તમારી આત્મા બિંદી છે એમ બાપ પણ બિંદી છે. આમા મુંઝવાની કોઈ દરકાર નથી. કોઈ કહે
છે અમે જોઈએ. બાપ કહે છે જોવા વાળા ની તો તમે ખુબ પૂજા કરી. ફાયદો કાંઈ પણ થયો નહીં.
હવે યથાર્થ રીતે હું તમને સમજાવું છું. મારા માં આખો પાર્ટ ભરેલો છે. સુપ્રીમ સોલ (સર્વોચ્ચ
આત્મા) છું ને, સુપ્રીમ ફાધર (સર્વોચ્ચ પિતા). કોઈ પણ બાળક પોતાનાં લૌકિક બાપ ને આવું
નહીં કહેશે. એક ને જ કહેવાય છે. સન્યાસીઓ ને તો બાળકો છે નહીં જે પિતા કહે. આ તો
સર્વ આત્માઓ નાં પિતા છે, જે વરસો આપે છે. તેમનો કોઈ ગૃહસ્થ આશ્રમ તો છે નહીં. બાપ
બેસી સમજાવે છે - તમે જ ૮૪ જન્મ ભોગવ્યાં છે. પહેલાં-પહેલાં તમે સતોપ્રધાન હતાં પછી
નીચે ઉતરતા આવ્યાં છો. હવે કોઈ પોતાને સુપ્રીમ થોડી કહેશે, હમણાં તો નીંચ સમજે છે.
બાપ વારંવાર સમજાવે છે મૂળ વાત કે પોતાની અંદર જુઓ કે અમારા માં કોઈ વિકાર તો નથી?
રાત્રે રોજ પોતાનો પોતામેલ નીકાળો. વ્યાપારી હંમેશા પોતામેલ નીકાળે છે. ગવર્મેન્ટ (સરકારી)
નોકર પોતામેલ નથી નીકાળી શકતાં. તેમને તો મુકરર (નક્કી કરેલ) પગાર મળે છે. આ
જ્ઞાનમાર્ગ માં પણ વ્યાપારી આગળ જાય છે, ભણેલાં-ગણેલાં ઓફિસર એટલાં નહીં. વ્યાપારમાં
તો આજે ૫૦ કમાયા, કાલે ૬૦ કમાશે. ક્યારેક નુકસાન પણ થઈ જશે. ગવર્મેન્ટ નોકર ને
ફિક્સ પગાર હોય છે. આ કમાણી માં પણ જો દેહી-અભિમાની નહીં હશે તો નુકસાન પડી જશે.
માતાઓ તો વ્યાપાર કરતી નથી. તેમનાં માટે પછી વધારે જ સહજ છે. કન્યાઓનાં માટે પણ સહજ
છે કારણ કે માતાઓને તો સીડી ઉતરવી પડે છે. બલિહારી એમની જે આટલી મહેનત કરે છે.
કન્યાઓ તો વિકાર માં ગઈ જ નથી તો છોડે પછી શું. પુરુષો ને તો મહેનત લાગે છે. કુટુંબ
પરિવાર ની સંભાળ કરવી પડે છે. સીડી જે ચઢ્યાં છે તે આખી ઉતરવી પડે છે. ઘડી-ઘડી માયા
થપ્પડ મારી પાડી દે છે. હવે તમે બી.કે. બન્યાં છો. કુમારીઓ પવિત્ર જ હોય છે. સૌથી
વધારે હોય છે પતિ નો પ્રેમ. તમારે તો પતિઓનાં પતિ (પરમાત્મા) ને યાદ કરવાનાં છે બીજા
બધાને ભૂલી જવાનું છે. મા-બાપનો બાળકો માં મોહ હોય છે. બાળકો તો છે જ અજાણ. લગ્ન પછી
મોહ શરું થાય છે. પહેલાં સ્ત્રી પ્રિય લાગે પછી વિકારો માં ધકેલવાની સીડી શરું કરી
દે છે. કુમારી નિર્વિકારી છે તો પૂજાય છે. તમારું નામ છે બી.કે. તમે મહિમા લાયક બની
પછી પૂજા લાયક બનો છો. બાપ જ તમારાં શિક્ષક પણ છે. તો આપ બાળકો ને નશો રહેવો જોઈએ,
અમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. ભગવાન જરુર ભગવાન-ભગવતી જ બનાવશે. ફક્ત સમજાવાય છે-ભગવાન
એક છે. બાકી બધાં છે ભાઈ-ભાઈ. બીજું કોઈ કનેક્શન (સંબંધ) નથી. પ્રજાપિતા બ્રહ્માથી
રચના થાય છે પછી વૃદ્ધિ થાય છે. આત્માઓની વૃદ્ધિ નહીં કહેશું. વૃદ્ધિ મનુષ્યોની થાય
છે. આત્માઓનાં તો મર્યાદિત નંબર છે. બહુજ આવતા રહે છે. જ્યાં સુધી ત્યાં છે, આવતાં
રહેશે. ઝાડ વધતું રહેશે. એવું નહીં કે સુકાઈ જશે. આની ભેંટ (તુલના) વડ નાં ઝાડ થી
કરાય છે. ફાઉન્ડેશન છે નહીં. બાકી આખું ઝાડ ઊભું છે. તમારું પણ એવું છે. ફાઉન્ડેશન
છે નહીં. કાંઈ ને કાંઈ નિશાની છે. હમણાં સુધી પણ મંદિર બનાવતાં રહે છે. મનુષ્યો ને
થોડી જ ખબર છે કે દેવતાઓનું રાજ્ય ક્યારે હતું. પછી ક્યાં ગયું? આ નોલેજ આપ
બ્રાહ્મણોને જ છે. મનુષ્યો ને આ ખબર નથી કે પરમાત્માનું સ્વરુપ બિંદી છે. ગીતા માં
લખી દીધું છે કે એ અખંડ જ્યોતિ સ્વરુપ છે. પહેલાં અનેકોને સાક્ષાત્કાર થતો હતો ભાવના
અનુસાર. ખુબ લાલ-લાલ થઇ જતા હતાં. બસ અમે નથી સહન કરી શકતાં. હવે એ તો સાક્ષાત્કાર
હતો. બાપ કહે છે સાક્ષાત્કાર થી કોઈ કલ્યાણ નથી. અહીંયા તો મુખ્ય છે યાદ ની યાત્રા.
જેમ પારો ખસી જાય છે ને. યાદ પણ ઘડી-ઘડી ખસી જાય છે. કેટલું ઈચ્છે છે બાપ ને યાદ
કરીએ પછી બીજા-બીજા વિચાર આવી જાય છે. આમાં જ તમારી રેસ (દોડ) છે. એવું નહીં કે ફટ
થી પાપ ભસ્મ થઇ જશે. સમય લાગે છે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર જ ન રહે.
પરંતુ હમણાં કોઈ કર્માતીત અવસ્થાને પામી નથી શકતાં. પછી તેમને સતયુગી શરીર જોઈએ. તો
હવે આપ બાળકોએ બાપને જ યાદ કરવાનાં છે. પોતાને જોતાં રહો - અમારાં થી કોઈ ખરાબ કામ
તો નથી થતું? પોતામેલ જરુર રાખવાનો છે. આવાં વ્યાપારી ઝટ સાહૂકાર બની શકે છે.
બાપ ની પાસે જે નોલેજ છે તે આપી રહ્યાં છે. બાપ કહે છે મારી આત્મા માં આ જ્ઞાન
નોંધાયેલું છે. હૂબહૂ તમને એ જ બોલશે જે કલ્પ પહેલાં જ્ઞાન આપ્યું હતું. બાળકોને જ
સમજાવશે, બીજા શું જાણે. તમે આ સૃષ્ટિ ચક્ર ને જાણો છો, આમાં બધાં એક્ટર્સ નો પાર્ટ
નોંધાયેલો છે. બદલી-સદલી ન થઇ શકે. ન કોઈ છુટકારો પામી શકે. હાં, બાકી સમય મુક્તિ
મળે છે. તમે તો ઓલરાઉન્ડર (સર્વાંગી) છો. ૮૪ જન્મ લો છો. બાકી બધાં પોતાનાં ઘર માં
હશે પછી અંત માં આવશે. મોક્ષ ઇચ્છવા વાળા અહીંયા આવશે નહીં. તે પછી પાછળ માં ચાલ્યાં
જશે. જ્ઞાન ક્યારેય સાંભળશે નહીં. મચ્છરો સદૃશ્ય આવ્યાં અને ગયાં. તમે તો ડ્રામા
અનુસાર ભણો છો. જાણો છો બાબાએ ૫ હજાર વર્ષ પહેલાં પણ આવી રીતે જ રાજયોગ શીખવાડ્યો
હતો. તમે પછી બીજાઓને સમજાવો છો કે શિવબાબા આવું કહે છે. હમણાં તમે જાણો છો આપણે
કેટલાં ઉંચ હતાં, હવે કેટલાં નીંચ બન્યાં છીએ. ફરી બાપ ઉંચ બનાવે છે તો એવો
પુરુષાર્થ કરવો જોઈએ ને. અહીંયા તમે આવો છો રિફ્રેશ થવાં. આનું નામ જ પડ્યું છે
મધુબન. તમારાં કલકત્તા કે બોમ્બે માં થોડી મુરલી ચલાવે છે. મધુબન માં જ મુરલી વાગે.
મુરલી સાંભળવા માટે બાપની પાસે આવવું પડશે રિફ્રેશ થવાં. નવાં-નવાં પોઇન્ટસ (વાતો)
નીકળતાં રહે છે. સમ્મુખ સાંભળવામાં તો ફીલ (અનુભવ) કરો છો, ખુબ ફરક રહે છે. આગળ ચાલી
અનેક પાર્ટ જોવાનાં છે. બાબા પહેલાં-પહેલાં બધું સંભળાવી દે તો ટેસ્ટ (રસ) નીકળી
જાય. ધીમે-ધીમે ઇમર્જ (જાગૃત) થતું જાય છે. એક સેકન્ડ ન મળે બીજા થી. બાપ આવ્યાં છે
રુહાની સેવા કરવાં તો બાળકોની પણ ફરજ છે રુહાની સેવા કરવાની. ઓછામાં ઓછું આ તો બતાવો
- બાપ ને યાદ કરો અને પવિત્ર બનો. પવિત્રતા માં જ નપાસ થાય છે કારણ કે યાદ નથી કરતાં.
આપ બાળકોને ખુબ ખુશી થવી જોઈએ. આપણે બેહદનાં બાપની સમ્મુખ બેઠાં છીએ જેમને કોઈ પણ
નથી જાણતું. જ્ઞાન નાં સાગર એ શિવબાબા જ છે. દેહધારી થી બુદ્ધિયોગ નીકાળી દેવો જોઈએ.
શિવબાબા નો આ રથ છે. આમનો આદર નહીં રાખશો તો ધર્મરાજ દ્વારા ખુબ દંડા ખાવા પડશે.
મોટાઓનો આદર રાખવાનો છે ને. આદિદેવ નો કેટલો આદર રાખે છે. જડ ચિત્ર નો આટલો આદર છે
તો ચૈતન્ય નો કેટલો રાખવો જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર માં
પોતાની જાંચ (તપાસ) કરી દેવીગુણ ધારણ કરવાનાં છે. ખરાબ આદતો ને નીકાળવાની છે.
પ્રતિજ્ઞા કરવાની છે - બાબા અમે ક્યારેય પણ ખરાબ કામ નહીં કરીશું.
2. કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે યાદ ની રેસ કરવાની છે. રુહાની સેવા માં
તત્પર રહેવાનું છે. મોટાઓનો આદર રાખવાનો છે.
વરદાન :-
સર્વ ખજાનાઓ
ને સ્વ નાં પ્રતિ અને બીજાઓ નાં પ્રતિ યુઝ કરવા વાળા અખંડ મહાદાની ભવ
જેમ બાપ નો ભંડારો સદા
ચાલતો રહે છે, રોજ આપે છે તેમ તમારું પણ અખંડ લંગર (ભંડારો) ચાલતું રહે કારણ કે
તમારી પાસે જ્ઞાન નો, શક્તિઓ નો, ખુશીઓ નો ભરપૂર ભંડારો છે. આને સાથે રાખવાથી કે
વાપરવામાં કોઈ પણ ખતરો નથી. આ ભંડારો ખુલ્લો હશે તો ચોર નહીં આવશે. બંધ રાખશો તો
ચોર આવી જશે એટલે રોજ પોતાનાં મળેલા ખજાનાઓને જુઓ અને સ્વ નાં પ્રતિ અને બીજાઓ નાં
પ્રતિ યુઝ કરો તો અખંડ મહાદાની બની જશો.
સ્લોગન :-
સાંભળેલાં નું
મનન કરો, મનન કરવાથી જ શક્તિશાળી બનશો.