27-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ભિન્ન - ભિન્ન યુક્તિઓ સામે રાખી યાદ ની યાત્રા પર રહો , આ જૂની દુનિયાને ભૂલી પોતાનાં સ્વીટ હોમ ( મીઠા ઘર ) અને નવી દુનિયા ને યાદ કરો ”

પ્રશ્ન :-
કયું એક્ટ અથવા પુરુષાર્થ હમણાં જ ચાલે છે, આખાં કલ્પમાં નહીં?

ઉત્તર :-
યાદની યાત્રામાં રહી આત્માને પાવન બનાવવાનો પુરુષાર્થ, આખી દુનિયા ને પતિત થી પાવન બનાવવાની એક્ટ આખાં કલ્પ માં ફક્ત આ જ સંગમ પર ચાલે છે. આ એક્ટ દર કલ્પ રિપીટ (પુનરાવર્તન) થાય છે. આપ બાળકો આ અનાદિ અવિનાશી ડ્રામાનાં વન્ડરફુલ (અદ્દભુત) રહસ્ય ને સમજો છો.

ઓમ શાંતિ!
રુહાની બાપ બેસી રુહાની બાળકો ને સમજાવે છે એટલે રુહાની બાળકોને દેહી-અભિમાની અથવા રુહાની અવસ્થા માં નિશ્ચયબુદ્ધિ થઈને બેસવાનું કે સાંભળવાનું છે. બાપે સમજાવ્યું છે - આત્મા જ સાંભળે છે આ ઓરગન્સ (અવયવો) દ્વારા, યાદ પાક્કું કરતાં રહો. સદ્દગતિ અને દુર્ગતિ નું આ ચક્ર તો દરેકની બુદ્ધિમાં રહેવું જ જોઈએ, જેમાં જ્ઞાન અને ભક્તિ બધું આવી જાય છે. ચાલતાં-ફરતાં બુદ્ધિમાં આ રહે. જ્ઞાન અને ભક્તિ, સુખ અને દુઃખ, દિવસ અને રાત નો ખેલ કેવો ચાલે છે. આપણે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. બાપ ને યાદ છે તો બાળકોને પણ યાદ માં રહેવાનો પુરુષાર્થ કરાવે છે, આનાથી તમારા વિકર્મ પણ વિનાશ થાય છે અને તમે રાજ્ય પણ પામો છો. જાણો છો આ જૂની દુનિયા તો હવે ખલાસ થવાની છે. જેમ કોઈ જૂનું મકાન હોય છે અને નવું બનાવે છે તો અંદર માં નિશ્ચય રહે છે-હવે અમે નવાં મકાન માં જઈશું. પછી મકાન બનવામાં ક્યારેક બે વર્ષ લાગી જાય છે. જેવી રીતે નવી દિલ્લી માં ગવર્મેન્ટ હાઉસ વગેરે બનાવે છે તો જરુર ગવર્મેન્ટ કહેશે અમે ટ્રાન્સફર (બદલી) થઇ નવી દિલ્લી માં જઈશું. આપ બાળકો જાણો છો આ આખી બેહદની દુનિયા જૂની છે. હવે જવાનું છે નવી દુનિયામાં. બાબા યુક્તિઓ બતાવે છે - આવી-આવી યુક્તિઓ થી બુદ્ધિ ને યાદની યાત્રામાં લગાડવાની છે. આપણે હવે ઘરે જવાનું છે એટલે સ્વીટ હોમ ને યાદ કરવાનું છે, જેનાં માટે મનુષ્ય માથું મારે છે. આ પણ મીઠા-મીઠા બાળકોને સમજાવ્યું છે કે આ દુઃખધામ હવે ખતમ થવાનું છે. ભલે તમે અહીંયા રહો છો પરંતુ આ જૂની દુનિયા પસંદ નથી. આપણે પછી નવી દુનિયામાં જવાનું છે. ભલે ચિત્ર આગળ કોઈ પણ ન હોય તો પણ તમે સમજો છો હવે જૂની દુનિયાનો અંત છે. હવે આપણે નવી દુનિયામાં જઈશું. ભક્તિમાર્ગ નાં તો કેટલાં અસંખ્ય ચિત્ર છે. તેની ભેંટ માં તમારા તો ખુબ થોડાં છે. તમારા આ જ્ઞાનમાર્ગ નાં ચિત્ર છે અને તે બધાં છે ભક્તિમાર્ગ નાં. ચિત્રો પર જ આખી ભક્તિ થાય છે. હવે તમારા તો છે સાચાં ચિત્ર, એટલે તમે સમજાવી શકો છો - ખોટું શું, સાચું શું છે. બાબા ને કહેવાય જ છે નોલેજફુલ. તમને આ નોલેજ છે. તમે જાણો છો આપણે આખાં કલ્પમાં કેટલાં જન્મ લીધાં છે. આ ચક્ર કેવી રીતે ફરે છે. તમારે નિરંતર બાપની યાદ અને આ નોલેજ માં રહેવાનું છે. બાપ તમને પૂરું રચતા અને રચનાનું નોલેજ આપે છે. તો બાપની પણ યાદ રહે છે. બાબાએ સમજાવ્યું છે - હું તમારો બાપ, શિક્ષક, સદ્દગુરુ છું. તમે ફક્ત આ સમજાવો - બાબા કહે છે તમે મને પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહો છો ને. ક્યાંનાં ગાઈડ? શાંતિધામ, મુક્તિધામ નાં. ત્યાં સુધી બાપ લઈને જઈને છોડશે. બાળકોને ભણાવીને, શીખવાડીને, ગુલ-ગુલ બનાવીને ઘરે લઈ જઈ છોડશે. બાપનાં સિવાય તો કોઈ લઈ જઈ નથી શકતું. ભલે કોઈ કેટલાં પણ તત્વજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની હોય. તેઓ સમજે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈશું. તમારી બુદ્ધિમાં છે કે શાંતિધામ તો આપણું ઘર છે. ત્યાં જઈને પછી નવી દુનિયામાં આપણે પહેલાં-પહેલાં આવીશું. તે બધાંં પાછળ થી આવવા વાળા છે. તમે જાણો છો કેવી રીતે બધાંં ધર્મ નંબરવાર આવે છે. સતયુગ-ત્રેતા માં કોનું રાજ્ય છે. તેમનું ધર્મશાસ્ત્ર કયું છે. સૂર્યવંશી-ચંદ્રવંશી નું તો એક જ શાસ્ત્ર છે. પરંતુ તે ગીતા કોઈ સાચ્ચી નથી કારણ કે તમને જે જ્ઞાન મળે છે તે તો અહીંયા જ ખતમ થઇ જાય છે. ત્યાં કોઈ શાસ્ત્ર નથી. દ્વાપર થી જે ધર્મ આવે છે તેનાં શાસ્ત્ર કાયમ છે. ચાલ્યાં આવી રહ્યાં છે. હવે ફરી એક ધર્મની સ્થાપના થાય છે તો બાકી બધાંં વિનાશ થઈ જવાનાં છે. કહેતા રહે છે એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા, એક મત હોય. એ તો એક દ્વારા જ સ્થાપન થઈ શકે છે. આપ બાળકોની બુદ્ધિમાં સતયુગ થી લઈને કળયુગ અંત સુધી બધું જ્ઞાન છે. બાપ કહે છે હવે પાવન બનવાનાં માટે પુરુષાર્થ કરો. અડધોકલ્પ લાગ્યો છે તમને પતિત બનવામાં. હકીકત માં આખોકલ્પ જ કહેવાય, આ યાદની યાત્રા તો તમે હમણાં જ શીખો છો. ત્યાં આ છે નહીં. દેવતાઓ પતિત થી પાવન થવાનો પુરુષાર્થ નથી કરતાં. તેઓ પહેલાં રાજ્યોગ શીખી અહીંયા થી પાવન થઈને જાય છે. તેને કહેવાય છે સુખધામ. તમે જાણો છો આખાં કલ્પ માં ફક્ત હમણાં જ આપણે યાદ ની યાત્રાનો પુરુષાર્થ કરીએ છીએ. પછી આ જ પુરુષાર્થ અથવા જે એક્ટ ચાલે છે - પતિત દુનિયાને પાવન બનાવવા માટે - ફરી કલ્પ બાદ પુનરાવૃત્તિ થશે. ચક્ર તો જરુર લગાવશું ને. તમારી બુદ્ધિમાં આ બધી વાતો છે - કે આ નાટક છે, બધી આત્માઓ પાર્ટધારી છે જેમાં અવિનાશી પાર્ટ ભરાયેલો છે. જેમ તે ડ્રામા ચાલતો રહે છે. પરંતુ તે ફિલ્મ ઘસાઈને જૂની થઇ જાય છે. આ છે અવિનાશી. આ પણ વન્ડર (અદ્દભુત) છે. કેટલી નાની આત્મામાં આખો પાર્ટ ભરાયેલો છે. બાપ તમને કેટલી ગુહ્ય-ગુહ્ય સુક્ષ્મ વાતો સમજાવે છે. હમણાં કોઈ પણ સાંભળે છે તો કહે છે આ તો ખુબ વન્ડરફુલ વાતો સમજાવે છે. આત્મા શું છે, તે હવે સમજ્યું છે. શરીર ને તો બધાંં સમજે છે. ડોક્ટર લોકો તો મનુષ્ય નાં હાર્ટ ને પણ નીકાળી બહાર રાખી પછી નાખી દે છે. પરંતુ આત્માની કોઈ ને ખબર નથી. આત્મા પતિત પાવન કેવી રીતે બને છે, આ પણ કોઈ નથી જાણતું. પતિત આત્મા, પાવન આત્મા, મહાન આત્મા કહે છે ને. બધાંં પોકારે પણ છે કે હેં પતિત-પાવન આવીને મને પાવન બનાવો. પરંતુ આત્મા કેવી રીતે પાવન બનશે - એનાં માટે જોઈએ અવિનાશી સર્જન. આત્મા પોકારે એમને છે જે પુનર્જન્મ રહિત છે. આત્માને પવિત્ર બનાવવાની દવા એમની પાસે જ છે. તો આપ બાળકોનાં ખુશીમાં રોમાન્ચ ઉભાં થઈ જવાં જોઈએ-ભગવાન ભણાવે છે, જરુર તમને ભગવાન-ભગવતી બનાવશે. ભક્તિમાર્ગમાં આ લક્ષ્મી-નારાયણ ને ભગવાન-ભગવતી જ કહે છે. તો યથા રાજા-રાણી તથા પ્રજા હશે ને. આપ સમાન પવિત્ર પણ બનાવે છે. જ્ઞાનસાગર પણ બનાવે છે પછી પોતાનાથી પણ વધારે, વિશ્વનાં માલિક બનાવે છે. પવિત્ર, અપવિત્ર નો પૂરો પાર્ટ (ભૂમિકા) તમારે ભજવવાનો હોય છે. તમે જાણો છો બાબા આવેલાં છે ફરી થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરવાં. જેનાં માટે જ કહે છે આ ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. એની વડ નાં ઝાડ થી જ ભેંટ કરાય છે. શાખાઓ અસંખ્ય નીકળે છે, મૂળ છે નહીં. આ પણ કેટલાં ધર્મો ની શાખાઓ નીકળી છે, ફાઉન્ડેશન (મૂળ) દેવતા ધર્મ છે નહીં. પ્રાયઃલોપ છે. બાપ કહે છે તે ધર્મ છે પરંતુ ધર્મ નું નામ ફેરવી દીધું છે. પવિત્ર ન હોવાનાં કારણે પોતાને દેવતા કહી ન શકે. ન હોય ત્યારે તો બાપ આવીને રચના રચે ને. હવે તમે સમજો છો આપણે પવિત્ર દેવતા હતાં. હમણાં પતિત બન્યાં છીએ. દરેક ચીજ એવી રીતે હોય છે. આપ બાળકોએ આ ભૂલવું ન જોઈએ. પહેલી મુખ્ય મંઝિલ છે બાપ ને યાદ કરવાની, જેનાથી જ પાવન બનવાનું છે. બોલે બધાંં આવું છે, અમને પાવન બનાવો. એવું નહીં કહેશે કે અમને રાજા-રાણી બનાવો. તો આપ બાળકોને બહુજ ફખુર (નશો) હોવો જોઈએ. તમે જાણો છો આપણે તો ભગવાન નાં બાળકો છીએ. હવે આપણને જરુર વારસો મળવો જોઈએ. કલ્પ-કલ્પ આ પાર્ટ ભજવ્યો છે. ઝાડ વધતું જ જશે. બાબાએ ચિત્રો પર પણ સમજાવ્યું છે કે આ છે સદ્દગતિ નાં ચિત્ર. તમે મૌખિક રીતે પણ સમજાવો છો, ચિત્રો પર પણ સમજાવો છો. તમારા આ ચિત્રોમાં સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય આવી જાય છે. બાળકો જે સર્વિસ (સેવા) કરવા વાળા છે, આપ સમાન બનાવતાં જાય છે. ભણીને ભણાવવાની કોશિશ કરવી જોઈએ. જેટલું વધારે ભણશો એટલું ઉંચ પદ પામશો. બાપ કહે છે હું તદબીર તો કરાવું છું, પરંતુ તકદીર પણ હોય ને. દરેક ડ્રામા અનુસાર પુરુષાર્થ કરતાં રહે છે. ડ્રામા નું રહસ્ય પણ બાપે સમજાવ્યું છે. બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે. સાથે લઈ જવાવાળા સાચાં-સાચાં સદ્દગુરુ પણ છે. એ બાપ છે અકાળમૂર્ત. આત્માનું આ તખ્ત છે ને, જેનાથી આ પાર્ટ ભજવીએ છીએ. તો બાપને પણ પાર્ટ ભજવવા, સદ્દગતિ કરવા માટે તખ્ત જોઈએ ને. બાપ કહે છે મારે સાધારણ તનમાં જ આવવાનું છે. ભપકો કે ઠાઠ કાંઈ પણ નથી રાખી શકતો. તે ગુરુઓનાં ફોલોઅર્સ (અનુયાયી) લોકો તો ગુરુનાં માટે સોનાનું સિંહાસન, મહેલ વગેરે બનાવે છે. તમે શું બનાવશો? તમે બાળકો પણ છો, વિદ્યાર્થી પણ છો. તમે એમનાં માટે શું કરશો? ક્યાં બનાવશો? આ છે તો સાધારણ ને.

બાળકોને આ પણ સમજાવતા રહે છે - વેશ્યાઓની સર્વિસ (સેવા) કરો. ગરીબોનો પણ ઉદ્ધાર કરવાનો છે. બાળકો કોશિશ પણ કરે છે, બનારસ માં પણ ગયાં છે. તેમને તમે ઉઠાવ્યાં તો કહેશે વાહ બી.કે. ની તો કમાલ છે - વેશ્યાઓ ને પણ આ જ્ઞાન આપે છે. તેમને પણ સમજાવવાનું છે હવે તમે આ ધંધો છોડી શિવાલયનાં માલિક બનો. આ નોલેજ શીખીને પછી શીખવાડો. વેશ્યાઓ પણ પછી બીજાઓને શીખવાડી શકે છે. શીખી ને હોશિયાર થઈ જશે તો પછી પોતાનાં ઓફિસર્સ ને પણ સમજાવશે. હોલ માં ચિત્ર વગેરે રાખી બેસી ને સમજાવો તો બધાંં કહેશે વાહ વેશ્યાઓને શિવાલય વાસી બનાવવા માટે આ બી.કે. નિમિત્ત બની છે. બાળકોનાં સર્વિસ માટે વિચાર ચાલવાં જોઈએ. તમારા ઉપર ખુબ જવાબદારી છે. અહિલ્યાઓ, કુબ્જાઓ, ભીલનીઓ, ગણિકાઓ આ બધાંનો ઉદ્ધાર કરવાનો છે. ગાયન પણ છે સાધુઓનો પણ ઉદ્ધાર કર્યો છે. આ તો સમજો છો સાધુઓનો ઉદ્ધાર થશે અંતમાં. હમણાં તેઓ તમારા બની જાય તો ભક્તિમાર્ગ જ આખો ખતમ થઈ જાય. રિવોલ્યુશન (ક્રાંતિ) થઈ જાય. સન્યાસી લોકો જ પોતાનો આશ્રમ છોડી દે, બસ અમે હાર ખાધી. આ અંતમાં થશે. બાબા ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે - આવું-આવું કરો. બાબા તો ક્યાંય બહાર નથી જઈ શકતાં. બાપ કહેશે બાળકો થી જઇને શીખો. સમજાવવાની યુક્તિઓ તો બધાંં બાળકોને બતાવતાં રહે છે. એવું કાર્ય કરીને દેખાડો જે મનુષ્યોનાં મુખ થી વાહ-વાહ નીકળે. ગાયન પણ છે શક્તિઓમાં જ્ઞાન બાણ ભગવાને ભર્યા હતાં. આ છે જ્ઞાન બાણ. તમે જાણો છો આ બાણ તમને આ દુનિયાથી તે દુનિયામાં લઈ જાય છે. તો આપ બાળકોએ ખુબ વિશાળ બુદ્ધિ બનવાનું છે. એક જગ્યાએ પણ તમારું નામ થયું, ગવર્મેન્ટ (સરકાર) ને ખબર પડી તો પછી ખુબ પ્રભાવ નીકળશે. એક જગ્યા થી જ કોઈ સારા ૫-૭ ઓફિસર્સ નીકળે તો તે સમાચાર પત્રમાં નાખવા લાગી જશે. કહેશે આ બી.કે. વેશ્યાઓથી પણ તે ધંધો છોડાવી શિવાલયનાં માલિક બનાવે છે. ખુબ વાહ-વાહ નીકળશે. ધન વગેરે બધું તે લઈ જશે. તમે ધન શું કરશો! તમે મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલશો. પૈસા થી ચિત્ર વગેરે બનાવવાનાં હોય છે. મનુષ્ય જોઈને ખુબ વન્ડર (આશ્ચર્ય) ખાશે. કહેશે પહેલાં-પહેલાં તો તમને ઇનામ આપવું જોઈએ. ગવર્મેન્ટ હાઉસમાં પણ તમારા ચિત્ર લઈ જશે. આનાં પર ખુબ આશિક થશે. દિલમાં ઈચ્છા હોવી જોઈએ - મનુષ્યો ને દેવતા કેવી રીતે બનાવીએ. આ તો જાણો છો જેમણે કલ્પ પહેલાં લીધું છે તે જ લેશે. આટલું ધન વગેરે બધું છોડી દે, મહેનત છે. બાબાએ બતાવ્યું - મારું પોતાનું ઘરઘાટ મિત્ર-સંબંધી વગેરે કંઈ પણ નથી, મને શું યાદ આવશે, સિવાય બાપનાં અને આપ બાળકોનાં કંઈ નથી. બધુંજ એક્સચેન્જ (બદલી) કરી દીધું. બાકી બુદ્ધિ ક્યાં જશે. બાબાને રથ આપ્યો છે. જેમ તમે એમ હું ભણી રહ્યો છું. ફક્ત રથ બાબા ને લોન (ઉધાર) પર આપ્યો છે.

તમે જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, સૂર્યવંશી રાજધાની માં પહેલાં-પહેલાં આવવાં માટે. આ છે જ નર થી નારાયણ બનવાની કથા. ત્રીજું નેત્ર આત્મા ને મળે છે. આપણે આત્મા ભણીને નોલેજ સાંભળીને દેવતા બની રહ્યાં છીએ. પછી તો રાજાઓનાં રાજા બનીશું. શિવબાબા કહે છે હું તમને ડબલ સિરતાજ બનાવું છું. તમારી હમણાં કેટલી બુદ્ધિ ખુલી ગઈ છે, ડ્રામા અનુસાર કલ્પ પહેલાં માફક. હવે યાદની યાત્રામાં પણ રહેવાનું છે. સૃષ્ટિ ચક્ર ને પણ યાદ કરવાનું છે. જૂની દુનિયાને બુદ્ધિ થી ભૂલવાની છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિમાં રહે હવે આપણા માટે નવી સ્થાપના થઈ રહી છે, આ દુઃખની જૂની દુનિયા ખતમ થઈ કે થઈ. આ દુનિયા બિલકુલ પસંદ ન આવવી જોઈએ.

2. જેમ બાબાએ પોતાનું બધું એક્સચેન્જ (બદલી) કરી દીધું તો બુદ્ધિ ક્યાંય જતી નથી. એમ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે. દિલમાં બસ એ જ ઈચ્છા રહે કે અમે મનુષ્ય થી દેવતા બનાવવાની સેવા કરીએ, આ વેશ્યાલય ને શિવાલય બનાવીએ.

વરદાન :-
મુરલી નાં સુર દ્વારા માયા ને સરન્ડર કરાવવા વાળા માસ્ટર મુરલીધર ભવ

મુરલીઓ તો ખુબ સાંભળી છે હવે એવાં મુરલીધર બનો જો માયા મુરલીની આગળ ન્યોછાવર (સરન્ડર) થઈ જાય. મુરલી નાં રહસ્યનાં સુર જો સદૈવ વગાડતાં રહો તો માયા સદાનાં માટે સરન્ડર થઇ જશે. માયા નું મુખ્ય સ્વરુપ કારણ નાં રુપમાં આવે છે. જ્યારે મુરલી દ્વારા કારણ નું નિવારણ મળી જશે તો માયા સદાનાં માટે સમાપ્ત થઈ જશે. કારણ ખતમ અર્થાત્ માયા ખતમ.

સ્લોગન :-
અનુભવી સ્વરુપ બનો તો ચહેરા થી ખુશનસીબી ની ઝલક દેખાશે.