16-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
સંગમ પર સેવા કરીને ગાયન લાયક બનવાનું છે પછી ભવિષ્ય માં પુરુષોત્તમ બનવાથી તમે પૂજા
લાયક બની જશો ”
પ્રશ્ન :-
કઈ બીમારી જડ
થી સમાપ્ત થાય ત્યારે બાપનાં દિલ પર ચઢશો?
ઉત્તર :-
૧. દેહ-અભિમાન ની બીમારી. આ જ દેહ-અભિમાન નાં કારણે બધાં વિકારોએ મહારોગી બનાવ્યાં
છે. આ દેહ-અભિમાન સમાપ્ત થઈ જાય તો તમે બાપનાં દિલ પર ચઢો. ૨. દિલ પર ચઢવું છે તો
વિશાળ બુદ્ધિ બનો, જ્ઞાન ચિતા પર બેસો. રુહાની સેવામાં લાગી જાઓ અને વાણી ચલાવવાની
સાથે-સાથે બાપ ને સારી રીતે યાદ કરો.
ગીત :-
જાગ સજનીયાં
જાગ …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો એ ગીત સાંભળ્યું - રુહાની બાપે આ સાધારણ જૂનાં તન દ્વારા મુખ થી કહ્યું.
બાબા કહે છે મારે જૂનાં તનમાં જૂની રાજધાની માં આવવું પડ્યું. હમણાં આ રાવણ ની
રાજધાની છે. તન પણ પારકું છે કારણ કે આ શરીર માં તો પહેલાથી જ આત્મા છે. હું પારકા
તન માં પ્રવેશ કરું છું. પોતાનું તન હોત તો એનું નામ પડે. મારું નામ બદલાતું નથી.
મને તો પણ કહે છે શિવબાબા. ગીત તો બાળકો રોજ સાંભળે છે. નવયુગ અર્થાત્ નવી દુનિયા
સતયુગ આવ્યું. હવે કોને કહે છે જાગો? આત્માઓને કારણ કે આત્માઓ ઘોર અંધારામાં સૂતેલી
છે. કંઈ પણ સમજ નથી. બાપ ને જ નથી જાણતાં. હવે બાપ જગાડવા આવ્યાં છે. હવે તમે બેહદનાં
બાપ ને જાણો છો. એમનાથી બેહદ નું સુખ મળવાનું છે નવા યુગ માં. સતયુગ ને નવું કહેવાય
છે, કળયુગ ને જૂનો યુગ કહેશું. વિદ્વાન, પંડિત વગેરે કોઈ પણ નથી જાણતું. કોઈને પણ
પૂછો નવો યુગ પછી જૂનો કેવી રીતે થાય છે, કોઈ પણ બતાવી નહીં શકે. કહેશે આ તો લાખો
વર્ષની વાત છે. હમણાં તમે જાણો છો આપણે નવા યુગ થી પછી જૂના યુગમાં કેવી રીતે આવ્યાં
છીએ અર્થાત્ સ્વર્ગવાસી થી નર્કવાસી કેવી રીતે બન્યાં છીએ. મનુષ્ય તો કંઈ પણ નથી
જાણતાં, જેમની પૂજા કરે છે તેમની બાયોગ્રાફી (જીવન કહાની) ને પણ નથી જાણતાં. જેમ
જગદંબા ની પૂજા કરે છે હવે તે અંબા કોણ છે, જાણતાં નથી. અંબા હકીકત માં માતાઓને
કહેવાય છે. પૂજા તો એક ની જ થવી જોઈએ. શિવબાબા ની પણ એક જ અવ્યભિચારી યાદગાર છે.
અંબા પણ એક છે. પરંતુ જગદંબાને જાણતા નથી. આ છે જગદંબા અને લક્ષ્મી છે જગત ની
મહારાણી. તમને ખબર છે કે જગદંબા કોણ છે અને જગત મહારાણી કોણ છે. આ વાતો ક્યારેય કોઈ
જાણી ન શકે. લક્ષ્મી ને દેવી અને જગદંબા ને બ્રાહ્મણી કહેશું. બ્રાહ્મણ સંગમ પર જ
હોય છે. આ સંગમયુગ ને કોઈ નથી જાણતું. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી પુરુષોત્તમ
સૃષ્ટિ રચાય છે. પુરુષોત્તમ તમે ત્યાં જોવામાં આવશો. આ સમયે તમે બ્રાહ્મણ ગાયન લાયક
છો. સેવા કરી રહ્યાં છો પછી તમે પૂજા લાયક બનશો. બ્રહ્મા ને આટલી ભુજાઓ આપે છે તો
અંબાને પણ કેમ નહીં આપે. એમનાં પણ તો બધાં બાળકો છે ને. મા-બાપ જ પ્રજાપિતા બને છે.
બાળકોને પ્રજાપિતા નહીં કહેશે. લક્ષ્મી-નારાયણ ને ક્યારેય સતયુગમાં જગતપિતા જગતમાતા
નહીં કહેશે. પ્રજાપિતા નું નામ પ્રસિદ્ધ છે. જગતપિતા અને જગતમાતા એક જ છે. બાકી છે
એમનાં બાળકો. અજમેર માં પ્રજાપિતા બ્રહ્માનાં મંદિરમાં જશે તો કહેશે બાબા, કારણકે
છે જ પ્રજાપિતા. હદ નાં પિતા બાળકોને જન્મ આપે છે તો તે હદનાં પ્રજાપિતા થયાં. આ છે
બેહદનાં. શિવબાબા તો બધી આત્માઓનાં બેહદ નાં બાપ છે. આ પણ આપ બાળકોએ કોન્ટ્રાસ્ટ (તફાવત)
લખવાનો છે. જગતઅંબા સરસ્વતી છે એક. નામ કેટલાં રાખી દીધાં છે - દુર્ગા, કાળી વગેરે.
અંબા અને બાબા નાં તમે બધાં બાળકો છો. આ રચના છે ને. પ્રજાપિતા બ્રહ્મા ની દિકરી છે
સરસ્વતી, એમને અંબા કહે છે. બાકી છે બાળકો અને બાળકીઓ. છે બધાં અડોપ્ટેડ (દત્તક).
આટલાં બધાં બાળકો ક્યાંથી આવી શકે છે. આ બધાં છે મુખ વંશાવલી. મુખ થી સ્ત્રીને
ક્રીયેટ (સંકલ્પ) કરી તો રચતા થઈ ગયાં. કહે છે આ મારી છે. મેં આનાથી બાળકોને જન્મ
આપ્યો છે. આ બધાં છે એડોપ્શન. આ પછી છે ઈશ્વરીય, મુખ દ્વારા રચના. આત્માઓ તો છે જ.
એમને એડોપ્ટ નથી કરાતી. બાપ કહે છે આપ આત્માઓ સદૈવ મારા બાળકો છો. પછી હમણાં હું
આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાળકોને એડોપ્ટ કરું છું. બાળકો (આત્માઓ) ને એડોપ્ટ
નથી કરતાં, બાળકો અને બાળકીઓને કરે છે. આ પણ ખુબ સૂક્ષ્મ સમજવાની વાતો છે. આ વાતો
ને સમજવાથી તમે આ લક્ષ્મી-નારાયણ બનો છો. કેવી રીતે બનાય, આ આપણે સમજાવી શકીએ છીએ.
શું એવાં કર્મ કર્યા જે આ વિશ્વ નાં માલિક બન્યાં. તમે પ્રદર્શની વગેરે માં પણ પૂછી
શકો છો. તમને ખબર છે આમણે આ સ્વર્ગ ની રાજધાની કેવી રીતે લીધી. તમારામાં પણ યથાર્થ
રીતે દરેક નથી સમજાવી શકતું. જેનામાં દૈવી ગુણ હશે, આ રુહાની સેવામાં લાગેલાં હશે
તે સમજાવી શકે છે. બાકી તો માયા ની બીમારી માં ફસાયેલાં રહે છે. અનેક પ્રકારનાં રોગ
છે. દેહ-અભિમાન નો પણ રોગ છે. આ વિકારોએ જ તમને રોગી બનાવ્યાં છે.
બાપ કહે છે હું તમને પવિત્ર દેવતા બનાવું છું. તમે સર્વગુણ સંપન્ન…. પવિત્ર હતાં.
હમણાં પતિત બની ગયાં છો. બેહદ નાં બાપ એવું કહેશે. આમાં નિંદાની વાત નથી, આ
સમજાવવાની વાત છે. ભારતવાસીઓને બેહદનાં બાપ કહે છે હું અહીંયા ભારતમાં આવું છું.
ભારત ની મહિમા તો અપરમઅપાર છે. અહીંયા આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે, સર્વ ને શાંતિ
આપે છે. એવા બાપની પણ મહિમા અપરમઅપાર છે. પારાવાર નથી. જગત અંબા અને એમની મહિમા ને
કોઈ પણ નથી જાણતાં. આમનો પણ કોન્ટ્રાસ્ટ (તફાવત) તમે બતાવી શકો છો. આ જગત અંબાની
બાયોગ્રાફી (જીવન કહાની), આ લક્ષ્મી ની બાયોગ્રાફી. તે જ જગતઅંબા પછી લક્ષ્મી બને
છે. પછી લક્ષ્મી ૮૪ જન્મો બાદ જગતઅંબા થશે. ચિત્ર પણ અલગ-અલગ રાખવાં જોઇએ. દેખાડે
છે લક્ષ્મી ને કલશ મળ્યો પરતું લક્ષ્મી પછી સંગમ પર ક્યાંથી આવી. તે તો સતયુગમાં થઈ
છે. આ બધી વાતો બાપ સમજાવે છે. ચિત્ર બનાવવા માટે જે નિમિત્ત છે એમણે વિચાર સાગર
મંથન કરવું જોઈએ. તો પછી સમજાવવું સહજ થશે. એટલી વિશાળ બુદ્ધિ જોઈએ ત્યારે દિલ પર
ચઢે. જ્યારે બાબાને સારી રીતે યાદ કરશે, જ્ઞાન ચિતા પર બેસશે ત્યારે દિલ પર ચઢશે.
એવું નથી કે જે ખુબ સારી વાણી ચલાવે છે, તે દિલ પર ચઢે છે. ના, બાપ કહે છે દિલ પર
અંત માં ચઢશે, નંબરવાર પુરુષાર્થ અનુસાર જ્યારે દેહ-અભિમાન ખતમ થઇ જશે.
બાપે સમજાવ્યું છે બ્રહ્મજ્ઞાની, બ્રહ્મ માં લીન થવાની મહેનત કરે છે પરંતુ એમ કોઈ
લીન થઇ નથી શકતું. બાકી મહેનત કરે છે, ઉત્તમ પદ પામે છે. એવાં-એવાં મહાત્મા બને છે
જે એમનું પ્લેટિનિયમ માં વજન કરે છે કારણ કે બ્રહ્મમાં લીન થવાની મહેનત તો કરે છે
ને. તો મહેનતનું પણ ફળ મળે છે. બાકી મુક્તિ-જીવનમુક્તિ નથી મળી શકતી. આપ બાળકો જાણો
છો હવે આ જુની દુનિયા ગઈ કે ગઈ. આટલાં બોમ્બસ બનાવ્યાં છે - રાખવા માટે થોડી બનાવ્યાં
છે. તમે જાણો છો જૂની દુનિયાનાં વિનાશ માટે આ બોમ્બસ કામ આવશે. અનેક પ્રકારનાં
બોમ્બસ છે. બાપ જ્ઞાન અને યોગ શીખવાડે છે પછી રાજ-રાજેશ્વર ડબલ સિરતાજ દેવી-દેવતા
બનશું. કયું ઊંચું પદ છે. બ્રાહ્મણ ચોટી છે ઉપર માં. ચોટી સૌથી ઉપર છે. હમણાં આપ
બાળકો ને પતિત થી પાવન બનાવવા બાપ આવ્યાં છે. પછી તમે પણ પતિત-પાવની બનો છો - આ નશો
છે? આપણે બધાને પાવન બનાવી રાજ-રાજેશ્વર બનાવી રહ્યાં છીએ? નશો હોય તો ખુશી ખુશીમાં
રહે. પોતાનાં દિલથી પૂછો અમે કેટલાને આપ સમાન બનાવીએ છીએ? પ્રજાપિતા બ્રહ્મા અને
જગતઅંબા બંને એક જેવાં છે. બ્રાહ્મણોની રચના રચે છે. શૂદ્ર થી બ્રાહ્મણ બનાવવાની
યુક્તિ બાપ જ બતાવે છે. આ કોઈ શાસ્ત્રો માં નથી. આ છે પણ ગીતાનો યુગ. મહાભારત લડાઈ
પણ બરાબર થઈ હતી. રાજ્યોગ એક ને શીખવાડ્યો હશે શું. મનુષ્યો ની બુદ્ધિ માં પછી
અર્જુન અને કૃષ્ણ જ છે. અહીંયા તો અનેક ભણે છે. બેઠાં પણ જુઓ કેવાં સાધારણ છો. નાના
બાળકો અલ્ફ-બે ભણે છે ને. તમે બેઠાં છો, તમને પણ અલ્ફ-બે ભણાવી રહ્યાં છે. અલ્ફ અને
બે, આ છે વારસો. બાપ કહે છે મને યાદ કરો તો તમે વિશ્વનાં માલિક બનશો. કોઈ પણ આસુરી
કામ નથી કરવાનું. દૈવી ગુણ ધારણ કરવાનાં છે. જોવાનું છે મારામાં કોઈ અવગુણ તો નથી?
મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. હમણાં નિર્ગુણ આશ્રમ પણ છે પરંતુ અર્થ કાંઈ પણ
નથી. નિર્ગુણ અર્થાત્ મારામાં કોઈ ગુણ નથી. હવે ગુણવાન બનાવવાં તો બાપ નું જ કામ
છે. બાપનાં ટાઈટલ (શીર્ષક) ની ટોપી પછી પોતાનાં ઉપર રાખી દીધી છે. બાપ કેટલી વાતો
સમજાવે છે. ડાયરેક્શન (માર્ગદર્શન) પણ આપે છે. જગતઅંબા અને લક્ષ્મી નો કોન્ટ્રાસ્ટ
(તફાવત) બનાવો. બ્રહ્મા-સરસ્વતી સંગમ નાં, લક્ષ્મી-નારાયણ છે સતયુગ નાં. આ ચિત્ર છે
સમજાવવાં માટે. સરસ્વતી બ્રહ્મા ની દિકરી છે. ભણે છે મનુષ્ય થી દેવતા બનવાં માટે.
હમણાં તમે બ્રાહ્મણ છો. સતયુગી દેવતા પણ મનુષ્ય જ છે પરંતુ તેમને દેવતા કહે છે,
મનુષ્ય કહેવાથી તેમનું અપમાન થઈ જાય છે એટલે દેવી-દેવતા કે ભગવાન-ભગવતી કહી દે છે.
જો રાજા-રાણી ને ભગવાન-ભગવતી કહે તો પછી પ્રજાને પણ કહેવું પડે, એટલે દેવી-દેવતા
કહેવાય છે. ત્રિમૂર્તિ નું ચિત્ર પણ છે. સતયુગ માં એટલાં થોડાં મનુષ્ય, કળયુગ માં
આટલાં અનેક મનુષ્ય છે. તે કેવી રીતે સમજાવે. એટલાં માટે પછી ગોળો (સૃષ્ટિ ચક્ર) પણ
જરુર જોઈએ. પ્રદર્શની માં આટલાં બધા ને બોલાવે છે. કસ્ટમ કલેકટર ને તો ક્યારેય કોઈએ
નિમંત્રણ નથી આપ્યું. તો આવાં-આવાં વિચાર ચલાવવા પડે, આમાં ખુબ વિશાળ બુદ્ધિ જોઈએ.
બાપ નો તો રિગાર્ડ (આદર) રાખવો જોઈએ. હુસેનનાં ઘોડા ને કેટલો સજાવે છે. કમરપટ્ટો
કેટલો નાનો હોય, ઘોડો કેટલો મોટો હોય છે. આત્મા પણ કેટલી નાની બિન્દી છે, તેનો
શ્રુંગાર કેટલો બધો છે. આ અકાળમૂર્ત નું તખ્ત છે ને. સર્વવ્યાપી ની વાત પણ ગીતા થી
ઉઠાવી છે. બાપ કહે છે હું આત્માઓને રાજયોગ શીખવાડું છું, પછી સર્વવ્યાપી કેવી રીતે
હશે. બાપ-શિક્ષક-ગુરુ સર્વવ્યાપી કેવી રીતે હશે. બાપ કહે છે હું તમારો બાપ છું પછી
જ્ઞાન સાગર છું. તમને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રાફી સમજવાથી બેહદનું રાજ્ય મળી જશે.
દૈવી ગુણ પણ ધારણ કરવાં જોઈએ. માયા એકદમ નાક થી પકડી લે છે. ચલન ગંદી થઈ જાય પછી લખે
છે આવી-આવી ભૂલ થઈ ગઈ. અમે કાળું મોઢું કરી લીધું. અહીંયા તો પવિત્રતા શીખવાડાય છે
પછી જો કોઇ પડશે પણ, તો પછી એમાં બાપ શું કરી શકે છે. ઘરમાં કોઈ બાળક ગંદુ થઇ જાય
છે, કાળું મોઢું કરી દે છે તો બાપ કહે છે તમે તો મરી ગયા હોત તો સારું થાત. બેહદ
નાં બાપ ભલે ડ્રામાને જાણે છે તો પણ કહેશે તો ખરા ને. તમે બીજાઓને શિક્ષા આપી ને
પોતે પડો (નીચે) છો તો હજાર ઘણું પાપ ચઢી જાય છે. કહે છે માયા એ થપ્પડ મારી દીધી.
માયા એવો ઘુંસો મારે છે જે એકદમ અક્કલ જ ગુમ કરી દે છે.
બાપ સમજાવતાં રહે છે, આંખો ખુબજ દગાબાજ છે. ક્યારેય પણ કોઈ વિકર્મ નથી કરવાનાં.
તોફાન તો ખુબજ આવશે કારણ કે યુદ્ધના મેદાનમાં છો ને. ખબર પણ નથી પડતી કે શું થશે.
માયા ઝટ થપ્પડ લગાવી દે છે. હવે તમે કેટલાં સમજદાર બનો છો. આત્મા જ સમજદાર બને છે
ને. આત્મા જ બેસમજ હતી. હવે બાપ સમજદાર બનાવે છે. બહુ જ દેહ-અભિમાનમાં છે. સમજતાં
નથી કે આપણે આત્મા છીએ. બાપ આપણને આત્માઓને ભણાવે છે. આપણે આત્મા આ કાનો થી સાંભળી
રહ્યાં છીએ. હવે બાપ કહે છે કોઈ પણ વિકાર ની વાત આ કાન થી નહીં સાંભળો. બાપ તમને
વિશ્વનાં માલિક બનાવે છે, મંઝિલ બહુજ મોટી છે. મોત જ્યારે નજીક આવશે તો પછી તમને ડર
લાગશે. મનુષ્યને મરવાનાં સમયે પણ મિત્ર-સંબંધી વગેરે કહે છે ને - ભગવાનને યાદ કરો
અથવા કોઈ પોતાનાં ગુરુ વગેરે ને યાદ કરશે. દેહધારીને યાદ કરવાનું શીખવાડે છે. બાપ
તો કહે છે મામેકમ યાદ કરો. આ તો આપ બાળકોની જ બુદ્ધિ માં છે. બાપ ફરમાન (આદેશ) કરે
છે - મામેકમ્ યાદ કરો. દેહધારીઓને યાદ નથી કરવાનાં. મા-બાપ પણ દેહધારી છે ને. હું
તો વિચિત્ર છું, વિદેહી છું, આમનામાં બેસી તમને જ્ઞાન આપું છું. તમે હમણાં જ્ઞાન અને
યોગ શીખો છો. તમે કહો છો જ્ઞાનસાગર બાપ દ્વારા અમે જ્ઞાન શીખી રહ્યાં છીએ,
રાજ-રાજેશ્વરી બનવાનાં માટે. જ્ઞાન-સાગર જ્ઞાન પણ શીખવાડે છે, રાજયોગ પણ શીખવાડે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સમજદાર બની
માયાનાં તોફાનો થી ક્યારેય હાર નથી ખાવાની. આંખો દગો આપે છે એટલે પોતાની સંભાળ
કરવાની છે. કોઈ પણ વિકારી વાતો આ કાન થી નથી સાંભળવાની.
2. પોતાનાં દિલ થી પૂછવાનું છે કે અમે કેટલાઓને આપ સમાન બનાવીએ છીએ? માસ્ટર
પતિત-પાવની બની બધાને પાવન (રાજ-રાજેશ્વર) બનાવવાની સેવા કરી રહ્યાં છીએ? અમારામાં
કોઈ અવગુણ તો નથી? દૈવી ગુણ ક્યાં સુધી ધારણ કર્યા છે?
વરદાન :-
બધાને ઠેકાણું
આપવા વાળા રહેમદિલ બાપ નાં બાળકો રહેમદિલ ભવ
રહેમદિલ બાપ નાં
રહેમદિલ બાળકો કોઈને પણ ભિખારી નાં રુપમાં જોશે તો તેમને રહેમ આવશે કે આ આત્માને પણ
ઠેકાણું મળી જાય, આનું પણ કલ્યાણ થઈ જાય. તેમનાં સંપર્ક માં જે પણ આવશે તેમને બાપ
નો પરિચય જરુર આપશે. જેમ કોઇ ઘર માં આવે છે તો પહેલાં તેમને પાણી પૂછાય છે, એમ જ
ચાલ્યાં જાય તો ખરાબ સમજે છે, એમ જે પણ સંપર્કમાં આવે છે તેમને બાપનાં પરિચય નું
પાણી જરુર પૂછો અર્થાત્ દાતા નાં બાળકો દાતા બનીને કંઈ ને કંઈ આપો જેથી તેમને પણ
ઠેકાણું મળી જાય.
સ્લોગન :-
યથાર્થ
વૈરાગ્ય વૃત્તિ નો સહજ અર્થ છે - જેટલાં ન્યારાં એટલાં પ્યારાં.