22-10-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠાબાળકો -
સૌથીમીઠોઅક્ષર, ‘બાબા’ છે, તમારામુખથીસદાબાબા-બાબાનીકળતુંરહે,
બધાનેશિવબાબાનોપરિચયઆપતાંરહો”
પ્રશ્ન :-
સતયુગ માં કોઈ
મનુષ્ય તો શું જાનવર પણ રોગી નથી હોતાં, કેમ?
ઉત્તર :-
કારણ કે સંગમયુગ પર બાબા બધી આત્માઓનું અને બેહદ સૃષ્ટિનું એવું ઓપરેશન કરી દે છે,
જે રોગ નું નામ-નિશાન જ નથી રહેતું. બાપ છે અવિનાશી સર્જન. હમણાં જે આખી સૃષ્ટિ રોગી
છે, એ સૃષ્ટિમાં પછી દુઃખનું નામ-નિશાન નહીં હશે. અહીંયાનાં દુઃખો થી બચવા માટે
ખુબ-ખુબ બહાદુર બનવાનું છે.
ગીત :-
તુમ્હેંપાકેહમને…
ઓમ શાંતિ!
ડબલ પણ કહી શકો
છો, ડબલ ઓમ શાંતિ. આત્મા પોતાનો પરીચય આપી રહી છે. હું આત્મા શાંત સ્વરુપ છું. અમારું
નિવાસસ્થાન શાંતિધામ માં છે અને બાબાનાં અમે બધાં સંતાન છીએ. બધી આત્માઓ ઓમ્ કહે
છે, ત્યાં આપણે બધાં ભાઈ-ભાઈ છીએ પછી અહીંયા ભાઈ-બહેન બનીએ છીએ. હવે ભાઈ-બહેન થી
સંબંધ શરું થાય છે. બાપ સમજાવે છે મારાં બધાં બાળકો છે, બ્રહ્માનાં પણ તમે સંતાન છો
એટલે ભાઈ-બહેન થયાં. તમારો બીજો કોઈ સંબંધ નથી. પ્રજાપિતાની સંતાન
બ્રહ્માકુમાર-કુમારી છે. જૂની દુનિયા ને ચેન્જ (પરિવર્તન) કરવા આ સમયે જ આવે છે.
બાપ બ્રહ્મા દ્વારા જ પછી નવી સૃષ્ટિ રચે છે. બ્રહ્મા થી પણ સંબંધ છે ને. યુક્તિ પણ
કેટલી સરસ છે. બધાં બ્રહ્મા કુમાર-કુમારી છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં
છે અને પોતાને ભાઈ-બહેન સમજવાનું છે. ક્રિમિનલ (અપવિત્ર) આંખ ન રહેવી જોઈએ, અહીંયા
તો કુમાર-કુમારી જેમ મોટા-મોટા થતા જાય છે તો આંખો ક્રિમિનલ બનતી જાય છે પછી
ક્રિમિનલ એક્ટ (વિકર્મ) કરી લે છે. ક્રિમિનલ એક્ટ હોય છે રાવણરાજ્ય માં. સતયુગમાં
ક્રિમિનલ એક્ટ હોતી નથી. ક્રિમિનલ અક્ષર જ નથી હોતો. અહીંયા તો ક્રિમિનલ એક્ટ બહુ જ
છે. તેનાં માટે પછી કોર્ટ વગેરે પણ છે. ત્યાં કોર્ટ વગેરે હોતું નથી. વંડર છે (અદ્દભુત)
ને. ન જેલ, ન પોલીસ , ન ચોર વગેરે હોય છે. આ બધી છે દુઃખ ની વાતો, જે અહીંયા થઈ રહી
છે એટલે બાળકો ને સમજાવાયું છે, આ તો ખેલ છે સુખ અને દુઃખનો, હાર અને જીત નો. આને
પણ તમે જ સમજો છો. ગવાય છે માયા થી હારે હાર છે, માયા પર જીત બાપ આવીને અડધા કલ્પ
માટે પહેરાવે છે. પછી અડધો કલ્પ હારવું પડે છે. આ કોઇ નવી વાત નથી. આ તો સાધારણ
પાઈ-પૈસા નો ખેલ છે પછી તમે મને યાદ કરો છો તો પોતાનું રાજ્ય ભાગ્ય અડધાકલ્પ માટે
લો છો. રાવણરાજ્ય માં મને ભૂલી જાઓ છો. રાવણ દુશ્મન છે, તેને દર વર્ષે ભારતવાસી જ
બાળે છે. જે દેશમાં વધારે ભારતવાસીઓ હશે ત્યાં પણ બાળતાં હશે. કહેશે આ ભારતવાસીઓનાં
ધર્મ નો ઉત્સવ છે. દશેરા મનાવે છે તો બાળકો ને સમજાવવાનું છે - તે તો હદ ની વાત છે.
રાવણરાજ્ય તો હમણાં આખાં વિશ્વ પર છે. ફક્ત લંકા પર નથી. વિશ્વ તો બહુ જ મોટું છે
ને. બાપે સમજાવ્યું છે આ સૃષ્ટિ આખી સાગર પર ઉભી છે. મનુષ્ય કહે છે - નીચે એક બળદ
કે ગાય છે જેનાં સિંગડા પર સૃષ્ટિ ઉભી છે પછી થાકી જાય છે તો બદલે છે. હવે આ વાતો
છે નહીં. પૃથ્વી તો પાણી પર ઉભી છે, ચારે તરફ પાણી જ પાણી છે. તો હમણાં આખી દુનિયામાં
રાવણરાજ્ય છે પછી રામ અથવા ઇશ્વરીય રાજ્ય સ્થાપન કરવા બાપ ને આવવું પડે છે. ફક્ત
ઈશ્વર કહેવાથી કહી દે છે ઈશ્વર તો સર્વશક્તિમાન્ છે, બધું જ કરી શકે છે. ફાલતુ મહિમા
થઈ જાય છે. એટલો પ્રેમ નથી રહેતો. અહીંયા ઈશ્વર ને બાપ કહેવાય છે. બાબા કહેવાથી
વારસો મળવાની વાત થઈ જાય છે. શિવબાબા કહે છે હંમેશા બાબા-બાબા કહેવું જોઈએ. ઈશ્વર
કે પ્રભુ વગેરે અક્ષર ભૂલી જવા જોઈએ. બાબાએ કહ્યું છે - મામેકમ્ યાદ કરો. પ્રદર્શની
વગેરે માં પણ જ્યારે સમજાવો છો તો ઘડી-ઘડી શિવબાબા નો પરિચય આપો. શિવબાબા એક જ ઊંચે
થી ઊંચા છે, જેમને ગોડફાધર કહેવાય છે. મુસલમાન અલ્લાહ કહે છે, સવારે દસ મિનિટ બેસીને
કુરાન નો અર્થ કરે છે કે અલ્લાહ મિયાએ કહ્યું છે, કોઈને દુઃખ ન આપવું જોઈએ. આ ન કરવું
જોઈએ. એવું નથી સમજતાં કે બાબાએ કહ્યું છે. બાબા અક્ષર સૌથી મીઠો છે. શિવબાબા,
શિવબાબા મુખ થી નીકળે છે. મુખ તો મનુષ્ય નું જ હશે. ગાય નું મુખ થોડી હોઈ શકે. તમે
છો શિવશક્તિઓ. તમારા મુખ કમળ થી જ્ઞાન અમૃત નીકળે છે. મારું નામ પ્રસિદ્ધ કરવા
ગૌમુખ કહી દીધું છે. ગંગા માટે એવું નહીં કહેશે. મુખ કમળ થી અમૃત હમણાં નીકળે છે.
જ્ઞાન અમૃત પીધું તો પછી વીષ પી ન શકાય. અમૃત પીવાથી તમે દેવતા બનો છો. હવે હું
આવ્યો છું - અસુરો ને દેવતા બનાવવાં. તમે હમણાં દૈવી સંપ્રદાય બની રહ્યાં છો.
સંગમયુગ ક્યારે, કેવો હોય છે આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો આપણે
બ્રહ્માકુમાર-કુમારીઓ પુરુષોત્તમ સંગમયુગી છીએ. બાકી જે પણ છે કળયુગી છે. તમે કેટલાં
થોડાક છો. ઝાડનું પણ નોલેજ તમને છે. ઝાડ પહેલાં નાનું હોય છે પછી વૃદ્ધિ ને પામે
છે. કેટલું ઇન્વેન્શન (સંશોધન) કાઢે છે કે બાળકો પેદા ઓછાં કેવી રીતે થાય. પરંતુ નર
ઈચ્છે છે કંઈ અને, થયું કંઈ બીજું જ બીજું. બધાની મૃત્યુ તો થવાની જ છે. હમણાં પાક
બહુ જ સારો થશે, વરસાદ આવ્યો, કેટલું નુકશાન કરી દે છે. કુદરતી આફતો ને તો કોઈ સમજી
ન શકે. કોઈ વાત નું ઠેકાણું થોડી છે. ક્યાંક પાક થાય અને બરફ નાં કરા પડી જાય તો
કેટલું નુકશાન થઈ જાય. વરસાદ ન પડે તો પણ નુકશાન, આને કુદરતી આપદાઓ કહેવાય છે. આ તો
અનેક થવાની છે, આનાથી બચવા માટે ખુબજ બહાદુર થવું જોઈએ. કોઈનું ઓપરેશન થાય છે, તો
ઘણાં તે જોઈ નથી સકતા, જોતાં જ બેભાન થઈ જાય છે. હવે આ આખી છી-છી સૃષ્ટી નું ઓપરેશન
થવાનું છે. બાપ કહે છે હું આવીને બધાનું ઓપરેશન કરું છું. આખી સૃષ્ટિ રોગી છે.
અવિનાશી સર્જન પણ બાપનું નામ છે. તે આખાં વિશ્વનું ઓપરેશન કરી દેશે, જે પછી વિશ્વમાં
રહેવાવાળા ને ક્યારેય દુઃખ નહીં થશે. કેટલાં મોટા સર્જન છે. આત્માઓનું પણ ઓપરેશન,
બેહદ સૃષ્ટિનું પણ ઓપરેશન કરવા વાળા છે. ત્યાં મનુષ્ય તો શું જાનવર પણ રોગી નથી હોતાં.
બાપ સમજાવે છે મારો અને બાળકોનો શું પાર્ટ (ભૂમિકા) છે. આને કહે છે રચના નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન જે તમે જ લઈ રહ્યાં છો. બાળકોને પહેલાં-પહેલાં તો આ ખુશી થવી
જોઈએ.
આજે સદ્દગુરુવાર છે, હમેશાં સત્ય બોલવું જોઈએ. વ્યાપાર માં પણ કહે છે ને - સાચું
બોલો. ઠગવા ની વાત નહીં કરો. છતાં પણ લોભ માં આવીને કંઈક વધારે જ કિંમત બતાવીને સોદો
કરી દેશે. સાચું તો ક્યારેય કોઈ બોલતું નથી. જુઠ્ઠું જ જુઠ્ઠું બોલે છે એટલે સત ને
યાદ કરે છે. કહે છે ને - સત નામ સંગ છે. હવે તમે જાણો છો બાબા જે સત્ય છે તે જ સંગ
(સાથે) ચાલશે, આપણી આત્માઓનાં. હવે સત ની સાથે આપ આત્માઓનો સંગ થયો છે તો તમે જ સાથે
જશો. આપ બાળકો જાણો છો શિવબાબા આવેલાં છે, જેમને સત્ય કહેવાય છે. તે આપણને આત્માઓને
પવિત્ર બનાવી ને સાથે લઈ જશે એક જ વાર. સતયુગ માં એવું નથી કહેતાં કે રામ-રામ સંગ
છે અથવા સત નામ સંગ છે. ના. બાપ કહે છે હવે હું આપ બાળકોની પાસે આવ્યો છું, નયનો પર
બેસાડીને લઈ જાઉં છું. આ નયન નથી, ત્રીજું નેત્ર. તમે જાણો છો આ સમયે બાપ આવ્યાં
છે-સાથે લઈ જશે. શંકર ની બારાત નથી, આ શિવનાં બાળકોની બારાત છે. એ પતિઓનાં પતિ પણ
છે. કહે છે તમે બધી સજનીઓ છો. હું છું સાજન. તમે બધાં આશિક છો હું છું માશૂક. માશૂક
એક જ હોય છે ને. તમે અડધાકલ્પ થી મુજ માશૂક નાં આશિક છો. હવે હું આવ્યો છું બધી
ભક્તિઓ છે. ભક્તોની રક્ષા કરવા વાળા છે ભગવાન. આત્મા ભક્તિ કરે છે શરીર ની સાથે.
સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ભક્તિનું ફળ સતયુગ માં ભોગવો છો, જે હવે બાળકોને
આપી રહ્યાં છે. તે તમારા માશૂક છે, જે તમને સાથે લઈ જશે પછી તમે પોતાનાં પુરુષાર્થ
અનુસાર જઈને રાજ્ય-ભાગ્ય લેશો. આ ક્યાંય પણ લખ્યું નથી. કહે છે શંકરે પાર્વતી ને
અમરકથા સંભળાવી. તમે બધી છો પાર્વતીઓ. હું છું કથા સંભળાવવા વાળો અમરનાથ. અમરનાથ એક
ને જ કહેવાય છે. ઊંચે થી ઊંચા બાપ છે, એમને તો પોતાની દેહ નથી, કહે છે હું અમરનાથ
આપ બાળકોને અમરકથા સંભળાવું છું. શંકર-પાર્વતી અહીંયા ક્યાંથી આવે. તે તો છે જ
સૂક્ષ્મવતન માં, જ્યાં સૂર્ય-ચાંદ નો પણ પ્રકાશ નથી રહેતો.
સત્ય બાપ હમણાં તમને સત્ય કથા સંભળાવે છે. બાપ વગર સાચ્ચી કથા કોઈ સંભળાવી ન શકે. આ
પણ સમજો છો વિનાશ થવામાં સમય લાગે છે. કેટલી મોટી દુનિયા છે, કેટલાં અસંખ્ય મકાનો
વગેરે પડીને ખતમ થશે. ધરતીકંપ માં કેટલું નુકશાન થાય છે. કેટલાં મરે છે. બાકી તો
તમારું નાનું ઝાડ હશે. દિલ્લી પરિસ્તાન બની જશે. એક જ પરિસ્તાન માં લક્ષ્મી-નારાયણનું
રાજ્ય ચાલે છે. કેટલાં મોટા-મોટા મહેલ બનતાં હશે. બેહદ ની જાગીર મળે છે. તમારે કંઈ
ખર્ચો કરવો નથી પડતો. બાબા કહે છે આમનાં (બ્રહ્મા) જીવન માં જ કેટલું સસ્તું અનાજ
હતું. તો સતયુગ માં કેટલું સસ્તું હશે. દિલ્લી જેટલું તો એક-એક નું ઘર અને જમીન
વગેરે હશે. મીઠી નદીઓ પર તમારું રાજ્ય ચાલશે. એક-એક ને શું નહીં હશે. સદા અનાજ મળતું
રહેશે. ત્યાંના ફળ-ફૂલ પણ જુઓ છો કેટલાં મોટા-મોટા હોય છે. તમે શૂબીરસ પીને આવો છો.
કહેતા હતાં ત્યાં માળી છે. હવે માળી તો જરુર વૈકુંઠ માં અથવા નદી કિનારે હશે. ત્યાં
કેટલાં થોડાક હશે. ક્યાં હમણાં આટલાં કરોડ, ક્યાં ૯ લાખ હશે અને બધુંજ તમારું હશે.
જે બાપ એવી રાજાઈ આપે છે જે આપણાથી કોઈ છીનવી ન શકે. આકાશ, ધરતી વગેરે બધાનાં માલિક
તમે રહો છો. ગીત પણ બાળકોએ સાંભળ્યું. એવાં-એવાં ગીત ૬-૮ છે જે સાંભળવાથી જ ખુશી નો
પારો ચઢી જાય છે. જુઓ અવસ્થામાં કાંઈ ગડબડ છે, તો ગીત વગાડી દો. આ છે ખુશી નાં ગીત.
તમે તો અર્થ પણ જાણો છો. બાબા બહુજ યુક્તિઓ બતાવે છે પોતાને હર્ષિત મુખ બનાવવાની.
બાબા ને લખે છે બાબા એટલી ખુશી નથી રહેતી. માયાનાં તોફાન આવે છે. અરે માયાનાં તોફાન
આવ્યા - તમે વાજું વગાડી લો. ખુશીનાં માટે મોટાં-મોટાં મંદિરોમાં પણ ફાટક પર વાજા
વાગતાં રહે છે. બોમ્બે માં માધવબાગમાં લક્ષ્મી-નારાયણ નાં મંદિર નાં ફાટક પર પણ વાજું
વાગતું રહે છે. તમને કહે છે - આ ફિલ્મી રેકોર્ડ (ગીતો) કેમ વગાડે છે. એમને શું ખબર
આ પણ ડ્રામા અનુસાર કામમાં આવવાની ચીજ છે. આનો અર્થ તો આપ બાળકો સમજો છો. આ
સાંભળવાથી પણ ખુશીમાં આવી જશે. પરંતુ બાળકો ભૂલી જાય છે. ઘરમાં કોઈ ને ઉદાસી લાગે
છે તો પણ ગીત સાંભળીને બહુ ખુશ થશે. આ ખુબ વેલ્યુબલ (મુલ્યવાન) ચીજ છે. કોઈ નાં ઘરમાં
ઝઘડા ચાલે છે-બોલો, ભગવાનુવાચ કામ મહાશત્રુ છે. આનાં પર જીત પામવાથી આપણે વિશ્વનાં
માલિક બનશું પછી ફૂલોની વર્ષા થશે, જય જયકાર થઈ જશે. સોના નાં ફૂલ વરસશે. તમે હમણાં
કાંટા થી સોનાનાં ફૂલ બની રહ્યાં છો ને. પછી તમારું અવતરણ થશે, ફૂલ નથી વરસતા પરંતુ
તમે ફૂલ બનીને આવો છો. મનુષ્ય સમજે છે સોનાનાં ફૂલ વરસે છે. એક રાજકુમાર વિદેશ માં
ગયો, ત્યાં પાર્ટી આપી હતી, તેનાં માટે સોનાનાં ફૂલ બનાવડાવ્યાં. બધાનાં ઉપર વર્ષા
કરી. ખુશીમાં આવીને ખુબ ખાતરી (સ્વાગત) કરી. સાચાં-સાચાં સોના નાં બનાવ્યાં. બાબા
એમની સ્ટેટ (રાજ્ય) વગેરેને પણ સારી રીતે જાણે છે. હકીકત માં તમે ફૂલ બનીને આવો છો.
સોનાનાં ફૂલ તમે ઉપર થી ઉતરો છો. આપ બાળકોને કેટલી લોટરી મળી રહી છે વિશ્વની બાદશાહી
ની. જેમ લૌકિક બાળકોને કહે છે - તમારાં માટે આ લાવ્યો છું તો બાળકો કેટલાં ખુશ થાય
છે. બાબા પણ કહે છે તમારા માટે બહિશ્ત (સ્વર્ગ) લાવ્યો છું. તમે ત્યાં રાજ્ય કરશો
તો કેટલી ખુશી થવી જોઈએ. કોઈને નાની સોગાત (ભેટ) મળે છે તો કહે છે કે બાબા તમે તો
અમને વિશ્વની બાદશાહી આપો છો, આ સોગાત શું છે. અરે શિવબાબા ની યાદગાર સાથે રહેશે તો
શિવબાબા ની યાદ રહેશે અને તમને પદમ મળી જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સત નાં સંગે
પાછાં જવાનું છે એટલે સદા સાચાં થઇને રહેવાનું છે. ક્યારેય પણ જુઠ્ઠું નથી બોલવાનું.
2. આપણે બ્રહ્મા બાબાનાં બાળકો આપસ માં ભાઈ-બહેન છીએ, એટલે કોઈ પણ ક્રિમિનલ એક્ટ (વિકર્મ)
નથી કરવાની. ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન નાં સિવાય બીજા કોઈ સંબંધ નું ભાન ન રહે.
વરદાન :-
લોકપસંદસભાનીટિકિટબુકકરવાવાળારાજ્યસિંહાસનઅધિકારીભવ
કોઈ પણ સંકલ્પ કે
વિચાર કરો છો તો પહેલાં ચેક (તપાસ) કરો કે આ વિચાર કે સંકલ્પ બાપ પસંદ છે? જે બાપ
પસંદ છે તે લોક-પસંદ સ્વતઃ જ બની જાય છે. જો કોઈ પણ સંકલ્પ માં સ્વાર્થ છે તો
મનપસંદ કહેશે અને વિશ્વ કલ્યાણ અર્થ છે તો લોક પસંદ અને પ્રભુ પસંદ કહેશે. લોક પસંદ
સભાનાં મેમ્બર બનવું અર્થાત્ લો (કાયદા) અને ઓર્ડર (આદેશ) નો રાજ્ય અધિકાર અથવા
રાજ્ય સિંહાસન પ્રાપ્ત કરી લેવું.
સ્લોગન :-
પરમાત્મ સાથ
નો અનુભવ કરો તો બધુંજ સહજ અનુભવ કરતાં સેફ (સુરક્ષિત) રહેશો.